રાજકોટ

રાજકોટમાં એક સાથે ચાર લોકોએ આપઘાતનો પ્રયાસ કરતા હાહાકાર મચ્યો. એક સાથે ચાર લોકોએ શહેરના મવડી રોડ પર આવેલી શિવ શક્તિ ડેરીમાં ફીનાઇલ  ગટગટાવીને આપઘાતની પ્રયાસ કર્યો હતો. જમીન વિવાદમાં તમામ લોકોએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની માહિતી મળી છે. બનાવ બાદ ચારેય લોકોને સારવાર માટે 108ની મદદથી સારવાર માટે સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આજે બપોરના સમયે શોભનાબેન ચાવડા, ગૌરીબેન ચાવડા, મંજુબેન વાઘેલા અને કેતન સાગઠીયાએ શિવશક્તિ ડેરી ખાતે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં ડેરીના મલિક સહિત 3 લોકો સામે કાર્યવાહી કરવા પોલીસ કમિશનરને અરજી કરી કડક કાર્યવાહી કરવા માંગ કરી છે. ફિનાઈલ પીનાર ચારેયને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને સારવાર ચાલી રહી છે.