ગાંધીનગર, મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે આજે ઉમિયાધામ માતાજી ટ્રસ્ટના નવા પ્રમુખની વરણી કરવામાં આવી હતી. જેમાં ઉમિયાધામના નવા પ્રમુખ તરીકે અમદાવાદ જિલ્લાના દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. કડવા પાટીદારોના આસ્થાના ધામ એવા મહેસાણાના ઊંઝા સ્થિત ઉમિયાધામ ખાતે આજે બપોર બાદ ઉમિયા માતાજી ટ્રસ્ટની કારોબારી બેઠક મળી હતી. આ બેઠકમાં નવા પ્રમુખની વરણી અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી. જેમાં પ્રમુખની મુદત પૂર્ણ થતા આજે નવા પ્રમુખની વરણી કરવામાં આવી હતી. જેમાં નવા પ્રમુખ તરીકે દસક્રોઈના ભાજપના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલની પ્રમુખ પદ માટે વરણી કરવામાં આવી હતી. ઉમિયા માતાજી કારોબારી ટ્રસ્ટની બેઠકમાં આ ર્નિણય લેવામાં આવ્યો હતો. ઊંઝા ઉમિયાધામએ ગુજરાતના જ નહિ પરંતુ સમગ્ર વિશ્વના કડવા પાટીદારોની સૌથી મોટી સંસ્થા છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments