ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ પ્રધાનમંત્રી મોદીનો અમદાવાદમાં સતત બીજા દિવસે મેગા રોડ શો યોજાયો હતો. આ રોડ શોમાં પ્રધાનમંત્રી મોદીને જાેવા માટે લોકો મોટી સંખ્યામાં રસ્તા પર જાેવા મળી રહ્યા હતા. પ્રધાનમંત્રી મોદીનો રોડ શો શાહીબાગથી શરુ થયો હતો. રાત્રે સરસપુરમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ નગરદેવી ભદ્રકાળી માતાનાં દર્શન કર્યા હતા. રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂરું થયું હતું. અમદાવાદમાં પ્રધાનમંત્રી મોદીએ નરોડાથી ચાંદખેડા ગામ સુધી અમદાવાદ શહેર અને ગાંધીનગરની એક કુલ ૧૪ બેઠકને આવરતો ૫૪ કિમીનો લાંબો રોડ શો કર્યો હતો. આજે સતત બીજા દિવસે પણ અમદાવાદમાં પીએમ મોદી રોડ શો કરી રહ્યા હતા. તેઓ એરપોર્ટથી વાયા શાહીબાગ તેઓ લાલદરવાજા ભદ્રના કિલ્લા પહોંચ્યા હતા. જ્યાં તેઓ આજે નગરદેવી ભદ્રકાળીનાં દર્શન કર્યા હતા. ત્યારબાદ માતાજીની પૂજા અર્ચના કરી આરતી ઉતારી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં સતત બીજા દિવસે પણ રોડ શો યોજ્યો છે. શહેરના શાહીબાગથી સારંગપુર સુધી રોડ શો યોજ્યો છે. રોડ શોમાં પ્રધાનમંત્રી મોદીનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું છે. કોટ વિસ્તારમાં ભાજપને મજબુત કરવા માટે પ્રધાનમંત્રી મોદીએ રોડ શો યોજ્યો.