યુવતીઓ પોતાના ચહેરા પર નિખાર લાવવા અનેક પ્રકારની બજારૂ પ્રોડક્ટ વાપરતી હોય છે જેના કારણે તેમના ચહેરાની ત્વચા ઘણીવાર ખરાબ પણ થઇ જતી હોય છે.એક અભ્યાસમાં એવું સામે આવ્યું છે કે બજારમાં મળતી કોસ્મેટીક પ્રોડક્ટમાં એવા કેમીકલ વાપરવામાં આવે છે જેના કારણે ત્વચાને નુકસાન થઇ શકે. 

સ્કીનની સુંદરતા વધારવા ચોખાના ઉપયોગને આયુર્વેદમાં પણ ગુણકારી ગણાવ્યો છે.ચોખામાં રહેલા એન્ટીઑક્સીડન્ટના ગુણ સાથે તેમાં વિટામિન-ઇ પણ ભરપૂર માત્રામાં મળી આવે છે. જેના કારણે ત્વચાની કરચલીઓ દૂર થઇ જાય છે. આ સાથે જ ત્વચામાં નિખાર પણ આવવા લાગે છે.