વિશ્ર્વભરનાં ક્રિકેટ પ્રેમીઓમાં રોમાંચ જગાવનારી આઈપીએલ ટુર્નામેન્ટ દેશમાં હાલ પ્રવર્તી રહેલી કોરોનાની મહામારીના કારણે યુએઈમાં યોજવાનો નિર્ણય કરાયો છે. આઈપીએલની ૧૩મી સીઝનનો વિગતવર કાર્યક્રમ આગામી સપ્તાહે મળનારી આઈપીએલ ગવર્નીંગ કાઉન્સીલની બેઠકમાં નકકી કરવામાં આવનારો છે. દરમ્યાન બીસીસીઆઈના આધારભૂત સુત્રોમાંથી મળેલી વિગતો મુજબ આઈપીએલનો પ્રારંભ ૧૯ સપ્ટેમ્બરથી થશે અને ફાઈનલ મેચ ૨૦ ઓગષ્ટે રમાડાય તેવી સંભાવના છે. ૫૧ દિવસના આ ક્રિકેટ જંગ ખેલવા માટે આઈપીએલમાં ભાગ લેનારી તમામ ટીમો ૨૦ ઓગષ્ટ સુધીમાં યુએઈ પહોચી જશે.

યુએઈમાં રમાનારા આઈપીએલની ૧૩મી સીઝનનો વિગતવાર કાર્યક્રમ આગામી સપ્તાહે મળનારી ગવર્નીંગ કાઉન્સીલની બેઠકમાં નકકી કરવામાં આવશે. હાલમાં સુત્રોમાંથી જે વિગતો મળી છે તે મુજબ ૧૯ સપ્ટે.ને શનિવારે આઈપીએલનો પ્રારંભ મેચ અને ૮ નવે.ને રવિવારે ફાઈનલ મેચ યોજવા માટે તમામ ટીમો, ફ્રેન્ચાઈઝી બ્રોડકાસ્ટરો સહિતના તમામ ભાગ લેનારાઓએ સહમતી દર્શાવી છે. જેથી આ સમયગાળા દરમ્યાન જ ટુર્નામેન્ટ યોજવાનો નિર્ણય લેવાશે આ ટુર્નામેન્ટમાં ભાગ લેનારી દરેક ટીમો ૨૦ ઓગષ્ટ સુધી યુએઈમાં પહોચી જશે. જેથી દરેક ટીમોના ખેલાડીઓને યુએઈના વાતાવરણમાં સેટ થવા ઉપરાંત પ્રેકટીસ માટેનો પૂરતો સમય મળશે.