/
સૂરજ પંચોલીએ છોડ્યું ઈન્સ્ટાગ્રામ અને તમામ પોસ્ટ કરી ડિલિટ

બોલિવૂડ એક્ટર સૂરજ પંચોલીએ સોશિયલ મીડિયાથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. તેણે ગત રાતે ઈસ્ટાગ્રામ પરથી પોતાની તમામ પોસ્ટ ડિલીટ કરી દીધી છે અને માત્ર એક જ પોસ્ટ છોડી છે.

તે પોસ્ટ તેના 28માં જન્મદિવસ એટલે કે 9 નવેમ્બર 2018ની છે. ઉલ્લેખનીય છે કે, સૂરજ પંચોલીને છેલ્લા કેટલાક દિવસથી ટારગેટ કરવામાં આવી રહ્યો હતો. સૂરજ પંચોલીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ઇન્સ્ટાગ્રામ છોડવાની જાણકારી આપી હતી અને વાપસીનો સંકેત પણ આપ્યો હતો. તેણે લખ્યું, "ફરી મળીશું ઇન્સ્ટાગ્રામ.

જ્યારે દુનિયા એક સારી જગ્યા બની જશે, ત્યારે તમને ફરી મળવાની આશા છે." આ સિવાય તેમણે લખ્યું, "મને શ્વાસની જરૂર છે." તેણે હેશટેગ સાથે સફોકેટેડ પણ લખ્યું હતું. ઉલ્લેખીય છે કે, સૂરજના નામને દિશા સાલિયાન અને સુશાંત સિંહ રાજપૂત કેસ સાથે જોડવામાં આવી રહ્યું હતું. સોશિયલ મીડિયા પર સૂરજ પંચોલી પર કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. તેના પરેશાન થઈને સૂરજે મુંબઈ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution