બજેટ ૨૦૨૧-૨૨ સમાચાર
-
એક જ ઓરડામાં ધો.એકથી પાંચના બાળકો ભણે છે ઃ વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર ૧૮
- 14, જુન 2023 01:15 AM
- 8536 comments
- 6431 Views
સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશ ઉત્સવ સોમવાર થી શરૂ થયો છે. વડોદરા શહેર અને જિલ્લામાં પ્રથમ દિવસે આશરે દસ હજાર બાળકોનો આંગણવાડીઓ, બાલવાડીઓ, બાલવાટિકા તથા ઘો.૧ થી ૮ માં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.ત્યારે વડોદરાના છાણી વિસ્તારમાં આવેલી નારાયણ નગર પ્રાથમિક શાળાની હાલત જાેઈને વિસ્તારના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ ટીકા કરતા કહ્યુ હતુ કે, છાણી સોખડા નાળા પાસે નારાયણ નગર પ્રાથમિક શાળા છાણી-ચાર, તાલુકો વડોદરા, ૧૯૯૬ માં સ્થપાઈ છે. હાલ ધોરણ ૧ થી ૫ માત્ર એક જ રૂમમાં અભ્યાસ કરે છે, અને વિદ્યાર્થીઓની સંખ્યા પણ માત્ર ૧૮ જ છે. અત્યાર સુધી અહીં સંખ્યા ૧૩ની હતી. નારાયણ નગરના ે ૪૫૦ રહેવાસીઓ છે.જ્યારે નજીકમાં ઓમકારપુરામાં આવેલી શાળામાં ૧૦૦ જેટલા બાળકો ભણે છે, જ્યારે છાયાપૂરીમાં ૬૦ બાળકો અભ્યાસ કરે છે. ઓમકારપુરા, છાયાપૂરી અને નારાયણ નગર આ ત્રણેય શાળાને મર્જ કરીને એક સારી શાળા બનાવી વિદ્યાર્થીઓને શિક્ષણ યોગ્ય વાતાવરણ પૂરું પાડવું જાેઈએ. આ વિસ્તાર શહેરની પાસે આવેલો છે.અહીં જાે શાળાની આવી હાલત હોય તો ગ્રામ્ય વિસ્તારમાં શાળાની કેવી દશા હશે? તેમ પણ તેમણે કહ્યુ હતુ.વધુ વાંચો -
આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ-ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાશે
- 25, જાન્યુઆરી 2022 01:15 AM
- 6872 comments
- 3683 Views
વડોદરા, તા.૨૪વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના મેયરના અધ્યક્ષ સ્થાને નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના સભાખંડમાં યોજાશે. તયારે આ બંને પદ કોને મૂકવામાં આવે છે તેની અટકળો શરૂ થઈ છે. જાે કે દાવેદારોએ તેમના ગોડ ફાધરોને મળીને પદ મેળવવા એડી ચોટીનું જાેર લગાવ્યું હતું. ત્યારે આવતીકાલે કોને અધ્યક્ષ-ઉપાધ્યક્ષ બનાવાય છે તેની સ્પષ્ટતા થશે. વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ૧૨ ચૂંટાયેલા સભ્યો જયારે એક સરકારી અને બે બિન સરકારી મળીને ૧૫ સભય છે. આવતીકાલે સવારે ૧૧ વાગે શિક્ષણ સમિતીના સભાગૃહમાં નવા અધ્યક્ષ-ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાશે. શહેર ભાજપ સંગઠનની અન્ય પ્રશ્નોની ચર્ચા કરવા માટે મીટીંગ મળી હતી. ત્યારે શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને .પાધ્યક્ષના વરણી સંદર્ભે પણ ચર્ચા વિચારણા કરાઈ હતી અને ૧૪માંંથી કોઈની પણ પસંદગી કરવા પ્રદેશને જણાવાયુ હોવાનું જાણવા મળે છે. પ્રદેશમાંથી આ બંને હોદ્દાના નામ પર મહોર મારીને બંધ કવરમાં મેન્ડેટ મોકલાશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષઢઉપાધ્યના હોદ્દાની મુદત અઢી-અઢી વર્ષની છે. ગત ટર્મમાં વર્ષ ૨૦૧૬માં આ નિયમ અમલી બનાવાયો છે. ત્યાં સુધી સમિતિના અધ્યક્ષ -ઉપાધ્યક્ષની મુદત પાંચ-પાંચ વર્ષની હતી. આવતીકાલે મેયરની અધ્યક્ષતામાં સમિતિના અધ્યક્ષની ચૂંટણી યોજાશે. જાે કે ભાજપા વર્તુળોમાં નગર પ્રાથમીક શિક્ષણ સમિતિમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષપદે ડો.હેમાંગી જાેષી, શમિષ્ઠાબેન સોલંકી, કિરણ સાળુંકે, રીટાબેન માંજરાવાલા અને ભરત ગજજરના નામો ચર્ચામાં હોવાનું જાણવા મળે છે.વધુ વાંચો -
ધારાસભ્યોના નિવાસ માટે નીતિન પટેલે બજેટમાં કઈ જાહેરાત કરી
- 03, માર્ચ 2021 01:19 PM
- 7201 comments
- 8902 Views
ગાંધીનગર-રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ધારાસભ્યો માટે નવું સદસ્ય નિવાસ સંકુલ બનાવવાના પ્રસ્તાવને મંજૂરી અપાશે. ધારાસભ્યોને તેમના મત વિસ્તાર માટે અપાતી 1.5 કરોડની વાર્ષિક ગ્રાન્ટ ફરી શરૂ કરાશે એવો પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગાંધીનગર-કોબા-એરપોર્ટ રોડ પર રાજસ્થાન સર્કલ પર 136 કરોડના ખર્ચે કેબલ સ્ટેડ બ્રિજ અને રક્ષા શક્તિ સર્કલ પર 50 કરોડના ખર્ચે ફ્લાયઓવરનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના 41 શહેરોમાં ૬૦૦૦થી વધુ સીસીટીવી કેમેરા લગાવવા માટે 90 કરોડ અને ઈ ગુજકોપ પ્રોજેક્ટ માટે છત્રીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર માં મેટ્રો લાઈટ- મેટ્રો નિઓ જેવી નવી મેટ્રો સેવા માટે સરકારનું આયોજન. અમદાવાદ, ગાંધીનગર, સુરત મેટ્રો રેલ માટે રૂ 568 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી.વધુ વાંચો -
સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ યોજના માટે બજેટમાં કેટલી જોગવાઈ થઈ
- 03, માર્ચ 2021 01:08 PM
- 8620 comments
- 3508 Views
ગાંધીનગર-રાજ્યમાં શિક્ષણ સેવાઓના વિકાસ માટે નાણાંમંત્રી દ્વારા કેટલીક ખાસ જોગવાઈઓ કરવામાં આવી હતી. આ પૈકી રાજ્યમાં અનુસૂચિત જાતિની 28 અને વિકસિત જાતિ ની 33 આદર્શ નિવાસી શાળાઓમાં ઈ લર્નિંગ પ્રોજેક્ટ શરૂ કરવા માટે ત્રણ કરોડ. અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ત્રણ નવા સરકારી છાત્રાલયના બાંધકામ માટે ત્રણ કરોડની જોગવાઈ. ગાંધીનગર ખાતે કન્યાઓ માટે અદ્યતન સુવિધા સાથેના સમસ્ત છાત્રાલયના મકાનના બાંધકામ માટે એક કરોડની જોગવાઈનો તેમજ ઐતિહાસિક મહત્વ ધરાવતી રાજ્યની જૂની શાળાઓ માટે હેરિટેજ સ્કૂલ તરીકે નવનીકરણ કરવા માટે ૨૫ કરોડની જોગવાઈ. રાજ્યની વિવિધ યુનિવર્સિટી ખાતે પીએચડી માટે સંશોધન કરતા વિદ્યાર્થીઓ માટે યોજના અંતર્ગત ૨૦ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓના સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ યોજના માટે ૧૪ લાખ વિદ્યાર્થીઓ માટે ૨૦ કરોડની જોગવાઈ. શિક્ષણની વ્યવસ્થા અને ઓનલાઈન ડિસ્ટન્સ લર્નિંગ સુવિધા પૂરી પાડવા માટે ૨૦ કરોડની જોગવાઈ. સંસ્કૃત ભાષાના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે શ્રેષ્ઠ આચાર્યો તૈયાર કરવા હેતુથી 37 સંસ્કૃત પાઠ શાળાઓમાં મિશન ગુરુકુળ યોજના અંતર્ગત ૧૦ કરોડની જોગવાઈનો સમાવેશ થાય છે. નવી શિક્ષણ નીતિ 20 20 અનુસાર પૂર્વ પ્રાથમિક શિક્ષણ દૂર કરવા અને આંગણવાડીમાં અભ્યાસ અર્થે આવતા ૧૬ લાખથી વધુ બાળકોના વિકાસ માટે પા પા પગલી યોજનાનું આયોજન કરાયું. જેના માટે પાંચ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.વધુ વાંચો -
જૂઓ પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે બજેટમાં કેવી ફાળવણી કરવામાં આવી
- 03, માર્ચ 2021 12:56 PM
- 3902 comments
- 6977 Views
ગાંધીનગર-રાજ્યમાં પોતાનું નવમું બજેટ રજૂ કરતાં નાણાંમંત્રી નીતિન પટેલે આવશ્યક એવા તમામ સેક્ટરોને માટે નાણાંકીય જોગવાઈઓનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે ગુજરાતનું આજદીન સુધીનું અને 2,87,029 કરોડનું સૌથી મોટું બજેટ રજૂ કર્યું.પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના રાજ્ય સરકારના ધ્યેયને પાર પાડવા માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી હતી. આ માટે નાણાંમંત્રીએ જાહેરાત કરી હતી કે 488 કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે. કેવડિયાની આસપાસના 50 કિ.મીમાં કમલમ ફ્રૂટના બે લાખના વાવેતર માટે 15 કરોડની જોગવાઈ કરવામાં આવી છે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા વિશ્વભરમાં પ્રસિદ્ધિ પામેલા કેવડિયા ખાતેના આદિવાસી સંસ્કૃતિ કલા અને લોકસાહિત્યના પ્રસાર કરવા માટે રાજ્યમાં પ્રથમ વખત સરકારની સહાયથી કોમ્યુનિટી રેડિયો સ્ટેશનની સ્થાપના કરવામાં આવશે.વધુ વાંચો -
બજેટમાં કયા વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા માટે નાણાંની જોગવાઈ થઈ
- 03, માર્ચ 2021 12:36 PM
- 9117 comments
- 8747 Views
ગાંધીનગર-નાણાંમંત્રી નીતિન પટેલ દ્વારા બજેટમાં એવી જોગવાઈ કરવામાં આવી હતી જેનાથી ઉચ્ચ શિક્ષણ મેળવતા ખાસ કરીને કોલેજમાં જતા વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન લેવામાં અને પ્રોજેક્ટ વર્ક કરવામાં સુવિધા રહે. આ માટે કોલેજના પહેલા વર્ષમાં વિદ્યાર્થીઓને ટેબ્લેટ- લેપટોપ આપવાની યોજના પર સરકાર વિચાર કરી રહી છે અને એ માટે રૂપિયા 200 કરોડની જોગવાઈ પણ કરી દેવાઈ છે. આ ઉપરાંત કોલેજ કે શાળાએ જવા માટે બસમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓને રાહતદરે પાસ આપવા માટે રૂપિયા 205 કરોડની ફાળવણી પણ કરવામાં આવી છે.વધુ વાંચો -
ઈકોફ્રેન્ડલી પરીવહન સેવા વધારવા માટે રાજ્યમાં આટલી નવી બસો મૂકાશે
- 03, માર્ચ 2021 12:27 PM
- 3089 comments
- 124 Views
ગાંધીનગર-રાજ્યમાં પોતાનું નવમું બજેટ રજૂ કરતાં નાણાંમંત્રી નીતિન પટેલે આવશ્યક એવા તમામ સેક્ટરોને માટે નાણાંકીય જોગવાઈઓનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે ગુજરાતનું આજદીન સુધીનું અને 2,87,029 કરોડનું સૌથી મોટું બજેટ રજૂ કર્યું. આરોગ્ય કલ્યાણ યોજનાઓ માટે 11323 કરોડ રૂપિયાની જોગવાઈ આદિવાસી પરિવાર કલ્યાણ માટે 1349 કરોડની જોગવાઈલ કરવામાં આવી હતી.રાજ્યમાં પરીવહન સેવાઓ સુધારવા માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે, જે અંતર્ગત 800 ડિલક્ષ અને 200 સ્લીપર કોચ મળી કુલ 1 હજાર નવી બસો શરૂ કરાશે. આ પૈકી 500 વોલ્વો બસો પીપીપી ધોરણે શરૂ કરાશે રૂ 270 કરોડની જોગવાઈ કરવામાં આવશે. 50 ઇલેક્ટ્રિક બસો સંચાલનમાં મૂકાશે. ઈકો ફ્રેન્ડલી 50 સીએનજી વાહનો મુકાશે, જેના માટે 30 કરોડની જોગવાઈ. ડોર ટુ ડોર કલેકશન દ્વારા ઘન કચરો એકત્રિત કરવા માટે નંબર ટ્રાન્સપોર્ટ મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અંતર્ગત ગ્રામપંચાયતોને વ્યક્તિ દીઠ માસિક ગ્રાન્ટની બે થી બમણી કરી રૂપિયા ચાર કરવાની જાહેરાત કરવામાં આવી.વધુ વાંચો -
જૂઓ બજેટમાં મધ્યાહ્ન ભોજન યોજના માટે કેટલી ફાળવણી કરાઈ
- 03, માર્ચ 2021 12:09 PM
- 6570 comments
- 7037 Views
ગાંધીનગર-રાજ્યમાં પોતાનું નવમું બજેટ રજૂ કરતાં નાણાંમંત્રી નીતિન પટેલે આવશ્યક એવા તમામ સેક્ટરોને માટે નાણાંકીય જોગવાઈઓનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે ગુજરાતનું આજદીન સુધીનું અને 2,87,029 કરોડનું સૌથી મોટું બજેટ રજૂ કર્યું. આરોગ્ય કલ્યાણ યોજનાઓ માટે 11323 કરોડ રૂપિયાની જોગવાઈ આદિવાસી પરિવાર કલ્યાણ માટે 1349 કરોડની જોગવાઈલ કરવામાં આવી હતી.નાણાપ્રધાને કહ્યું હતું કે, કોરોનાકાળ બાદ શાળાના બાળકોને શિક્ષણ મળી રહે અને તેમની તંદુરસ્તી પણ જળવાઈ રહે એ માટે ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને મધ્યાહ્ન ભોજન યોજના અંતર્ગત રૂપિયા 1044 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. તેનાથી રાજ્યના આશરે 45 લાખ જેટલા બાળકોને લાભ મળશે.વધુ વાંચો -
ડાંગ જિલ્લાને રસાયણમુક્ત જિલ્લો બનાવવા માટે બજેટમાં આવી જોગવાઈ
- 03, માર્ચ 2021 12:01 PM
- 3991 comments
- 8570 Views
ગાંધીનગર-રાજ્યમાં પોતાનું નવમું બજેટ રજૂ કરતાં નાણાંમંત્રી નીતિન પટેલે આવશ્યક એવા તમામ સેક્ટરોને માટે નાણાંકીય જોગવાઈઓનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે ગુજરાતનું આજદીન સુધીનું અને 2,87,029 કરોડનું સૌથી મોટું બજેટ રજૂ કર્યું. આરોગ્ય કલ્યાણ યોજનાઓ માટે 11323 કરોડ રૂપિયાની જોગવાઈ આદિવાસી પરિવાર કલ્યાણ માટે 1349 કરોડની જોગવાઈલ કરવામાં આવી હતી.26 સબ રજીસ્ટાર કચેરીઓને મોડલ કચેરી બનાવવા માટે ૮ કરોડની જોગવાઈ ડાંગ જિલ્લાની સંપૂર્ણ રસાયણમુક્ત મુક્ત કરતો જિલ્લો બનાવવાના ઉદ્દેશ સાથે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે પ્રથમ વર્ષે 10,000 તથા બીજા વર્ષે 6000 નાણાંકીય સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી. આ માટે ૩૨ કરોડની જોગવાઈ કરવામાં આવી કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે રૂ 7232 કરોડની જોગવાઈ અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટમાં શહેરી વિસ્તારોમાં ઓર્ગેનિક એગ્રિકલ્ચર માર્કેટ બનાવવામાં આવશે. તેના માટે ૨૦ કરોડની જોગવાઈવધુ વાંચો -
નાણાંપ્રધાને બજેટ રજૂ કરતાં પહેલા વાંચી આ કાવ્યપંક્તિ
- 03, માર્ચ 2021 11:55 AM
- 6956 comments
- 4988 Views
ગાંધીનગર-રાજ્યમાં પોતાનું નવમું બજેટ રજૂ કરતાં નાણાંમંત્રી નીતિન પટેલે આવશ્યક એવા તમામ સેક્ટરોને માટે નાણાંકીય જોગવાઈઓનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે ગુજરાતનું આજદીન સુધીનું અને 2,87,029 કરોડનું સૌથી મોટું બજેટ રજૂ કર્યું.વિધાનસભામાં બજેટ રજૂ કરતા પહેલાં પંક્તિ વાંચતા તેમણે કહ્યું હતું કે, ‘અડીખમ છે મક્કમ અમે પ્રજાનો છે સાથે અને ગુજરાતને નવી ઊંચાઈએ લઈ જવાના અમે આત્મનિર્ભર બનાવવા ભારત નો સંકલ્પ છે સૌનો સાથ સૌનો વિકાસ સાથે આગળ વધી જવાના અમે...’ ગુજરાતની જનતાએ ચૂંટણીમાં જે સહયોગ આપ્યો હતો તે બદલ ગુજરાતની જનતાને આ પંક્તિઓ તેમણે અર્પણ કરી હતી. ઋષિમુનીઓએ જે સંસ્કાર આપ્યા છે તે સૂત્રોને સાકાર કરીને ભાજપના નેતૃત્વવાળી આ સરકાર બજેટ રજૂ કરી રહી છે. આપણો દેશ કોરોનાની લડાઈ લડી રહ્યું છે. અમારી સરકારે અવિરતપણે જે કામ કર્યું છે તે અકલ્પનીય છે. તમામની સારામાં સારી સેવા આપવા અમારી સરકારે, અમારા આરોગ્ય વિભાગ, કર્મચારીઓના સહયોગથી સારુ કામ થયું છે એમ તેમણે કહ્યું હતું.વધુ વાંચો
ફોટો
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ