અમદાવાદ-

સીએમ રૂપાણીનો કોરોના અંગે RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે જેને પગલે ભારતીય જનતા પાર્ટીમાં હડકંપ મચી જવા પામ્યો છે.  મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી ચૂંટણીલક્ષી કાર્યક્રમો દરમિયાન અનેક લોકોના સંપર્કમાં આવ્યા હતા ત્યારે હવે ભાજપ માટે ચિંતા વધી ચુકી છે. મુખ્યમંત્રીના રીપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ભાજપના વધુ 2 નેતાઓના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે.


ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના પોઝિટિવ આવતાની સાથે જ પૂજ્ય મોરારીબાપુએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ત્વરિત સાજા થવાની શુભકામનાઓ પાઠવી છે. અને લખ્યું હતું કે હનુમાનજીને પ્રાર્થના છે કે આપ જલ્દી સ્વસ્થ થઇ જાઓ.