31, ડિસેમ્બર 2022
અમદાવાદની નજીક આવેલા વન વિભાગ હસ્તકના નળ સરોવરમાં દેશ વિદેશના રૂપકડાં ગગનવિહારીઓનો મેળાવડો જામ્યો છે. સરોવરના ર્નિમળ જળ કાંઠે આવી પહોંચેલાં શિશિરના વિદેશી અતિથિઓ સ્થાનિકો તેમજ સરોવરની મુલાકાતે આવતા સહેલાણીઓના હૃદયમાં પણ આનંદ ભાવ પેદા કરી રહ્યા છે. નળ સરોવર કાંઠે હાલે રાજહંસ, ગાજ હંસ, કુંજ, લાલ ચાંચ કારચિયા,ભગતડુ, ગયનો,સારસ,સફેદ ઢોક સહિતના પક્ષીઓએ પોતાના આશિયાના ઉભા કર્યા છે.