દિલ્હી-

વડાપ્રધાન મોદી બુધવારે વિશ્વ યુવા કૌશલ દિવસના અવસર પર વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કરશે. આ દિવસ સ્કિલ ઇન્ડિયા મિશનની શરુઆતનું 5મી વર્ષગાંઠનું પ્રતીક છે. આ અવસરને ચિન્હિત કરવા માટે કૌશલ વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય દ્વારા એક ડિજિટલ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

સ્કિલ ઇન્ડિયા કેટલાય ક્ષેત્રોમાં પાઠ્યક્રમ પણ પ્રદાન કરે છે, જે રાષ્ટ્રીય કૌશલ યોગ્યતા ફ્રેમવર્ક (નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક) હેઠળ ઉદ્યોગ અને સરકાર બંને દ્વારા માન્યતા પ્રાપ્ત ધોરણો સાથે જોડાયેલા હોય છે. નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા બાદ સ્કિલ ઇન્ડિયા અભિયાનની શરુઆત થઈ હતી. નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ સ્કિલ ઇન્ડિયા અભિયાનની શરુઆત થઈ છે. વડાપ્રધાન મોદી બુધવારે સવારે 11.10 કલાકે ભાષણ આપશે. આ ભારત સરકારની પહેલ છે, જે દેશના યુવાઓને સ્કિલ સેટની સાથે સશક્ત બનાવવા માટે શરુ કરવામાં આવી છે. જે તેમણે પોતાના કામના માહોલમાં અધિક રોજગારપરક અને અધિક ઉત્પાદક બનાવી શકે છે.