ગુજરાતમાં કોરોનાના નવા 65 કેસ, 289 દર્દી સાજા થયા
07, જુલાઈ 2021

ગાંધીનગર-

રાજ્યમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા કોરોનાના કેસ 65 નોંધાયા છે. અને 289 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં જો એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો 1969 કેસ છે. જેમાંથી 1959 લોકોની સ્થિતિ સ્ટેબલ છે. જ્યારે 10 દર્દી વેન્ટીલેટર પર છે રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 8,11,988 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે રાજ્યમાં કોરોનાના કારણે કુલ મૃત્યુ આંક 10,072 થયો છે. રાજ્યમાં રિક્વરી રેટ સુધરીને 98.51 ટકા થયો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution