કેટલાક લોકો મહારાષ્ટ્રમાં કારકિર્દી બનાવે છે પણ આભાર નથી માનતા
08, સપ્ટેમ્બર 2020

મુંબઇ-

મહારાષ્ટ્ર સરકાર અને અભિનેત્રી કંગના રનૌત વચ્ચે ચાલી રહેલી લડાઇમાં નિવેદનબાજી ઉગ્ર બની છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કંગના રનૌતને વાય-ક્લાસ સુરક્ષાની ઘોષણા કર્યા બાદ હવે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ નામ લીધા વિના તેમની સામે આકરા પગલા ભર્યા છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે કેટલાક લોકો એવા છે જેઓ મહારાષ્ટ્રમાં પોતાની કારકિર્દી બનાવે છે, પરંતુ ક્યારેય રાજ્યનો કે મુંબઈનો આભાર વ્યક્ત નથી કરતા. શિવસેનાના પૂર્વ ધારાસભ્ય અને મંત્રી અનિલ રાઠોડને શ્રદ્ધાંજલિ આપતી વખતે તેમણે આ ટિપ્પણી કરી હતી.

મુખ્યમંત્રીએ કહ્યું, ‘અનિલ ભૈયા રાજસ્થાનથી આવ્યા અને મહારાષ્ટ્રને પોતાનું ઘર બનાવ્યું. તેઓ કટ્ટર શિવ સૈનિક હતા. તો સાથે સાથે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ખાસ કરીને જેમણે બંધારણના શપથ લીધા છે, તેમની જવાબદારી છે કે તેઓને ભલે કોઈનો અભિપ્રાય સાચો લાગે કે ખોટો લાગે, પરંતુ તેમની સુરક્ષા કરવી તેમની જવાબદારી છે. મને લાગે છે કે કેન્દ્ર સરકારે જે કર્યું છે તે સારું છે. મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે કહ્યું કે મુંબઈ કે મહારાષ્ટ્રનું જે પણ વ્યક્તિ અપમાન કરે છે,

કેન્દ્ર આવી વ્યક્તિને ‘y’ કેટેગરી સુરક્ષા પ્રદાન કરે છે, તે ખૂબ પીડાદાયક છે. મહારાષ્ટ્ર માત્ર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, શિવસેના અને કોંગ્રેસનું જ નથી. તે ભાજપનું પણ છે, તે તમામ લોકોનું છે. નોંધનીય છે કે કંગના રનૌત અને શિવસેનાના નેતા સંજય રાઉત વચ્ચે શાબ્દિક યુદ્ધ બાદ કેન્દ્રીય ગૃહમંત્રાલયે અભિનેત્રીને y ક્લાસ સુરક્ષા આપવાનો ર્નિણય લીધો છે. કંગનાએ મુંબઈને pok હોવાનું કહ્યું હતું, ત્યારબાદ સંજય રાઉત ગુસ્સે થયા હતા અને તેમણે કંગનાને મુંબઈ ન આવવાની સલાહ આપી હતી.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution