હૈદરાબાદ-
ચીન સાથે લદ્દાખ સરહદે તનાવની વચ્ચે મોસ્કોમાં ગઈકાલે ભારતીય રક્ષામંત્રી રાજનાથસિંહ અને ચીનના સંરક્ષણ મંત્રી વી ફેંગે વચ્ચે મુલાકાત થઈ હતી.જેમાં રાજનાથસિંહના આકરા તેવર જોવા મળ્યા હતા.
રાજનાથસિંહે ચેતવણી આપી હતી કે, ભારત પોતાની એક પણ ઈંચ જમીન નહીં છોડે.જાેકે આ નિવેદન બાદ AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીએ સરકાર પર કટાક્ષ કર્યો છે.ઓવૈસીએ સવાલ ઉઠાવ્યો છે કે, આ બેઠક બાદ ચીનના રક્ષા મંત્રીએ તરત નિવેદન આપ્યુ હતુ અને ભારત સરકાર દ્વારા આઠ કલાક પછી પણ કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યુ નહોતુ.શું પીએમ મોદી પોતાના વૈભવી નિવાસ સ્થાનમાં મોર સાથે રમવામાં એટલા વ્યસ્ત છે કે તેમની પાસે લદ્દાખમાં ચીને ભારતની 1000 ચોરસ કિલોમીટર જમીન પર જમાવેલા કબ્જા અંગે બોલવા માટે સમય નથી.
ઓવૈસીએ રાજનાથસિંહને પણ સવાલ કર્યો છે કે શું તમે ૧૦૦૦ ચોરસ કિલોમીટર જમીન પરથી ચીન પાછુ હટે તેની વાત કરી કે પછી તમે પણ પીએમ ઓફિસની જેમ એવુ કહેવાના છો કે ભારતની જમીન પર કોઈ આવ્યુ જ નથી...દેશ સાચુ જાણવા માંગે છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments