રાજકોટ-

રાજકોટ મધ્યસ્થ જેલમાં 2017માં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા કાપી રહેલા કેદીએ ફર્લો પરથી હાજર થયા બાદ બાથરુમમાં ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હોવાની વિગત સામે આવી છે. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત મળતી વિગત અનુસાર રાજકોટ ખાતે આવેલ મધ્યસ્થ જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા કાપી રહેલા કેદીએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. રાજકોટની મધ્યસ્થ જેલમાં 2017માં હત્યાના ગુનામાં આજીકેદની સજા ફટકારવામાં આવી હતી. જો કે હાલમાં જ ફર્લો પરથી ફરી હાજર થયા બાદ કેદીએ બાથરુમમાં ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાની જાણકારી મળી છે.