ગાંધીધામ, ગાંધીધામ‎ કંડલામાં ડીઆરઆઈ દ્વારા અન્ય ‎ ‎ એજન્સીઓને સાથે રાખીને ગત ‎ ‎ રોજથી અચાનક તપાસ શરૂ‎ કરવામાં આવતા અનેક પ્રકારની ‎ ‎ અટકળોનું બજાર ગરમ થઈ ગયું‎ હતું. આ સમગ્ર ઘટનાક્રમમાં‎ ઈરાન અફઘાનિસ્તાન પટ્ટાથી રોક ‎ ‎ સોલ્ટની થતી આયાત કારણભૂત ‎ ‎ હોવાનું સામે આવી રહ્યું છે. કુલ‎ ૨૭ જેટલા કન્ટેનર છે, જેમાં‎ લદાયેલાં ૫.૪૦ કરોડની કિંમતનું‎ ૬૪૮ ટન રોક સોલ્ટને સંપુર્ણ રૂપે‎ તપાસ કરવામાં આવશે. એ‎ પ્રકારના ઈનપુટ છે કે આ જથ્થામાં‎ ડ્રગ્સ કે અન્ય અનધિકૃત જથ્થો‎ સામેલ હોવાની સંભાવના છે.‎ ‎ ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ‎ ઈન્ટેલીજન્સ સાથે પૂર્વ કચ્છની‎ એસઓજી, રાજ્યની બોમ્બ‎ ડિસ્પોઝલ ટીમ,એફએસએલ‎ સહિતની ટીમો તપાસ કાર્યના‎ બીજા દિવસે પહોંચી આવી હતી.‎ કંડલાના વેર હાઉસમાં રાખેલા ૨૭‎ કંટેનરોની એક બાદ એક તપાસ ‎ ‎ કરવામાં આવી રહી છે, જેમાં‎ “ઓન રેકર્ડ’’ ઈરાનથી લવાયેલા ‎ ‎ અંદાજે ૬૪૮ ટન રોક સોલ્ટ એટલે‎ કે સિંધવ નમક સામેલ છે, જેની ‎ ‎ બજાર કિંમત અનુસાર કુલ કિંમત ‎ ‎૫.૪૦ કરોડ થવા જાય છે. હાલ‎ આ સમગ્ર જથ્થાને ડીઆરઆઈએ ‎ ‎ સીઝ કરીને તપાસનો વ્યાપ‎ આગળ ધપાવ્યો છે. અગાઉ આજ ‎ ‎ રૂટથી આવેલા કાર્ગોમાં ડ્રગ્સ મળ્યું ‎ ‎ હોવાના લીધે સરકાર કોઇ ચુકમાં ‎ ‎ રહેવા માંગતી ન હોવાથી આ‎ જથ્થાને રોકાવી દઈને સંપુર્ણ‎ ચેકિંગ હાથ ધરવામાં આવી રહી‎ છે. કંટેનરોની સંખ્યા વધુ હોવાથી ‎ ‎ થોડા દિવસ આ ઓપરેશન ચાલતું ‎ ‎ રહે તે સંભવ છે.‎ રોક સોલ્ટ એટલે કે સિંધવ મીઠું મહતમ રૂપે પાકિસ્તાનમાં સિંધ એટલે કે ઈન્ડસ અને પંજાબના મેદાનો વચ્ચે‎ આવેલા વિસ્તારમાંથી પ્રાપ્ત થાય છે. ભારતના જાંબાઝ જવાનોની છાવણી પર ગત વર્ષોમાં મોડી રાત્રે કાયરતા‎ પૂર્ણ થયેલા હુમલાઓ અને તેમાં પાકિસ્તાની સામેલગીરી સામે આવ્યું હતું.

જેના જવાબ રૂપે સ્ટ્રાઇક સિવાય ટ્રેડ‎ ક્ષેત્રે ભારતે પાકિસ્તાનથી આવતા દરેક કાર્ગો પર ૨૦૦% ની ડ્યૂટી લાદી દીધી હતી, જે હજી પણ ચાલે છે.

જેના‎ કારણે પાકિસ્તાનથી આવતા રોક સોલ્ટને આયાતકારો અન્ય દેશનું ઓરીજન ઓન પેપર દેખાડીને આયાત કરે‎ છે, જેથી મોટા કરથી બચી શકાય. આ પ્રકારની ગેરરીતિ અગાઉ કંડલા અને મુંદ્રા બન્ને સ્થળોએ પકડાઈ ચુકી છે.‎ કંડલા કસ્ટમ હોય કે મુંદ્રા કસ્ટમ, બન્ને સ્થળોએ મોટા પાયે ગેરરીતિઓને અંજામ આપીને સંડ્રી, લાંચ લેવામાં‎ આવતી હોવાની ફરિયાદો ઉઠતી રહે છે. પરંતુ ટ્રેડ પોતાનો ધંધો બચાવવા કોઇ વેર લેવા ન માગતું હોવાથી આ‎ અંગે ફરિયાદો કરતું ન હોવાની લોકમુખે ચર્ચા રહેતી હોય છે. આવી સ્થિતિમાં ગત રોજ કંડલામાં‎ ડીઆરઆઈએ મોટા પાયે દરોડો પાડીને કેટલાક કસ્ટમના ભ્રષ્ટ અધિકારીઓને પણ જાંસામાં લીધા હોવાની‎ કથિત અફવા વહેતી થતા કેટલાક અધિકારીઓ તો ભયના માર્યા “આઉટ ઓફ સ્ટેશન’’ થઈ ગયા હતા.‎