શ્રીનગર-

જમ્મુ -કશ્મીરમાં શ્રીનગરના છાનાપોરા વિસ્તારમાં તૈનાત સુરક્ષા દળોને નિશાન બનાવીને આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંકી હુમલો કર્યો છે. આ હુમલામાં એક જવાન ઘાયલ થયો છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બીજી તરફ વિસ્તારની ઘેરાબંધી કરી હુમલાખોરોની શોધ ચાલુ છે. મળતી માહિતી મુજબ આતંકવાદીઓએ સરકારી ક્વાર્ટર્સ પાસેના વિસ્તારમાં સુરક્ષા દળો પર ગ્રેનેડ ફેંક્યો હતો. આ હુમલાથી CRPFનો એક સૈનિક ઘાયલ થયો અને સાથે એક સ્થાનિક મહિલા પણ ઘાયલ થઈ તેવું જાણવા મળે છે. જમ્મુ -કાશ્મીરની રાજધાની શ્રીનગરના છનાપોરા વિસ્તારમાં તૈનાત સુરક્ષા દળોને નિશાન બનાવીને આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંક્યો છે.ગ્રેનેડ વડે કરવામાં આવેલા આ હુમલામાં એક જવાન ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે. ઘાયલ જવાનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.