દિલ્હી-
મુંબઈ પોલીસે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટથી છેડછાડ કરનાર એક ગ્રૃ઼પનો પર્દાફાશ કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જેમાં રિપબ્લિક ટીવીનું નામ પણ ઉછળ્યું હતું. બસ આ કાંડ બાદ હવે કંપનીઓ અને મીડિયા એજન્સીઓ ન્યૂઝ ચેનલો પર સતત નજર રાખી રહી છે. અને નફરત ફેલાવતી ન્યૂઝ ચેનલોને એડવર્ટાઈઝમેન્ટ ન આપવાના ર્નિણય કરી રહી છે. બજાજ દ્વારા સૌથી પહેલાં આ પહેલ શરૂ કરવામાં આવી હતી. હવે આ પહેલમાં પારલે-જી પણ જાેડાઈ ચૂકી છે.
પારલે જી કંપનીના એક સીનિયર અધિકારીએ કહ્યું કે, કંપની સમાજમાં ઝેર ફેલાવતું કન્ટેન્ટ પ્રસારિત કરનાર ન્યૂઝ ચેનલો પર વિજ્ઞાપન આપશે નહીં. તેઓએ કહ્યું કે, અમે એવી સંભાવનાઓ શોધી રહ્યા થે, જેમાં અન્ય એડવર્ટાઈઝર એક સાથે આવે અને સમાચાર ચેનલો પર વિજ્ઞાપન આપવાના પોતાના ખર્ચ પર કંટ્રોલ કરે જેથી તમામ ન્યૂઝ ચેનલોને એ સ્પષ્ટ સંકેત મળે કે તેઓએ પોતાના કન્ટેન્ટમાં બદલાવ લાવવો પડશે. તેઓએ કહ્યું કે, આક્રમકતા અને સામાજિક સૌહાર્દ બગાડવાને પ્રોત્સાહન આપનાર ચેનલ એ નથી કે જેના પર કંપની પૈસા ખર્ચ કરવા માગે છે, કેમ કે, તે કંપનીના ટાર્ગેટ ઓડિયન્સ નથી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments