કોરોના વાયરસે સામાન્ય જીવનને જાણે કે વેર વિખેર કરી નાખ્યુ છે. જ્યાં જુઓ ત્યાં લોકો મુશ્કેલીમાં ફસાયા છે. એક બાજુ મહામારીનો ત્રાસ તો બીજી બાજુ આર્થિક મંદી આ તમામ વચ્ચે હાલ તો મધ્યમ વર્ગ અને મજૂરી કરતા લોકોની હાલત ખુબજ કફોડી છે. આવા સમયે બોલિવૂડના કેટલાક કલાકાર સામે આવી આવા લોકોની મદદ કરી માણસાઈના દીપ પ્રગટાવી રહ્યા છે અને ઉમદા કાર્ય કરી ખરા અર્થમાં લોકોની મદદ કરી રહ્યા છે. સોનુ ખરેખર આવું ઉમદા કામ કરતો હોવા છતાં કેટલાક લોકો સોનુ સૂદને હેરાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. વાત જાણે એમ છે કે કેટલાક લોકો સોનુને ટ્‌વીટર કે બીજા માધ્યમોથી મદદ માગે છે અને પછી ક્યાંક ગાયબ થઈ જાય છે આથી સોનુ અને તેની ટીમને મુશ્કેલી થઈ રહી છે. સોનુ કહે છે અસલી કોને મદદની જરૂર છે તે સમજાતુ નથી. સોનુએ ટ્‌વીટ કરી કહ્યુ કે જે લોકોને ખરેખર મદદની જરૂર હોય તે જ સહાય માંગે. એ લોકોની અંગે વિચારો જેમને ખરેખર મદદ જોઈએ છે. સાંજે સોનુ માતોશ્રી પહોંચ્યા હતા અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેને મળવા પહોંચ્યા હતા. મુલાકાત પછી બહાર નીકળી સોનુ સુદે કહ્યું કે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી દરેક પાર્ટીએ તેમની સહાય કરી છે એ તમામ લોકોને ધન્યવાદ જેઓ મારી સાથે આ કામમાં જોડાયા.