ઊંઝા ઉમિયાધામના નવા પ્રમુખ તરીકે ધારાસભ્ય બાબુ જમના પટેલની વરણી
03, જાન્યુઆરી 2022

ગાંધીનગર, મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે આજે ઉમિયાધામ માતાજી ટ્રસ્ટના નવા પ્રમુખની વરણી કરવામાં આવી હતી. જેમાં ઉમિયાધામના નવા પ્રમુખ તરીકે અમદાવાદ જિલ્લાના દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. કડવા પાટીદારોના આસ્થાના ધામ એવા મહેસાણાના ઊંઝા સ્થિત ઉમિયાધામ ખાતે આજે બપોર બાદ ઉમિયા માતાજી ટ્રસ્ટની કારોબારી બેઠક મળી હતી. આ બેઠકમાં નવા પ્રમુખની વરણી અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી. જેમાં પ્રમુખની મુદત પૂર્ણ થતા આજે નવા પ્રમુખની વરણી કરવામાં આવી હતી. જેમાં નવા પ્રમુખ તરીકે દસક્રોઈના ભાજપના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલની પ્રમુખ પદ માટે વરણી કરવામાં આવી હતી. ઉમિયા માતાજી કારોબારી ટ્રસ્ટની બેઠકમાં આ ર્નિણય લેવામાં આવ્યો હતો. ઊંઝા ઉમિયાધામએ ગુજરાતના જ નહિ પરંતુ સમગ્ર વિશ્વના કડવા પાટીદારોની સૌથી મોટી સંસ્થા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution