બેંગલુરુ-

કર્ણાટકના મુખ્યપ્રધાન બીએસ યેદિયુરપ્પા પણ કોરોનાથી પ્રભાવિત થયા છે. જો કે, તેમની તબિયત સારી છે, પરંતુ ડૉક્ટરની સલાહ અનુસાર તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. કર્ણાટકના CMs પોતાના ટ્વિટર પર જાણકારી આપી છે કે, હું કોરોનાથી પ્રભાવિત થયો છું. હાલ મારી તબિયત સારી છે, પંરતુ ડૉક્ટરની સલાહ અનુસાર હું હોસ્પિટલમાં દાખલ થયો છું.

યેદિયુરપ્પાએ પોતે કોરોના પોઝિટિવની પુષ્ટી કરતાં તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને ક્વોરન્ટાઈન થઈ કોરોના ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે. હાલ મુખ્યપ્રધાન બીએસ યેદિયુરપ્પાને ઓલ્ડ એરપોર્ટ રોડ સ્થિત મણિપાલ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં છે.નોંધનીય છે કે, યેદિયુરપ્પાએ 31 જુલાઈએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. જો કે, કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ પણ કોરોનાગ્રસ્ત થયા છે. શાહે ટ્વીટ કરી પોતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની પુષ્ટી કરી હતી.