આજવા રોડ એકતાનગરના રહીશો ઊભરાતી ડ્રેનજની સમસ્યાથી પરેશાન :ડ્રેનેજના ગંદા પાણી રોડ પર ફરી વળ્યા
14, ડિસેમ્બર 2021

શહેરના આજવા રોડ એકતાનગરમાં પાછલા ૩ મહિનાથી ડ્રેનેજના ઊભરાતા પાણીથી લોકો પરેશાન થયા છે. આ વિસ્તારમાં પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા નથી અને ગટર તૂટેલી હાલતમાં હોવાથી લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. એકતાનગરમાં ૫થી ૬ હજાર લોકો રહે છે. ઉપરાંત એક જ કબ્રસ્તાન હોવાથી દરેક મૈયત અહીંથી પસાર થાય છે અને આવા ગંદા પાણીમાંથી લોકોને પસાર થઇને જવું પડે છે. વોર્ડમાં ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેમ જણાવી સ્થાનિક રહીશોએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે જાે સમસ્યાનું નિરાકરણ કરવામાંં નહીં આવે તો અમે જાતે પાણી આવવાનો માર્ગ બંધ કરી દઈશું. ગંદા પાણીથી વિસ્તારમાં બીમારી અને ગંદકીનો માહોલ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution