બજેટ ૨૦૨૧-૨૨ સમાચાર
-
આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ-ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાશે
- 25, જાન્યુઆરી 2022 01:15 AM
- 1222 comments
- 3418 Views
વડોદરા, તા.૨૪વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના મેયરના અધ્યક્ષ સ્થાને નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના સભાખંડમાં યોજાશે. તયારે આ બંને પદ કોને મૂકવામાં આવે છે તેની અટકળો શરૂ થઈ છે. જાે કે દાવેદારોએ તેમના ગોડ ફાધરોને મળીને પદ મેળવવા એડી ચોટીનું જાેર લગાવ્યું હતું. ત્યારે આવતીકાલે કોને અધ્યક્ષ-ઉપાધ્યક્ષ બનાવાય છે તેની સ્પષ્ટતા થશે. વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ૧૨ ચૂંટાયેલા સભ્યો જયારે એક સરકારી અને બે બિન સરકારી મળીને ૧૫ સભય છે. આવતીકાલે સવારે ૧૧ વાગે શિક્ષણ સમિતીના સભાગૃહમાં નવા અધ્યક્ષ-ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાશે. શહેર ભાજપ સંગઠનની અન્ય પ્રશ્નોની ચર્ચા કરવા માટે મીટીંગ મળી હતી. ત્યારે શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને .પાધ્યક્ષના વરણી સંદર્ભે પણ ચર્ચા વિચારણા કરાઈ હતી અને ૧૪માંંથી કોઈની પણ પસંદગી કરવા પ્રદેશને જણાવાયુ હોવાનું જાણવા મળે છે. પ્રદેશમાંથી આ બંને હોદ્દાના નામ પર મહોર મારીને બંધ કવરમાં મેન્ડેટ મોકલાશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષઢઉપાધ્યના હોદ્દાની મુદત અઢી-અઢી વર્ષની છે. ગત ટર્મમાં વર્ષ ૨૦૧૬માં આ નિયમ અમલી બનાવાયો છે. ત્યાં સુધી સમિતિના અધ્યક્ષ -ઉપાધ્યક્ષની મુદત પાંચ-પાંચ વર્ષની હતી. આવતીકાલે મેયરની અધ્યક્ષતામાં સમિતિના અધ્યક્ષની ચૂંટણી યોજાશે. જાે કે ભાજપા વર્તુળોમાં નગર પ્રાથમીક શિક્ષણ સમિતિમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષપદે ડો.હેમાંગી જાેષી, શમિષ્ઠાબેન સોલંકી, કિરણ સાળુંકે, રીટાબેન માંજરાવાલા અને ભરત ગજજરના નામો ચર્ચામાં હોવાનું જાણવા મળે છે.વધુ વાંચો -
ધારાસભ્યોના નિવાસ માટે નીતિન પટેલે બજેટમાં કઈ જાહેરાત કરી
- 03, માર્ચ 2021 01:19 PM
- 8131 comments
- 353 Views
ગાંધીનગર-રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ધારાસભ્યો માટે નવું સદસ્ય નિવાસ સંકુલ બનાવવાના પ્રસ્તાવને મંજૂરી અપાશે. ધારાસભ્યોને તેમના મત વિસ્તાર માટે અપાતી 1.5 કરોડની વાર્ષિક ગ્રાન્ટ ફરી શરૂ કરાશે એવો પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગાંધીનગર-કોબા-એરપોર્ટ રોડ પર રાજસ્થાન સર્કલ પર 136 કરોડના ખર્ચે કેબલ સ્ટેડ બ્રિજ અને રક્ષા શક્તિ સર્કલ પર 50 કરોડના ખર્ચે ફ્લાયઓવરનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના 41 શહેરોમાં ૬૦૦૦થી વધુ સીસીટીવી કેમેરા લગાવવા માટે 90 કરોડ અને ઈ ગુજકોપ પ્રોજેક્ટ માટે છત્રીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર માં મેટ્રો લાઈટ- મેટ્રો નિઓ જેવી નવી મેટ્રો સેવા માટે સરકારનું આયોજન. અમદાવાદ, ગાંધીનગર, સુરત મેટ્રો રેલ માટે રૂ 568 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી.વધુ વાંચો -
સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ યોજના માટે બજેટમાં કેટલી જોગવાઈ થઈ
- 03, માર્ચ 2021 01:08 PM
- 9029 comments
- 1621 Views
ગાંધીનગર-રાજ્યમાં શિક્ષણ સેવાઓના વિકાસ માટે નાણાંમંત્રી દ્વારા કેટલીક ખાસ જોગવાઈઓ કરવામાં આવી હતી. આ પૈકી રાજ્યમાં અનુસૂચિત જાતિની 28 અને વિકસિત જાતિ ની 33 આદર્શ નિવાસી શાળાઓમાં ઈ લર્નિંગ પ્રોજેક્ટ શરૂ કરવા માટે ત્રણ કરોડ. અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ત્રણ નવા સરકારી છાત્રાલયના બાંધકામ માટે ત્રણ કરોડની જોગવાઈ. ગાંધીનગર ખાતે કન્યાઓ માટે અદ્યતન સુવિધા સાથેના સમસ્ત છાત્રાલયના મકાનના બાંધકામ માટે એક કરોડની જોગવાઈનો તેમજ ઐતિહાસિક મહત્વ ધરાવતી રાજ્યની જૂની શાળાઓ માટે હેરિટેજ સ્કૂલ તરીકે નવનીકરણ કરવા માટે ૨૫ કરોડની જોગવાઈ. રાજ્યની વિવિધ યુનિવર્સિટી ખાતે પીએચડી માટે સંશોધન કરતા વિદ્યાર્થીઓ માટે યોજના અંતર્ગત ૨૦ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓના સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ યોજના માટે ૧૪ લાખ વિદ્યાર્થીઓ માટે ૨૦ કરોડની જોગવાઈ. શિક્ષણની વ્યવસ્થા અને ઓનલાઈન ડિસ્ટન્સ લર્નિંગ સુવિધા પૂરી પાડવા માટે ૨૦ કરોડની જોગવાઈ. સંસ્કૃત ભાષાના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે શ્રેષ્ઠ આચાર્યો તૈયાર કરવા હેતુથી 37 સંસ્કૃત પાઠ શાળાઓમાં મિશન ગુરુકુળ યોજના અંતર્ગત ૧૦ કરોડની જોગવાઈનો સમાવેશ થાય છે. નવી શિક્ષણ નીતિ 20 20 અનુસાર પૂર્વ પ્રાથમિક શિક્ષણ દૂર કરવા અને આંગણવાડીમાં અભ્યાસ અર્થે આવતા ૧૬ લાખથી વધુ બાળકોના વિકાસ માટે પા પા પગલી યોજનાનું આયોજન કરાયું. જેના માટે પાંચ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.વધુ વાંચો -
જૂઓ પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે બજેટમાં કેવી ફાળવણી કરવામાં આવી
- 03, માર્ચ 2021 12:56 PM
- 3320 comments
- 8507 Views
ગાંધીનગર-રાજ્યમાં પોતાનું નવમું બજેટ રજૂ કરતાં નાણાંમંત્રી નીતિન પટેલે આવશ્યક એવા તમામ સેક્ટરોને માટે નાણાંકીય જોગવાઈઓનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે ગુજરાતનું આજદીન સુધીનું અને 2,87,029 કરોડનું સૌથી મોટું બજેટ રજૂ કર્યું.પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના રાજ્ય સરકારના ધ્યેયને પાર પાડવા માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી હતી. આ માટે નાણાંમંત્રીએ જાહેરાત કરી હતી કે 488 કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે. કેવડિયાની આસપાસના 50 કિ.મીમાં કમલમ ફ્રૂટના બે લાખના વાવેતર માટે 15 કરોડની જોગવાઈ કરવામાં આવી છે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા વિશ્વભરમાં પ્રસિદ્ધિ પામેલા કેવડિયા ખાતેના આદિવાસી સંસ્કૃતિ કલા અને લોકસાહિત્યના પ્રસાર કરવા માટે રાજ્યમાં પ્રથમ વખત સરકારની સહાયથી કોમ્યુનિટી રેડિયો સ્ટેશનની સ્થાપના કરવામાં આવશે.વધુ વાંચો -
બજેટમાં કયા વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા માટે નાણાંની જોગવાઈ થઈ
- 03, માર્ચ 2021 12:36 PM
- 7099 comments
- 1297 Views
ગાંધીનગર-નાણાંમંત્રી નીતિન પટેલ દ્વારા બજેટમાં એવી જોગવાઈ કરવામાં આવી હતી જેનાથી ઉચ્ચ શિક્ષણ મેળવતા ખાસ કરીને કોલેજમાં જતા વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન લેવામાં અને પ્રોજેક્ટ વર્ક કરવામાં સુવિધા રહે. આ માટે કોલેજના પહેલા વર્ષમાં વિદ્યાર્થીઓને ટેબ્લેટ- લેપટોપ આપવાની યોજના પર સરકાર વિચાર કરી રહી છે અને એ માટે રૂપિયા 200 કરોડની જોગવાઈ પણ કરી દેવાઈ છે. આ ઉપરાંત કોલેજ કે શાળાએ જવા માટે બસમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓને રાહતદરે પાસ આપવા માટે રૂપિયા 205 કરોડની ફાળવણી પણ કરવામાં આવી છે.વધુ વાંચો -
ઈકોફ્રેન્ડલી પરીવહન સેવા વધારવા માટે રાજ્યમાં આટલી નવી બસો મૂકાશે
- 03, માર્ચ 2021 12:27 PM
- 4998 comments
- 1710 Views
ગાંધીનગર-રાજ્યમાં પોતાનું નવમું બજેટ રજૂ કરતાં નાણાંમંત્રી નીતિન પટેલે આવશ્યક એવા તમામ સેક્ટરોને માટે નાણાંકીય જોગવાઈઓનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે ગુજરાતનું આજદીન સુધીનું અને 2,87,029 કરોડનું સૌથી મોટું બજેટ રજૂ કર્યું. આરોગ્ય કલ્યાણ યોજનાઓ માટે 11323 કરોડ રૂપિયાની જોગવાઈ આદિવાસી પરિવાર કલ્યાણ માટે 1349 કરોડની જોગવાઈલ કરવામાં આવી હતી.રાજ્યમાં પરીવહન સેવાઓ સુધારવા માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે, જે અંતર્ગત 800 ડિલક્ષ અને 200 સ્લીપર કોચ મળી કુલ 1 હજાર નવી બસો શરૂ કરાશે. આ પૈકી 500 વોલ્વો બસો પીપીપી ધોરણે શરૂ કરાશે રૂ 270 કરોડની જોગવાઈ કરવામાં આવશે. 50 ઇલેક્ટ્રિક બસો સંચાલનમાં મૂકાશે. ઈકો ફ્રેન્ડલી 50 સીએનજી વાહનો મુકાશે, જેના માટે 30 કરોડની જોગવાઈ. ડોર ટુ ડોર કલેકશન દ્વારા ઘન કચરો એકત્રિત કરવા માટે નંબર ટ્રાન્સપોર્ટ મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અંતર્ગત ગ્રામપંચાયતોને વ્યક્તિ દીઠ માસિક ગ્રાન્ટની બે થી બમણી કરી રૂપિયા ચાર કરવાની જાહેરાત કરવામાં આવી.વધુ વાંચો -
જૂઓ બજેટમાં મધ્યાહ્ન ભોજન યોજના માટે કેટલી ફાળવણી કરાઈ
- 03, માર્ચ 2021 12:09 PM
- 1667 comments
- 8956 Views
ગાંધીનગર-રાજ્યમાં પોતાનું નવમું બજેટ રજૂ કરતાં નાણાંમંત્રી નીતિન પટેલે આવશ્યક એવા તમામ સેક્ટરોને માટે નાણાંકીય જોગવાઈઓનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે ગુજરાતનું આજદીન સુધીનું અને 2,87,029 કરોડનું સૌથી મોટું બજેટ રજૂ કર્યું. આરોગ્ય કલ્યાણ યોજનાઓ માટે 11323 કરોડ રૂપિયાની જોગવાઈ આદિવાસી પરિવાર કલ્યાણ માટે 1349 કરોડની જોગવાઈલ કરવામાં આવી હતી.નાણાપ્રધાને કહ્યું હતું કે, કોરોનાકાળ બાદ શાળાના બાળકોને શિક્ષણ મળી રહે અને તેમની તંદુરસ્તી પણ જળવાઈ રહે એ માટે ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને મધ્યાહ્ન ભોજન યોજના અંતર્ગત રૂપિયા 1044 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. તેનાથી રાજ્યના આશરે 45 લાખ જેટલા બાળકોને લાભ મળશે.વધુ વાંચો -
ડાંગ જિલ્લાને રસાયણમુક્ત જિલ્લો બનાવવા માટે બજેટમાં આવી જોગવાઈ
- 03, માર્ચ 2021 12:01 PM
- 5583 comments
- 9342 Views
ગાંધીનગર-રાજ્યમાં પોતાનું નવમું બજેટ રજૂ કરતાં નાણાંમંત્રી નીતિન પટેલે આવશ્યક એવા તમામ સેક્ટરોને માટે નાણાંકીય જોગવાઈઓનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે ગુજરાતનું આજદીન સુધીનું અને 2,87,029 કરોડનું સૌથી મોટું બજેટ રજૂ કર્યું. આરોગ્ય કલ્યાણ યોજનાઓ માટે 11323 કરોડ રૂપિયાની જોગવાઈ આદિવાસી પરિવાર કલ્યાણ માટે 1349 કરોડની જોગવાઈલ કરવામાં આવી હતી.26 સબ રજીસ્ટાર કચેરીઓને મોડલ કચેરી બનાવવા માટે ૮ કરોડની જોગવાઈ ડાંગ જિલ્લાની સંપૂર્ણ રસાયણમુક્ત મુક્ત કરતો જિલ્લો બનાવવાના ઉદ્દેશ સાથે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે પ્રથમ વર્ષે 10,000 તથા બીજા વર્ષે 6000 નાણાંકીય સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી. આ માટે ૩૨ કરોડની જોગવાઈ કરવામાં આવી કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે રૂ 7232 કરોડની જોગવાઈ અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટમાં શહેરી વિસ્તારોમાં ઓર્ગેનિક એગ્રિકલ્ચર માર્કેટ બનાવવામાં આવશે. તેના માટે ૨૦ કરોડની જોગવાઈવધુ વાંચો -
નાણાંપ્રધાને બજેટ રજૂ કરતાં પહેલા વાંચી આ કાવ્યપંક્તિ
- 03, માર્ચ 2021 11:55 AM
- 641 comments
- 3383 Views
ગાંધીનગર-રાજ્યમાં પોતાનું નવમું બજેટ રજૂ કરતાં નાણાંમંત્રી નીતિન પટેલે આવશ્યક એવા તમામ સેક્ટરોને માટે નાણાંકીય જોગવાઈઓનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે ગુજરાતનું આજદીન સુધીનું અને 2,87,029 કરોડનું સૌથી મોટું બજેટ રજૂ કર્યું.વિધાનસભામાં બજેટ રજૂ કરતા પહેલાં પંક્તિ વાંચતા તેમણે કહ્યું હતું કે, ‘અડીખમ છે મક્કમ અમે પ્રજાનો છે સાથે અને ગુજરાતને નવી ઊંચાઈએ લઈ જવાના અમે આત્મનિર્ભર બનાવવા ભારત નો સંકલ્પ છે સૌનો સાથ સૌનો વિકાસ સાથે આગળ વધી જવાના અમે...’ ગુજરાતની જનતાએ ચૂંટણીમાં જે સહયોગ આપ્યો હતો તે બદલ ગુજરાતની જનતાને આ પંક્તિઓ તેમણે અર્પણ કરી હતી. ઋષિમુનીઓએ જે સંસ્કાર આપ્યા છે તે સૂત્રોને સાકાર કરીને ભાજપના નેતૃત્વવાળી આ સરકાર બજેટ રજૂ કરી રહી છે. આપણો દેશ કોરોનાની લડાઈ લડી રહ્યું છે. અમારી સરકારે અવિરતપણે જે કામ કર્યું છે તે અકલ્પનીય છે. તમામની સારામાં સારી સેવા આપવા અમારી સરકારે, અમારા આરોગ્ય વિભાગ, કર્મચારીઓના સહયોગથી સારુ કામ થયું છે એમ તેમણે કહ્યું હતું.વધુ વાંચો -
બજેટમાં બુલેટ ટ્રેન માટે કેટલા નાણાંની ફાળવણી થઈ, જૂઓ અહીં
- 03, માર્ચ 2021 11:50 AM
- 3231 comments
- 9726 Views
ગાંધીનગર-રાજ્યમાં પોતાનું નવમું બજેટ રજૂ કરતાં નાણાંમંત્રી નીતિન પટેલે આવશ્યક એવા તમામ સેક્ટરોને માટે નાણાંકીય જોગવાઈઓનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે ગુજરાતનું આજદીન સુધીનું અને 2,87,029 કરોડનું સૌથી મોટું બજેટ રજૂ કર્યું. આરોગ્ય કલ્યાણ યોજનાઓ માટે 11323 કરોડ રૂપિયાની જોગવાઈ આદિવાસી પરિવાર કલ્યાણ માટે 1349 કરોડની જોગવાઈલ કરવામાં આવી હતી. પોલીસ પેટ્રોલિંગ વ્યવસ્થા સુધારવા આધુનિક પ્રકારના 876 વાહનો ખરીદવામાં આવશે. મહેસૂલ વિભાગ માટે 4548 કરોડની જોગવાઈ રાજ્યના યાત્રાધામોના વિકાસ માટે બાગાયતી યોજનાઓ માટે શહેરોમાં નવા મકાનો માટે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે 1500 કરોડ બંદરો અને વાહન વ્યવહાર માટે 1498 કરોડની ફાળવણીવધુ વાંચો -
રાજ્યના આજદીન સુધીના સૌથી મોટા બજેટમાં જૂઓ આરોગ્યલક્ષી જોગવાઈ કેટલી થઈ
- 03, માર્ચ 2021 11:24 AM
- 6646 comments
- 8759 Views
ગાંધીનગર-રાજ્યમાં પોતાનું નવમું બજેટ રજૂ કરતાં નાણાંમંત્રી નીતિન પટેલે આવશ્યક એવા તમામ સેક્ટરોને માટે નાણાંકીય જોગવાઈઓનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે ગુજરાતનું આજદીન સુધીનું અને 2,87,029 કરોડનું સૌથી મોટું બજેટ રજૂ કર્યું. આરોગ્ય કલ્યાણ યોજનાઓ માટે 11323 કરોડ રૂપિયાની જોગવાઈ આદિવાસી પરિવાર કલ્યાણ માટે 1349 કરોડની જોગવાઈલ કરવામાં આવી હતી. નવી સિવિલ હોસ્પિટલ અપગ્રેડ કરાશે આરોગ્ય સુવિધા માટે 87 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. મહિલા બાળવિકાસ માટે 3511 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. સામાજીક ન્યાય અધિકારીતા માટે 4353 કરોડ રૂપિયાની જોગવાઈ જ્યારે કૃષિ અને સહકાર માટે 7232 કરોડની જોગવાઈ કરાઈ હતી. કામધેનુ યુનિવર્સિટિ માટે 137 કરોડની જોગવાઈ, પાણી પૂરવઠા વિભાગ માટે કૃષિબજાર વ્યવસ્થા માટે શિક્ષણ વિભાગ માટે 32719 કરોડની જોગવાઈ નિરાધાર વૃદ્ધ પેન્શન માટે 1032 કરોડની જોગવાઈ કરાઈ હતી જ્યારે કૃષિ યુનિવર્સિટી માટે 698 કરોડની જોગવાઈ કરાઈ હતી.વધુ વાંચો -
બજેટ પહેલા નીતિન પટેલનો ભરોસો, જૂઓ શું કહ્યું
- 03, માર્ચ 2021 09:46 AM
- 127 comments
- 2255 Views
ગાંધીનગર-રાજ્યનું બજેટ રજૂ કરતા પહેલા નાણામંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાતની પ્રજાને ભરોસો આપ્યો હતો કે બજેટ તેમના વિશ્વાસ પર ખરૂં ઉતરશે. તેમણે કહ્યું હતું કે, કોરોના મહામારીને પગલે રાજ્યના અર્થતંત્રને ભારે અસર થઈ છે અને લોકોને પણ અસર થઈ છે. તેમણે ખાસ કરીને આરોગ્ય અને શિક્ષણ વ્યવસ્થા જેવી જોગવાઈઓ બાબતે કહ્યું હતું કે, તેમાં એવા પ્રકારના ફેરફારો કરવામાં આવશે જેથી પ્રજાને રાહત મળે અને સાથે જ વિકાસની રફતાર પણ ધીમી પડે નહીં.તેમણે કહ્યું હતું કે, બજેટમાં એવી જોગવાઈ કરવામાં આવશે જેથી ઉદ્યોગ-ધંધાનો વિકાસ થાય રોજગારીની તકો ઊભી થાય અને વિકાસદર જળવાઈ રહે. નાણામંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બજેટની જોગવાઈઓ એકંદરે રાજ્યના લોકોને માટે રાહત આપનારી અને વિકાસની જરૂરતોને પૂરી કરનારી રહેશે.વધુ વાંચો -
નીતિન પટેલનું નવમું, સૌથી વધારે બજેટ રજૂ કરવાનો રેકોર્ડ કોનો
- 03, માર્ચ 2021 09:31 AM
- 9048 comments
- 5179 Views
ગાંધીનગર-નાણામંત્રી નીતિન પટેલ આજે ગુજરાત વિધાનસભામાં 9મી વાર બજેટ રજૂ કરવાના છે. બજેટમાં આરોગ્ય પર ભાર મૂકવામાં આવશે એમ મનાય છે, અને તે માટેની આરોગ્યની માળખાકીય સુવિધાઓ ઉભી કરવા પર ભાર આપવામાં આવશે. નાના-મધ્યમ ઉદ્યોગો અને આત્મનિર્ભર ભારત પર પણ બજેટમાં ભાર મૂકવામાં આવશે. કોરોનાકાળમાં શિક્ષણ અને આરોગ્ય વ્યવસ્થા એમ બંન્ને કથળી ગયા છે, તેને પણ ધ્યાનમાં લેવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવનાર ભાજપ સરકાર પ્રજાને ભેટ આપશે એમ મનાય છે. નીતિન પટેલે રજૂ થનાર બજેટને ગુજરાતનો સર્વાંગી વિકાસ કરે એવા પ્રકારનું ગણાવ્યું. ગુજરાતના દરેક નાગરિકને બજેટથી સંતોષ થશે, તે પ્રકારનું બજેટ હશે તેવો વિશ્વાસ નાણામંત્રી નીતિન પટેલે વ્યકત કર્યો હતો. નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, વિશેષ પ્રજાલક્ષી કામો, સુવિધાઓ મળતી રહે તે માટેનું બજેટમાં ધ્યાન રાખવામાં આવશે.રાજ્ય વિધાનસભામાં બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે સૌથી વધુવાર કોણે બજેટ રજૂ કર્યું એ જાણવું રસપ્રદ બનતું હોય છે. ગુજરાતમાં 76 બજેટ રજૂ થયાં છે અને વર્ષ 2021-22નું બજેટ 77મુું બજેટ છે. આટલા 77 બજેટો પૈકી 18 બજેટ નાણામંત્રી તરીકે વજુભાઈ વાળાએ રજૂ કર્યાં છે જે એમના નામે રેકોર્ડ છે. યાદ રહે કે, વજુભાઈ હાલ કર્ણાટકના રાજ્યપાલ છે. ગુજરાત વિધાનસભામાં વજુભાઈ તેમની રમૂજવૃત્તિ માટે જાણીતા હતા અને જ્યારે તેઓ કાઠિયાવાડી શૈલીમાં બજેટ રજૂ કરતાં તો આખો માહોલ હળવો થઈ જતો અને વિપક્ષના નેતાઓ પણ એની મજા લેતા હતા.વધુ વાંચો -
115 કરોડના પહેલા બજેટ કરતાં 77મું બજેટ કેટલા ગણું, વાંચો રસપ્રદ વિગતો
- 03, માર્ચ 2021 09:21 AM
- 4693 comments
- 9283 Views
ગાંધીનગર-ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી નીતિન પટેલ આજે 9મી વાર બજેટ રજૂ કરવાના છે. એમ મનાય છે કે, બજેટમાં આરોગ્ય પર ભાર મૂકવામાં આવશે અને તે માટેની આરોગ્યની માળખાકીય સુવિધાઓ ઉભી કરવા પર ભાર આપવામાં આવશે. નાના-મધ્યમ ઉદ્યોગો અને આત્મનિર્ભર ભારત પર પણ બજેટમાં ભાર મૂકવામાં આવશે. કોરોનાકાળમાં શિક્ષણ અને આરોગ્ય વ્યવસ્થા એમ બંન્ને કથળી ગયા છે, તેને પણ ધ્યાનમાં લેવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવનાર ભાજપ સરકાર પ્રજાને ભેટ આપશે એમ મનાય છે. નીતિન પટેલે રજૂ થનાર બજેટને ગુજરાતનો સર્વાંગી વિકાસ કરે એવા પ્રકારનું ગણાવ્યું. ગુજરાતના દરેક નાગરિકને બજેટથી સંતોષ થશે, તે પ્રકારનું બજેટ હશે તેવો વિશ્વાસ નાણામંત્રી નીતિન પટેલે વ્યકત કર્યો હતો. નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, વિશેષ પ્રજાલક્ષી કામો, સુવિધાઓ મળતી રહે તે માટેનું બજેટમાં ધ્યાન રાખવામાં આવશે.રાજ્યનું પહેલું બજેટ 22 સપ્ટેમ્બર 1960ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. સરકારી આંકડાઓમાં મળતી માહિતી મુજબ, રાજ્યના પહેલા બજેટનું કદ રૂ. 114.92 કરોડ (રૂ. 1,14,92,86,000) અને 26 ફેબ્રુઆરી 2020માં રજૂ થયેલા બજેટનું કદ રૂ. 2.17 લાખ કરોડ (રૂ. 2,17,287 કરોડ) હતું. ટકાવારીની રીતે જોઈએ તો 60 વર્ષમાં અંદાજપત્રનું કદ 1.89 લાખ ટકા વધ્યું છે.વધુ વાંચો -
તમારા પીએફના વ્યાજ પર સરકારની નજર, વધુ યોગદાન પર ટેક્સ
- 02, ફેબ્રુઆરી 2021 01:36 PM
- 3563 comments
- 5836 Views
દિલ્હી-જે લોકોએ પીએફમાં 2.5 લાખ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું છે તેમને આ બજેટમાં એક આંચકો મળ્યો છે. હકીકતમાં, નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે બજેટમાં જાહેરાત કરી હતી કે, પીએફ ફાળો ફાળવવામાં આવતા નાણાકીય વર્ષમાં અ 2.5 લાખ રૂપિયાથી વધુ ફાળો આપનારા કર્મચારીઓને વેરો ભરવાનો રહેશે. આ લોકો પીએફથી મળેલા વ્યાજ પર કર મુક્તિનો દાવો કરી શકશે નહીં. બજેટની આ જોગવાઈ 1 એપ્રિલથી લાગુ થશે.બજેટમાં એવું કહેવામાં આવ્યું છે કે જે લોકોના પી.એફ.માં વાર્ષિક ફાળો નાણાકીય વર્ષમાં અઢી લાખ રૂપિયાથી વધુ છે, તેઓને તેના વ્યાજ પર ટેક્સ છૂટ નહીં મળે. સીતારામને કહ્યું કે, કર મુક્તિને લોજિકલ બનાવવા માટે, ઉચ્ચ આવકવાળા કર્મચારીઓના સંબંધમાં કરવામાં આવ્યું છે. હાલમાં પી.એફ.ના યોગદાન પર મળતા વ્યાજ પર કોઈ પણ પ્રકારનો આવકવેરો નથી. સીતારમણે કહ્યું કે સામાન્ય કર્મચારીઓને આની અસર થશે નહીં, જે પીએફના વ્યાજ પર ટેક્સ છૂટ સાથે 8 ટકા વળતર મેળવી રહ્યા છે.નાણામંત્રી નિર્મલા સીતારામણે બજેટ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, જો કોઈ વ્યક્તિની કરોડો રૂપિયાની આવક હોય અને તેને પીએફમાં મૂકી દે તો તેની કમાણી કેટલી હશે તેની કલ્પના કરો. તેથી, તેના દુરૂપયોગને રોકવા માટે આ મર્યાદા લાદવામાં આવી છે. ખર્ચ સચિવ ટીવી સોમનાથને જણાવ્યું હતું કે દર વર્ષે ઇપીએફઓમાં 2.5 લાખ રૂપિયાથી વધુ ફાળો આપનારા લોકોની સંખ્યા એક ટકા કરતા ઓછી હશે. ડેલોઇટ ઈન્ડિયાના ભાગીદાર આલોક અગ્રવાલ કહે છે કે વર્ષ 2020 માં પણ પીએફ, એનપીએસ અને સુપર નવીકરણ ભંડોળના કર્મચારીઓને આપવામાં આવતી કર મુક્તિ 7.5 લાખ રૂપિયા સુધી મર્યાદિત હતી. આ વખતે તેનો અવકાશ વધારવામાં આવ્યો છે.વધુ વાંચો -
અમિત શાહે બજેટને 'આત્મનિર્ભર ભારત'ના માર્ગદર્શક તરીકે વર્ણવ્યું
- 01, ફેબ્રુઆરી 2021 07:28 PM
- 1053 comments
- 4685 Views
દિલ્હી-કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે 'આત્મનિર્ભર ભારત'ના માર્ગદર્શક તરીકે આવતા નાણાકીય વર્ષનું બજેટ વર્ણવ્યું અને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બનાવવા અને ખેડુતોની આવક બમણી કરવાના પ્રયાસો કરશે. શાહે હિન્દીમાં એક પછી એક ટ્વીટ કરીને બજેટની પ્રશંસા કરી. નાણામંત્રી નિર્મલા સીતારામને સોમવારે સંસદમાં આગામી નાણાં માટેનું બજેટ રજૂ કર્યું હતું.શાહ દ્વારા કોરોના વાયરસના રોગચાળા વચ્ચે વડા પ્રધાનના માર્ગદર્શન હેઠળ એક "સર્વ-સમાવી બજેટ" તૈયાર કરાયું હતું. તેમણે કહ્યું, "કોરોના રોગચાળામાં, આ વર્ષનું બજેટ ચોક્કસપણે એક જટિલ કાર્ય હતું. પરંતુ વડા પ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે સર્વગ્રાહી બજેટ રજૂ કર્યું છે. આ સ્વનિર્ભર ભારત, 5000 અબજ ડોલરની અર્થવ્યવસ્થા, ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પનો માર્ગ મોકળો કરશે. ' વડાપ્રધાનનો આભાર માનતા તેમણે કહ્યું કે, આપણા સંવેદનશીલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રસીકરણ માટે 35,000 કરોડના ભંડોળની જાહેરાત કરી છે. આ ભારતને કોરોના મુક્ત બનાવવાના મોદીજીના સંકલ્પને દર્શાવે છે. હું આ માટે મોદીજીનો આભાર માનું છું. શાહે કહ્યું, 'વડાપ્રધાન પહેલા દિવસથી જ ખેડૂતોના કલ્યાણ માટે સમર્પિત છે. આ કડી આગળ ધરીને, ખેડૂતોની આવક બમણી કરવાના વિવિધ પ્રયાસો કરવામાં આવ્યા છે ... દોઢ ગણા કિંમતના ન્યૂનતમ ટેકાના ભાવ (એમએસપી) ની ખાતરી કરવી એ મોદી સરકારની કટિબદ્ધતા દર્શાવે છે.તેમણે કહ્યું, 'મોદી સરકારે દેશના ખેડુતોને સરળ ધિરાણ આપવા માટે આ વર્ષના બજેટમાં 16.5 લાખ કરોડની જોગવાઈ કરી છે. તેમજ 'માઇક્રો ઇરિગેશન ફંડ' બમણો કરવામાં આવ્યો છે, જે કૃષિ ક્ષેત્રને વેગ આપશે. દેશમાં પાંચ કૃષિ 'હબ્સ' પણ બનાવવામાં આવશે. "આ વર્ષે એમએસપી પર ડાંગર પાકની ખરીદી લગભગ ડબલ જથ્થામાં કરવામાં આવી છે, જેનો દેશના 1.5 કરોડ ખેડુતોને ફાયદો થયો છે," શાહે જણાવ્યું હતું. આ એમએસપી માટે વડા પ્રધાનની પ્રતિબદ્ધતા દર્શાવે છે, જે ખેડૂતોના કલ્યાણ માટે સમર્પિત છે. તેમણે કહ્યું હતું કે 'આત્મનિર્ભર ભારતનું બજેટ' હેશટેગથી આ બજેટ આત્મનિર્ભર ભારત માટેનો માર્ગ મોકળો કરશે. શાહે કહ્યું હતું કે વૈશ્વિક અર્થતંત્ર કોરોના રોગચાળા પછી પોતાને સુધારવાની તૈયારીમાં છે. તેમણે કહ્યું, "મારું માનવું છે કે આ બજેટ ભારતને વૈશ્વિક દૃશ્યમાં નિશ્ચિતપણે ઉભરવાની આ તકનો ઉપયોગ કરવામાં મદદ કરશે અને ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસિત અર્થતંત્ર બનશે." તેમણે કહ્યું હતું કે, "કોરોના રોગચાળા દરમિયાન જ ભારતમાં આરોગ્યમાં ક્વોન્ટમ લીપ આવ્યું છે. આ બજેટમાં, 'વડા પ્રધાન સ્વનિર્ભર સ્વાસ્થ્યપ્રદ ભારત' યોજનાને 64,180 કરોડના રોકાણ સાથે લાવવામાં આવી છે, જે આરોગ્ય અને માળખાકીય સુવિધાઓ અને આરોગ્ય સેવાઓ ગામડે ગામડે પહોંચશે. "આત્મનિર્ભર ભારતનું લક્ષ્ય હાંસલ કરવા માટે." શાહે કહ્યું કે ભારતના ઉદ્યોગમાં પણ નોંધપાત્ર ફાળો છે. આર્થિક સુધારા તરફના બજેટમાં 5.5 લાખ કરોડ રૂપિયા મૂડી રોકાણો માટે રાખવામાં આવ્યા છે, જે ઉદ્યોગોને શક્તિ આપશે. તેમજ જાહેર ક્ષેત્રની બેંકોને 20,000 કરોડ રૂપિયા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.વધુ વાંચો -
સરકારી ભંડોળમાં ક્યાથી પૈસા આવશે અને ક્યા પૈસા વપરાશે ?
- 01, ફેબ્રુઆરી 2021 07:14 PM
- 9155 comments
- 9085 Views
દિલ્હી-આગામી નાણાકીય વર્ષ માટે રજૂ કરાયેલા બજેટ (બજેટ 2021) હેઠળ સરકાર લોન અને અન્ય જવાબદારીઓ દ્વારા મહત્તમ 36 ટકા નાણાં એકત્ર કરશે, જ્યારે મહત્તમ 20 ટકા વ્યાજ ચૂકવવા માટે ખર્ચ કરવામાં આવશે. સોમવારે પ્રસ્તુત બજેટ દસ્તાવેજમાં આ માહિતી આપવામાં આવી છે. કેન્દ્રીય અંદાજપત્ર 2021-22 ના સારાંશમાં, એવું કહેવામાં આવ્યું હતું કે જો સરકારની આવક એક રૂપિયાની ગણવામાં આવે તો મહત્તમ 36 પૈસા ઉધાર અને અન્ય જવાબદારીઓમાંથી લેવામાં આવશે.બજેટમાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) માંથી 15 પૈસા, આવકવેરાથી 14 પૈસા, કોર્પોરેશન ટેક્સમાંથી 13 પૈસા, સેન્ટ્રલ એક્સાઈઝથી આઠ પૈસા અને કસ્ટમ ડ્યુટીમાંથી ત્રણ પૈસા લેવામાં આવશે. સરકારને કરવેરા સિવાયના સ્રોતમાંથી છ પૈસા અને દેવા ઉપરાંત મૂડીની આવકમાંથી પાંચ પૈસા મળશે.તેવી જ રીતે, જો બજેટમાં સૂચિત કુલ ખર્ચને એક રૂપિયાનો ગણવામાં આવે તો, મહત્તમ 20 પૈસા વ્યાજ ચૂકવવામાં ખર્ચ કરવામાં આવશે. આ સિવાય કેન્દ્ર સરકાર રાજ્યોને કર અને ફરજોમાં તેમનો હિસ્સો પૂરો પાડવા માટે 16 પૈસા ખર્ચ કરશે. કેન્દ્રીય યોજનાઓ પર 13 પૈસા ખર્ચ થશે. તેવી જ રીતે, નાણાં પંચ અને અન્ય બદલીઓ પર સરકાર 10 પૈસા ખર્ચ કરશે.સરકાર સબસિડી આપવામાં નવ પૈસા, કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડતી યોજનાઓ પર નવ પૈસા, સંરક્ષણ ક્ષેત્ર પર આઠ પૈસા અને પેન્શનમાં પાંચ પૈસા ખર્ચ કરશે. બજેટના દરેક રૂપિયાના 10 પૈસા અન્ય વસ્તુઓ પર ખર્ચ કરવામાં આવશે.વધુ વાંચો -
અંતરિક્ષ વિભાગને 2021-22ના બજેટમાં 13,949.09 કરોડ મળ્યા
- 01, ફેબ્રુઆરી 2021 05:50 PM
- 4939 comments
- 8184 Views
દિલ્હી-બજેટમાં અંતરિક્ષ વિભાગને રૂ .13,949 કરોડ ફાળવવામાં આવ્યા છે, જેમાંથી રૂ .8,228 કરોડ મૂડી ખર્ચ માટે રાખવામાં આવ્યા છે. સ્પેસ ડિપાર્ટમેન્ટ અંતર્ગત નવા બનેલા જાહેર ક્ષેત્રના ઉપક્રમ ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ (એનએસઆઈએલ) માટે 700 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારામને સોમવારે પોતાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે, 'સ્પેસ ડિપાર્ટમેન્ટ હેઠળના PSU, ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ PSLV-CS51 લોન્ચ કરશે જે બ્રાઝિલના એમેઝોનિયા સેટેલાઇટ અને કેટલાક નાના ભારતીય ઉપગ્રહોને અવકાશમાં લઈ જશે.' 'અંતરિક્ષ વિભાગને 2021-22ના બજેટમાં 13,949.09 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જેમાંથી 8,228.63 કરોડ રૂપિયા મૂડી ખર્ચ માટે ફાળવવામાં આવ્યા છે. આ ફાળવણી 2019-20ના ફાળવણી કરતા 900 કરોડ રૂપિયા વધારે છે અને નાણાકીય વર્ષ 2020-21 માટે ફાળવણી કરતા લગભગ 4,449 કરોડ રૂપિયા વધારે છે.ગયા વર્ષે અવકાશ વિભાગ માટે રૂપિયા 13,479.47 કરોડની ફાળવણી કરવામાં આવી હતી, પરંતુ બાદમાં તેમાં સુધારો કરીને 9,500 કરોડ રૂપિયા કરવામાં આવ્યા હતા. 2019-20માં, વિભાગને 13,017.61 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા.વધુ વાંચો -
પ્રધાનમંત્રી મોદીના ડ્રિમ પ્રોજેક્ટને મળ્યા રુપિયા 1,41,678 કરોડ
- 01, ફેબ્રુઆરી 2021 05:28 PM
- 706 comments
- 8159 Views
દિલ્હી-કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આગામી પાંચ વર્ષ માટે રૂ. 1.21 લાખ કરોડની ફાળવણી 2021-22ના બજેટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ, સ્વચ્છ ભારત અભિયાન માટે કરી હતી. સોમવારે નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે પોતાના બજેટ ભાષણમાં 'અર્બન ક્લીન ઈન્ડિયા મિશન -2021' 'ની ઘોષણા કરી હતી અને તેના માટે કુલ રૂ .1,41,678 કરોડ ફાળવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.નાણાં પ્રધાનની ઘોષણા મુજબ, સ્વચ્છ ભારત મિશન અભિયાનમાં આગામી પાંચ વર્ષ માટે સરેરાશ 28,335 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે, જે ગયા વર્ષ (2020-21) (12,300 કરોડ રૂપિયા) ની બજેટ ફાળવણી કરતા બમણા છે. આ અગાઉ, 2019-20માં નાણાં પ્રધાને સ્વચ્છ ભારત માટે 12,644 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. બજેટ ભાષણમાં તેમણે કહ્યું હતું કે, "શહેરી ભારતની સ્વચ્છતા માટે અમારે સંપૂર્ણ ગટરના કાદવનું સંચાલન, કચરાના પાણીના ઉપચાર, કચરાના વિભાજન, એકલા પ્લાસ્ટિકમાં ઘટાડો, વાયુ પ્રદૂષણ ઘટાડો, બાંધકામ અને ડિમોલિશન પ્રવૃત્તિઓ અને બાયો-વેસ્ટના સંચાલનની જરૂર છે. તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. અને સરકાર આ માટે સ્વચ્છ ભારત મિશન -2021 શરૂ કરશે. "સીતારમણે કહ્યું કે હવામાં પ્રદૂષણથી છુટકારો મેળવવા માટે બજેટમાં 2,217 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ ભંડોળ દેશના તે 42 શહેરોમાં ખર્ચ કરવામાં આવશે, જ્યાં 1 મિલિયનથી વધુ લોકો વસ્તી ધરાવે છે. મોદી સરકારે સ્વચ્છ ભારત મિશન માટે 2018-19માં 15,373 કરોડ, 2017-18માં 13,948 કરોડ, 2016-17માં 10,500 કરોડ અને 2014-15માં 4260 કરોડ ફાળવ્યા હતા.વધુ વાંચો -
કેટલાકે નેતાઓએ વખાણ્યું તો કેટલાકે વખોડ્યું બજેટ 2021ને
- 01, ફેબ્રુઆરી 2021 04:49 PM
- 6692 comments
- 7706 Views
દિલ્હી-બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે સોમવારે કેન્દ્રીય બજેટ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે રોગચાળો અને મહેસૂલ વસૂલાતમાં મુશ્કેલીઓ હોવા છતાં, કોવિડ -19 એ કેન્દ્ર સરકાર દ્વારા સંતુલિત બજેટ રજૂ કર્યું, તે આવકાર્ય છે. તેમણે કહ્યું, 'સંતુલિત બજેટ રજૂ કરવા બદલ હું કેન્દ્ર સરકારને અભિનંદન આપું છું.' કેન્દ્રીય બજેટ 2021 ના સંદર્ભમાં, મુખ્યમંત્રીએ કહ્યું કે, વર્ષ 2021-22 માટે 34.8 લાખ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જે વર્ષ 2020-21ના 30.42 લાખ કરોડ રૂપિયાના અંદાજિત બજેટ ખર્ચ કરતાં વધુ છે.બહુજન સમાજ પાર્ટી (બીએસપી) ના વડા માયાવતીએ થોડા સમય પહેલા ટિ્વટ કર્યું હતું, 'સંસદમાં આજે રજૂ કરાયેલ કેન્દ્ર સરકારનું બજેટ હાલની મંદી અને વર્તમાન સમયમાં કોરોનાને કારણે ભાંગી પડેલ અર્થતંત્ર તથા આત્યંતિક ગરીબી, મોંઘાવરી, બેકારી જેવી રાષ્ટ્રની સમસ્યા દૂર કરવામાં શું સક્ષમ હશે? આ આધારે સરકારના કાર્યો અને આ બજેટને આંકવામાં આવશે.TMCના નેતાબ્રાયને પોતાની ટ્વિટમાં લખ્યું છે કે, "ભારતનું પહેલું પેપરલેસ બજેટ પણ 100 ટકા દૃષ્ટિહીન છે, આ 'બનાવટી બજેટ'નો મેઇન પોઇન્ટ ભારતને વેચવું 'છે! રેલ્વે: વેચાણ, વિમાનમથક: વેચાયેલ, બંદરો: વેચાય, વીમા: વેચાયેલી, જાહેર કંપનીઓ : 23 સેકટરનુ વેચાણ! સામાન્ય માણસ અવગણાયો. ખેડૂતની અવગણના. શ્રીમંત અને માત્ર શ્રીમંત વર્ગ માટે આ બજેટ. મધ્યમ વર્ગ માટે કંઈ નથી. ગરીબ વધુ ગરીબ બનશે.દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે સોમવારે રજૂ કરેલા કેન્દ્રીય બજેટ ની પણ ટીકા કરી છે. તેમણે આ બજેટને કેટલીક કંપનીઓ માટે ફાયદાકારક ગણાવ્યું છે. તેમણે કહ્યું કે આ બજેટથી સામાન્ય લોકોની મુશ્કેલીઓમાં વધારો થશે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું છે કે લોકકલ્યાણ, સર્વવ્યાપક અને 'આત્મનિર્ભર ભારત' ના ઉદ્દેશ અનુસાર આ બજેટની રચના કરવામાં આવી છે સંસદમાં બજેટ રજૂ થયા પછી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વિટ કર્યું હતું કે, 'સામાન્ય બજેટ લોકકલ્યાણ, સમાવિષ્ટ અને આત્મનિર્ભર ભારતના આશય અનુસાર બજેટ બન્યુ છે'. બજેટમાં ખેડુતો, મધ્યમ વર્ગ, ગરીબ, મહિલાઓ સહિતના દરેક વર્ગની કાળજી લેવામાં આવી છે. આ અર્થતંત્રને વેગ આપવા અને દેશના દરેક નાગરિકને આર્થિક સશક્તિકરણ માટે કામ કરશે.કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે આક્ષેપ કર્યો હતો કે નાણાં પ્રધાન નિર્મલા સીતારામને બજેટ રજૂ કર્યા પછી સરકારની યોજના ભારતની સંપત્તિ 'તેના મૂડીવાદી મિત્રો' ને સોંપવાની છે.ભાજપના વરિષ્ઠ નેતા અને દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે સોમવારે સંસદમાં કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરેલા કેન્દ્રીય બજેટની પ્રશંસા કરતાં તેને 'આત્મનિર્ભર ભારત' ગણાવ્યું હતું અને તે અર્થતંત્રને મજબૂત બનાવશે. શાસક ભાજપના અન્ય કેટલાક નેતાઓએ સામાન્ય બજેટની પ્રશંસા કરી, મૂડી ખર્ચ, વરિષ્ઠ નાગરિકો (75 વર્ષથી ઉપરના) માટે કર મુક્તિ અને સ્ટાર્ટ-અપ્સ માટે પ્રોત્સાહન સહિત કેટલીક અન્ય ઘોષણાઓને આવકારી છે.વધુ વાંચો -
2021 ના બજેટમાં પેટ્રોલ અને ડીઝલ પર કૃષિ સેસ લગાવવામાં આવ્યો
- 01, ફેબ્રુઆરી 2021 03:33 PM
- 9357 comments
- 1691 Views
દિલ્હી-નાણામંત્રી નિર્મલા સીતારામણે રજૂ કરેલા બજેટમાં ડીઝલ અને પેટ્રોલ ઉપર કૃષિ સેસ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પેટ્રોલ પર લિટર દીઠ રૃપિયા રૃપિયા અને ડીઝલ પર ચાર રૂપિયા પ્રતિ લીટરનો કૃષિ સેસ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જો કે, આ ઉપકર ગ્રાહકો માટે વધારાનો બોજો નહીં હોય.નાણામંત્રી નિર્મલા સીતારામણે કહ્યું હતું કે કૃષિ માળખાગત અને વિકાસનો અમલ સેસ), બેઝિક એક્સાઈઝ ડ્યુટી અને વધારાની એક્સાઈઝ ડ્યુટીનો દર ઘટાડવામાં આવ્યો છે. આને કારણે, સમગ્ર ગ્રાહક પર કૃષિ સેસનો કોઈ વધારાનો ભાર નહીં પડે.આ ઉપરાંત અનબ્રાંડેડ પેટ્રોલ (લિટર દીઠ રૂ. 1.4) અને ડીઝલ (રૂ. 1.8) પ્રતિ બેઝિક એક્સાઈઝ ડ્યૂટી આકર્ષિત કરશે. સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી (SAED) નો દર પેટ્રોલ માટે 11 રૂપિયા અને ડીઝલ માટે આઠ રૂપિયા છે. નાણાં પ્રધાને કહ્યું કે આ દર બ્રાન્ડેડ પેટ્રોલ પર પણ લાગુ છે.વધુ વાંચો -
સરકાર બધુ વેંચવા બેઠી છે, આ બજેટ માત્ર ઢોંગ : કોંગ્રેસ
- 01, ફેબ્રુઆરી 2021 03:19 PM
- 9316 comments
- 1025 Views
દિલ્હી-મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ નાણાકીય વર્ષ 2021-22 માટેના કેન્દ્રિય બજેટ 2021 માટે સોમવારે સરકાર પર નિશાન સાધ્યું હતું. લોકસભામાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ કહ્યું કે બજેટમાં માત્ર ઢોંગ છે. આ બજેટમાં ખેડૂતો માટે કંઈ નથી. ચૌધરીએ કેન્દ્ર પર સરકારી સંપત્તિ વેચવાનો આરોપ લગાવ્યો છે. સરકારે આગામી નાણાકીય વર્ષ 2021-22માં બજેટમાં ડિસઇન્વેસ્ટમેન્ટથી 1.75 લાખ કરોડ રૂપિયા ઉભા કરવાનો લક્ષ્યાંક આપ્યો છે. બજેટની રજૂઆત બાદ લોકસભામાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ એનડીટીવીને કહ્યું હતું કે બજેટમાં ફક્ત શો જ દેખાય છે. ખેડુતો માટે કાંઈ નથી. જ્યાં ચૂંટણીઓ યોજાય છે, તેમના માટે કંઈક આપવામાં આવ્યું છે. આ દ્વારા ખાનગીકરણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સરકાર બધુ વેચી રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારામને સોમવારે બજેટ રજૂ કર્યું હતું અને ડિસઇન્વેસ્ટમેન્ટ માટે મોટો લક્ષ્યાંક આપ્યો છે. એક મોટી અગત્યની જાહેરાત એ કરવામાં આવી છે કે સરકારે 2021-22માં વીમા કંપની જીવન વીમા નિગમ (એલઆઈસી) ની પ્રારંભિક જાહેર ઓફર (આઈપીઓ) ની જાહેરાત કરી છે. જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને નાણાકીય સંસ્થાઓમાં શેર વેચાણથી નાણાકીય વર્ષ 2021-22માં રૂ. 1.75 લાખ કરોડ એકત્રિત કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. સરકાર આગામી નાણાકીય વર્ષમાં બે જાહેર ક્ષેત્રની બેંકો અને એક વીમા કંપનીમાં તેનો હિસ્સો વેચવાનો ઇરાદો ધરાવે છે. નાણામંત્રી નિર્મલા સીતારામણે જાહેર ક્ષેત્રની અન્ડરટેકિંગ (પીએસઈ) નીતિ રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે ચાર વ્યૂહાત્મક ક્ષેત્રો સિવાય અન્ય ક્ષેત્રોની સરકારી કંપનીઓનો નિષ્કર્ષ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આગામી નાણાકીય વર્ષમાં આઈડીબીઆઈ બેંક, બીપીસીએલ, શિપિંગ કોર્પોરેશન, નીલાચલ ઇસ્પત નિગમ લિમિટેડ. અને અન્ય કંપનીઓનું વિસર્જન કરવામાં આવશે.વધુ વાંચો -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2021-22ના બજેટની પ્રશંસા કરી
- 01, ફેબ્રુઆરી 2021 03:15 PM
- 647 comments
- 4900 Views
દિલ્હી-વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2021-22ના બજેટની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે આ બજેટ કોરોના વાયરસ ચેપના યુગમાં સ્વનિર્ભર ભારતની દ્રષ્ટિ છે. વડાપ્રધાને નાણાં પ્રધાન નિર્મલા સીતારામન, નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર અને તેમની ટીમને બજેટ અને વિકાસશીલ બજેટ માટે અભિનંદન આપ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે દેશના ખેડુતો આ બજેટના કેન્દ્રમાં છે. તેમણે કહ્યું કે આ બજેટથી દેશના દરેક ખૂણામાં વિકાસ થશે. પીએમએ કહ્યું કે આ બજેટ ખેડૂતોના પક્ષમાં છે અને કહ્યું કે બજેટમાં ખેડૂતોના હિતમાં ઘણી જોગવાઈઓ કરવામાં આવી છે. ખેડૂતોની આવક વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે મંડીઓને મજબૂત બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે. આ નિર્ણયો દર્શાવે છે કે આ બજેટના કેન્દ્રમાં ગામડાઓ, ખેડુતો છે.મહિલાઓના જીવનમાં સુધારો કરવા માટે, તેમના આરોગ્ય, પોષણ અને માળખાગત સુવિધાઓમાં વ્યવસ્થિત સુધારા કરવામાં આવ્યા છે. વૃદ્ધિ અને નોકરીના સર્જનમાં મોટો ફાયદો થશે. ખેડૂતોની આવક વધારવા પર ભાર મુકવામાં આવ્યો છે. મંડીઓને મજબૂત બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે. આ નિર્ણયો દર્શાવે છે કે આ બજેટના કેન્દ્રમાં ગામડાઓ, ખેડુતો છે.વધુ વાંચો -
ડિજીટલ ટ્રાન્જેક્શન પર મુકવામાં આવશે ભાર, 1500 કરોડની યોજનાની ઘોષણા
- 01, ફેબ્રુઆરી 2021 03:06 PM
- 367 comments
- 1188 Views
દિલ્હી-સોમવારે નાણામંત્રી નિર્મલા સીતારામને દેશનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં સરકારે ડિજિટલ ટ્રાંઝેક્શનમાં વધારો કરવાનો ઇરાદો વ્યક્ત કર્યો છે. કેન્દ્ર સરકારે સોમવારે દેશમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે 1500 કરોડની યોજનાની દરખાસ્ત કરી છે.નાણાં પ્રધાન નિર્મલા સીતારામને કહ્યું કે, તાજેતરના સમયમાં ડિજિટલ પેમેન્ટમાં અનેક ગણો વધારો થયો છે. 2021-22નું બજેટ રજૂ કરતાં તેમણે કહ્યું, 'ડિજિટલ ટ્રાંઝેક્શનને વધુ પ્રોત્સાહન આપવા માટે હું 1500 કરોડની યોજનાની દરખાસ્ત કરું છું જે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે નાણાકીય પ્રોત્સાહનો પ્રદાન કરશે.'સીતારામને કહ્યું કે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન (એનઆરએફ) ની જાહેરાત 2019 માટેના તેમના બજેટ ભાષણમાં કરવામાં આવી હતી. તેમણે કહ્યું, 'અમે ઓપચારિકતાઓ નક્કી કરી લીધી છે અને આગામી પાંચ વર્ષમાં એનઆરએફ પરનો ખર્ચ રૂ. 50,000 કરોડ થશે. આનાથી દેશના સંશોધન માળખાને મજબૂત બનાવવામાં મદદ મળશે અને મુખ્ય ભારણ ઓળખાતી રાષ્ટ્રીય અગ્રતાવાળા ક્ષેત્રો પર રહેશે.વધુ વાંચો -
જો નવુ મકાન લેવાની તૈયારીઓ કરતા હો તો તમને મળશે આ સુવિધાઓ
- 01, ફેબ્રુઆરી 2021 02:39 PM
- 8183 comments
- 3499 Views
દિલ્હી-કેન્દ્ર સરકાર લાંબા સમયથી 'એફોર્ડેબલ હાઉસિંગ' અને 'હાઉસિંગ ફોર ઓલ' પર યોગ્ય વિચારણા કરી રહી છે. આ જ ક્રમમાં નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટ ભાષણ દરમિયાન પોષણક્ષમ હાઉસિંગ લોન પર આપવામાં આવતા વ્યાજ પર 1.5 લાખ રૂપિયાની મુક્તિને એક વર્ષ માટે વધારે કરવાની જાહેરાત કરી છે. ઉપરાંત, પરવડે તેવા આવાસ પ્રોજેક્ટ્સ પણ 31 માર્ચ 2022 સુધી વેરાની રજા મેળવી શકે છે. નાણાં પ્રધાનના આ પગલાથી સ્થાવર મિલકત ક્ષેત્રને વેગ મળશે. આ સાથે ઘરના ખરીદદારોને પણ વેગ મળશે.નાણાં પ્રધાને કહ્યું, "છેલ્લા બજેટમાં, પોસાય તેવા મકાનો ખરીદવા માટે લેવામાં આવતી લોન માટે રૂ. 1.5 લાખ સુધીના વધારાના વ્યાજની કપાતની જોગવાઈ કરી હતી. હું આ કપાતને લંબાવી અને તેને એક વર્ષ વધારવાની દરખાસ્ત કરું છું, એટલે કે 31 માર્ચ 2022. આ રીતે, પોસાય તેવા મકાનો ખરીદવા માટે રૂ. 1.5 લાખની વધારાની કપાત 31 માર્ચ સુધી લેવામાં આવેલી લોન માટે ઉપલબ્ધ રહેશે.આગળ, પરવડે તેવા મકાનોનો પુરવઠો જાળવવા, હું પ્રસ્તાવ કરું છું કે પરવડે તેવા આવાસિંગ પ્રોજેક્ટ્સ અને એક વર્ષ એટલે કે 31 માર્ચ 2022 સુધી વેરાની રજા મેળવી શકાય. આ પગલાથી રીઅલ એસ્ટેટ ક્ષેત્રને ફાયદો થવાની સંભાવના છે.વધુ વાંચો -
FICCI ના અધ્યક્ષ ઉદય શંકરે બજેટને કહ્યું ખુબ સારું
- 01, ફેબ્રુઆરી 2021 02:31 PM
- 914 comments
- 4830 Views
દિલ્હી-ફેડરેશન ઓફ ઇન્ડિયન કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (એફઆઈસીસીઆઈ) એ નાણાં પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા રજૂ કરેલા સામાન્ય બજેટ -2021 ની પ્રશંસા કરી છે ફિકીના પ્રમુખ ઉદય શંકરે કહ્યું, 'આ ખૂબ સારું બજેટ છે. દરેકને સારા બજેટની અપેક્ષા હતી, પરંતુ દરેકને એમ પણ લાગ્યું કે સરકાર ઉપર ઘણો દબાણ છે. ખર્ચ પહેલાથી જ ખૂબ વધારે છે, પરંતુ સરકારે આવી સ્થિતિમાં પ્રગતિશીલ અને બોલ્ડ બજેટ આપ્યું હતું. તેમણે કહ્યું કે કાળજી લેવામાં આવી છે કે તે ઉદ્યોગ હોય કે સામાન્ય નાગરિકો, તેમના પર ભારણ પડતું નથી પરંતુ તે જ સમયે રોકાણ વધારવા તરફ ધ્યાન આપવામાં આવ્યું છે. સરકારે કરદાતાઓમાં વિશ્વાસ વધારવાની દિશામાં પગલાં લીધાં છે, આ ખૂબ જ પ્રશંસનીય પ્રયાસ છે.ફિક્કીના અધ્યક્ષે કહ્યું કે આવા વાતાવરણમાં જ્યારે સરકાર પર ખૂબ દબાણ હતું ત્યારે નાણાં પ્રધાને ખૂબ સારું બજેટ આપ્યું છે. આરોગ્ય બજેટમાં વધારો એ એક મહાન પ્રયાસ છે કારણ કે દેશમાં આરોગ્ય ક્ષેત્રે જેટલું રોકાણ થયું છે તેટલું ન થયું હોવું જોઈએ. આવી સ્થિતિમાં સરકારે આ વાત માન્ય રાખી છે. અમારા બધા સભ્યો કહી રહ્યા છે કે અમને અપેક્ષા નહોતી કે સરકાર આરોગ્ય ક્ષેત્રે આટલું મોટું ફાળવણી કરશે. રસી ઉપર 35 હજાર કરોડની ફાળવણી દર્શાવે છે કે કેન્દ્ર સરકાર લોકોને રસી ઉપલબ્ધ કરાવવા તરફ આગળ વધી રહી છે.વધુ વાંચો -
બજેટ 2021 : કઈ વસ્તુ પર કેટલો કૃષિ સેસ લાદવામાં આવ્યો ?
- 01, ફેબ્રુઆરી 2021 02:17 PM
- 2258 comments
- 942 Views
અમદાવાદ-નાણાંમંત્રીએ આજે દેશનું બજેટ રજુ કર્યું છે. આ બજેટમાં ફાર્મ સેસની જાહેરાત કરવામાં આવી છે. ફાર્મ સેસના નામે સરકારે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ વધાર્યો છે. સરકારે પેટ્રોલ પર ફાર્મ સેસ 2.50 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 4 રૂપિયા પ્રતિ લિટર લાદ્યવાની જાહેરાત કરી છે.સરકારે બેઝિક અને વધારાની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરીને આ કૃષિ સેસ લાગુ કરવાની જાહેરાત કરી છે એટલેકે આ નવા વધારાના સેસથી ગ્રાહકોને કોઇ ખાસ ફરક નહિ પડે. આ ઉપરાંત સોના અને ચાંદી પર 2.5 ટકા ફાર્મ સેસ લાદ્યો છે. આલ્કોહોલિક પીણાં પર 100 ટકા ફાર્મ સેસ લાદવામાં આવ્યો છે. આ ઉપરાંત કાબુલી ચણા પર 30 ટકા, બંગાળ ગ્રામ પર 50 ટકા,કોટન પર 5 ટકા તેમજ મસૂર દાળ પર 20 ટકા એગ્રી ઇન્ફ્રા સેસ લાદવામાં આવ્યો છે. કોરોના કાળમાં સરકારની તિજોરી ખાલી છે અને આવક પર અસર પડી છે. આ સ્થિતિમાં વધારાની રકમ એકત્રિત કરવી જરૂરી છે. વર્તમાન નાણાંકીય વર્ષ 2020-21 માટે સરકારે આરોગ્ય અને શિક્ષણ ઉપકર દ્વારા 26,192 કરોડના ભંડોળ એકઠું કરવાની બજેટમાં જોગવાઈ કરી હતી. બે ફેબ્રુઆરી 2021થી આ સેસ લાગુ કરવામાં આવશે. વસ્તુ ફેરફાર પેટ્રોલ 2.50 Rs, ડીઝલ 4.00 Rs, સોનું 2.50%, ચાંદી 2.50%, આલ્કોહોલિક પીણાં 100%, કાબુલી ચણા 30%, બેંગાલ ગ્રામ 50%, કોટન 5%, મસૂર દાળ 20%, સોયાબીન 20%, કોલસો 1.50%, લિગ્નાઇટ 5%, ખાતર 40%વધુ વાંચો -
LICનો આવશે IPO, બે બેન્ક અને એક વીમાં કંપનીમાં થશે રોકાણ
- 01, ફેબ્રુઆરી 2021 02:08 PM
- 6985 comments
- 1306 Views
દિલ્હી-નાણામંત્રી નિર્મલા સીતારામને સોમવારે બજેટ રજૂ કર્યું હતું અને ડિસઇન્વેસ્ટમેન્ટ ક્ષેત્રે મોટી ઘોષણા કરી હતી. એક મોટી મહત્વપૂર્ણ જાહેરાત એ હતી કે સરકારે વીમા કંપની એલઆઈસી એટલે કે આઇપીઓની પ્રારંભિક જાહેર તકો 2021-22માં જાહેર કરી છે.નાણાં પ્રધાને કહ્યું કે સરકાર નાણાકીય વર્ષ 2022 માં ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયા ઝડપી બનાવશે. ડિસઇન્વેસ્ટમેન્ટથી આશરે 1.75 લાખ કરોડ રૂપિયા પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તેમણે માહિતી આપી હતી કે બીપીસીએલ, એર ઇન્ડિયા, આઈડીબીઆઈ બેંક, ભારત અર્થ મૂવર્સ લિમિટેડ, ઇસ્પત નિગમ જેવા તમામ જાહેર ઉપક્રમોમાં ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.સરકારે વ્યૂહાત્મક અને બિન-વ્યૂહાત્મક પીએસયુઓની ઓળખ વધુ તીવ્ર બનાવી છે. ચાર સિવાયના જાહેર ક્ષેત્રના ઉપક્રમોનું ડિસઇન્વેસ્ટમેન્ટ ઝડપી કરવામાં આવશે. રાજ્યોમાં પીએસયુના ડિસઇન્વેસ્ટમેન્ટ માટે પ્રોત્સાહન પણ મળશે. નાણાકીય વર્ષમાં બે બેંકોમાં આ વર્ષે ડિસઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે. સામાન્ય વીમા કંપનીમાં ડિસઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે. સરકારે નાણાકીય વર્ષમાં ડિસઇન્વેસ્ટમેન્ટથી રૂ. 1.75 લાખ કરોડ પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક આપ્યો છે.સીતારામને કહ્યું કે નીતિ આયોગને વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ માટે કેન્દ્રિય જાહેર ક્ષેત્રની કંપનીઓની આગામી સૂચિ પર કામ કરવાનું કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉપક્રમોની માલિકીની જમીનના મુદ્રીકરણ (વેચાણ / લીઝ) માટે એક વિશેષ એકમ (એસપીવી) બનાવવામાં આવશે. નાણાં પ્રધાન સીતારામને તેમના છેલ્લા 2020-21ના બજેટમાં જાહેર ક્ષેત્રની કંપનીઓમાં ખાનગીકરણ અને લઘુમતી હિસ્સોના વેચાણથી રૂ. 2.1 લાખ કરોડ એકત્રિત કરવાનું લક્ષ્યાંક બનાવ્યું હતું.વધુ વાંચો -
ઓટો પાર્ટ્સ અને રેશમ પેદાશોના ભાવમાં વધારો થઇ શકે છે
- 01, ફેબ્રુઆરી 2021 02:03 PM
- 6022 comments
- 1679 Views
દિલ્હી-નાણાં પ્રધાન નિર્મલા સીતારમણના સામાન્ય બજેટથી મોબાઇલ, ઓટો પાર્ટ્સ અને રેશમ પેદાશોના ભાવમાં વધારો થઈ શકે છે ત્યારે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે. નાણાં પ્રધાને સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી ઘટાડવાનો સંકેત આપ્યો છે, તેનાથી તેમની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે. બીજી તરફ, મોબાઇલના કેટલાક ભાગો પર કસ્ટમ્સ ડ્યુટી વધશે.મોબાઇલ સિવાય કૃષિ ક્ષેત્રને કપાસ પર શૂન્યથી 10 ટકા અને રેશમ ઉત્પાદનો પર 10 થી 15 ટકા વધારવાની જાહેરાત કરવામાં આવી છે. કેટલાક ઓટો પાર્ટ્સ પર કસ્ટમ ડ્યુટી વધારીને 15 ટકા કરવામાં આવી છે. કસ્ટમ ડ્યુટીમાં વધારાને કારણે કેટલાક ઉત્પાદનો મોંઘા થશે, પરંતુ આનાથી દેશમાં મેન્યુફેક્ચરિંગ અને એમએસએમઇને વેગ મળશે અને આત્મનિર્ભર ભારતના સ્થાનિક અભિયાનની વોકલને મજબૂત બનાવવામાં આવશે. આયર્ન અને સ્ટીલના ભાવમાં પણ ઘટાડો સંભવિત છે.વધુ વાંચો -
સામાન્ય લોકો બજેટથી નાખુશ, આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર નહીં
- 01, ફેબ્રુઆરી 2021 01:57 PM
- 590 comments
- 9486 Views
દિલ્હી-એફએમ નિર્મલા સીતારમણના ત્રીજા બજેટથી નાણામંત્રી લોકોને નિરાશ થયા છે. આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જ્યારે લોકો કોરોના સંકટને કારણે આવકવેરામાં મુક્તિની અપેક્ષા રાખતા હતા. નાણાં પ્રધાને 75 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને રાહત આપી છે અને તેમને આવકવેરા રીટર્ન (આઈટીઆર) ફાઇલ કરવાથી મુક્ત કર્યો છે.નાણાં પ્રધાને બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી કે સરકાર 75 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો પરનું દબાણ ઘટાડશે. તેમણે કહ્યું, "75 વર્ષથી વધુ વયના વૃદ્ધો, જેમની આવકનો સ્ત્રોત માત્ર પેન્શન છે, તેઓએ હવે આવકવેરા રીટર્ન ફાઇલ કરવાનું રહેશે નહીં." નાણાં પ્રધાને કર ભરવામાં લોકોને આવતી મુશ્કેલીઓને જોઇને એનઆરઆઈને ડબલ ટેક્સ સિસ્ટમમાંથી મુક્તિ આપવાની ઘોષણા કરી છે.નાણાં પ્રધાને બજેટ ભાષણમાં નાના કરદાતાઓ માટેના મુકદ્દમાને વધુ ઘટાડવા વિવાદ નિવારણ સમિતિની રચના કરવાની દરખાસ્ત કરી છે. આ સમિતિ કાર્યક્ષમતા, પારદર્શિતાની ખાતરી કરશે. 50 લાખ રૂપિયા સુધીની કરપાત્ર આવક અને રૂ. 10 લાખ સુધીની વિવાદિત આવક ધરાવતા વ્યક્તિઓ આ સમિતિ સમક્ષ જઈ શકશે.વધુ વાંચો -
કોરોના સમયગાળામાં સરકારની ખોટ રેકોર્ડ સ્તરે ,GDP 9.5 ટકા રહેશે
- 01, ફેબ્રુઆરી 2021 01:50 PM
- 7416 comments
- 1543 Views
દિલ્હી-નાણાં પ્રધાન નિર્મલા સીતારામને બજેટ રજૂ કરતી વખતે કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2021 માં કોરોના રોગચાળાના સંકટને કારણે રાજકોષીય ખાધ જીડીપીના 9.5 ટકા રહેશે. સરકાર માટે આ બહુ ચિંતાનો વિષય છે. નાણાં પ્રધાન સીતારામને કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2022 માં રાજકોષીય ખાધ 6.8 ટકા હોઇ શકે, પરંતુ સરકાર નાણાકીય વર્ષ 2025-26 સુધીમાં તેને જીડીપીના 4.5 ટકા પર લાવવાનો પ્રયાસ કરશે.સીતારમણે કહ્યું કે સરકારે નાણાકીય શિસ્તને પગલે માર્ચ 2021 માં નાણાકીય ખાધને જીડીપીના 3 ટકા સુધી મર્યાદિત કરવાનું લક્ષ્યાંક નક્કી કર્યું હતું, પરંતુ રોગચાળા પછી અનપેક્ષિત આંચકાને કારણે સરકારે ખર્ચમાં વધારો કર્યો હતો. આશરે 27 લાખ કરોડ રૂપિયાના સ્વનિર્ભર ભારત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. નાણાકીય ખાધમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને સરકાર એફઆરબીએમ એક્ટમાં ફેરફાર કરશે.નાણાકીય વર્ષ 2022 માં સરકારે બજારમાંથી આશરે 12 લાખ કરોડ રૂપિયા ઉધાર લેવાનો અંદાજ લગાવ્યો છે. નાણાકીય ખાધમાં વધારાને કારણે ભારતના રેટિંગ પર વિપરિત અસર પડી શકે છે અને વિદેશી દેવું લેવું મોંઘુ થઈ શકે છે. નાણાકીય વર્ષ 2022 માં મૂડી ખર્ચ 5.54 લાખ કરોડ થવાનો અંદાજ છે.વધુ વાંચો -
શું લેહમાં ખુલશે યુનિવર્સિટી, જાણો શુ કહ્યું વિત્ત મંત્રીએ
- 01, ફેબ્રુઆરી 2021 01:44 PM
- 4172 comments
- 6571 Views
દિલ્હી-દેશનું સામાન્ય બજેટ આજે રજૂ કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણ બીજી વખત સામાન્ય બજેટ રજૂ કરી રહ્યા છે. તે ભારતની પ્રથમ મહિલા નાણાં પ્રધાન છે, જે બીજી વખત સામાન્ય બજેટ રજૂ કરે છે. તે જ સમયે, આ વર્ષે બજેટમાં શિક્ષણ ક્ષેત્ર ખૂબ મહત્વનું છે, કારણ કે આ વર્ષે કોરોનાવાયરસને કારણે શિક્ષણનું ક્ષેત્ર ઘણું બદલાયું છે. કોરોનાને કારણે શિક્ષણ ક્ષેત્રે ઘણું નુકસાન કર્યું છે. આવી સ્થિતિમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે.નાણાં પ્રધાન નિર્મલા સીતારામને તેમના ભાષણમાં લેહમાં સેન્ટ્રલ યુનિવર્સિટી બનાવવાની જાહેરાત કરી છે. લદાખમાં રહેતા તમામ વિદ્યાર્થીઓ સરળતાથી ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે માટે સરકારે યુનિવર્સિટી સ્થાપવાનો નિર્ણય કર્યો છે.આ સાથે, ભવિષ્યમાં એનજીઓ, ખાનગી શાળાઓ અને રાજ્યોની ભાગીદારીમાં 100 નવી સૈનિક શાળાઓ સ્થાપવાની જાહેરાત કરી.વધુ વાંચો -
પેટ્રોલ અને ડિઝલ પર સેસ લગાવાયો, જાણો કેટલો
- 01, ફેબ્રુઆરી 2021 01:24 PM
- 629 comments
- 9011 Views
મુંબઈ-બજેટમાં ઈલેક્ટ્રોનિક્સ ચીજો પર ડ્યુટી વધારી દેવાયા બાદ પેટ્રોલ અને ડિઝલ પર પણ સેસ નાંખવામાં આવ્યો છે. બજેટમાં પેટ્રોલ અને ડિઝલ પર પ્રતિ લિટરે 2.5 રૂપિયા જ્યારે ડિઝલ પર પ્રતિ લિટરે 4 રૂપિયા જેટલો સેસ નાંખવામાં આવ્યો છે. આ સેસને કૃષિ સેસ તરીકે ઓળખાવાયો છે. કૃષિ સેસ કે જે સીધો કંપની પર જાય છે તેની સીધી અસર ગ્રાહકો પર નહીં પડે. સરકાર દ્વારા આ પ્રકારે ઈંધણના ભાવો પર વધારાનો સેસ નાંખવામાં આવતાં કેટલાંક રાજકીય વર્તુળોમાં તેની ટીકા કરવામાં આવી હતી. યાદ રહે કે, પેટ્રોલ અને ડિઝલના ભાવો અત્યારે ઐતિહાસિક રીતે ઊંચી સપાટી પર ચાલી રહ્યા છે, અને રાજસ્થાનના શ્રીગંગાનગર સહિત દેશના અનેક શહેરોમાં પેટ્રોલના પ્રતિ લિટરના ભાવો રૂપિયા 100ની ઉપર ચાલ્યા ગયા છે.વધુ વાંચો -
કેન્દ્રીય બજેટમાં પણ જોવા મળ્યો રાજકિય રંગ, કેટલાક રાજ્યોને મળી ખાસ ભેટ
- 01, ફેબ્રુઆરી 2021 01:12 PM
- 4755 comments
- 1236 Views
દિલ્હી-કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને પણ તેમના બજેટ ભાષણ પ્રસ્તાવમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓનું ધ્યાન રાખ્યું છે. તેને ધ્યાનમાં રાખીને, તેમણે આસામ, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુ માટે મોટા માર્ગ પ્રોજેક્ટ્સની જાહેરાત કરી છે. નાણાં પ્રધાને બજેટ ભાષણમાં કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં 95,000 કરોડના ખર્ચે 675 કિલોમીટર લાંબી હાઇવે બનાવવામાં આવશે, જે કોલકાતાને સિલિગુરીથી જોડશે.નાણાં પ્રધાને બજેટ ભાષણમાં માર્ગ, પરિવહન અને હાઇવે ક્ષેત્ર માટે રૂ. 1.18 લાખ કરોડનું બજેટ સૂચવ્યું છે. આ અંતર્ગત કેરળમાં 6500 કરોડના ખર્ચે 1100 કિલોમીટર લાંબી હાઇવે બનાવવામાં આવશે. તેમણે માહિતી આપી હતી કે આસામમાં 19 હજાર કરોડ રૂપિયાના રોડ પ્રોજેક્ટનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. આગામી ત્રણ વર્ષમાં 1300 કિ.મી. લાંબા રસ્તા બનશે. નાણામંત્રીએ આગામી ત્રણ વર્ષમાં આસામમાં હાઇવે અને આર્થિક કોરિડોરની જાહેરાત કરી છે.નાણાં પ્રધાને કહ્યું કે, રાજમાર્ગનું નિર્માણ દક્ષિણ રાજ્ય તામિલનાડુમાં 3500 કિલોમીટરની લંબાઈમાં કરવામાં આવશે. તેમણે કહ્યું કે તામિલનાડુમાં નેશનલ હાઇવે પ્રોજેક્ટ અને આર્થિક કોરિડોરની કિંમત 1.03 લાખ કરોડ રૂપિયા હશે. આ અંતર્ગત હાઇવેનું નિર્માણ કરવામાં આવશે. સીતારામને મુંબઈ-કન્યાકુમારી આર્થિક કોરિડોરની પણ જાહેરાત કરી છે.નિર્મલા સીતારામને પોતાના બજેટ ભાષણમાં બે શહેરોમાં મેટ્રો લાઇટ અને મેટ્રો નીઓ સેવા શરૂ કરવાની પણ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે હાલનો મેટ્રો ટ્રેન કરતાં નવો પ્રોજેક્ટ ઓછો ખર્ચ થશે. નાણાં પ્રધાને ચેન્નઈ, નાગપુર સહિત ઘણા શહેરોમાં મેટ્રો નેટવર્કને વિસ્તૃત કરવાની પણ જાહેરાત કરી છે. તેમણે આવતા નાણાકીય વર્ષમાં રેલવે માટે 1.1 લાખ કરોડ રૂપિયાનું બજેટ પ્રસ્તાવ મૂક્યો છે.વધુ વાંચો -
વીમા-ફાઈનાન્સ કંપનીઓના શેરો કેમ ઉછળી ગયા છે, જાણો
- 01, ફેબ્રુઆરી 2021 01:04 PM
- 7171 comments
- 1448 Views
મુંબઈ-નાણામંત્રી સિતારમણે કેન્દ્રિય બજેટ રજૂ કરતી વખતે વીમાક્ષેત્ર માટે અનેક રજૂઆતો એવી કરી છે જેને પગલે વીમાક્ષેત્રે કાર્યરત કંપનીઓ ઉપરાંત નાણાંકીય સેવાઓ આપતી કંપનીઓને ફાયદો થઈ ગયો છે. વીમાક્ષેત્રે અત્યાર સુધી વિનિવેશની મર્યાદા જે માત્ર 49 ટકા સુધીની હતી તેને વધારીને 75 ટકા સુધી કરી દેવાઈ છે. વિદેશી રોકાણની મર્યાદા વધારી દેવાયાને પગલે હવે આ ક્ષેત્રે રોકાણની શક્યતાઓ વધી જતાં બજારમાં નાણાકીય અને વીમાક્ષેત્રની કંપનીઓ માટે સાનુકૂળ વાતાવરણ બની ગયું છે અને શેરબજારે તેને આવકાર આપ્યો છે. સોમવારે સંસદમાં આવી જાહેરાતને પગલે ઈન્શ્યોરન્સક્ષેત્રે કાર્યરત કંપનીના શેરોમાં સુધારો જોવા મળ્યો હતો. નાણાંકીય સેવા આપતી કંપનીઓનો નિફટી ઈન્ડેક્સ 3.35 ટકા સુધી સુધરી ગયો હતો. મેક્સ ફાઈનાન્સિયલ સર્વિસિસના શેરોમાં સાડાચાર ટકાનો ઉછાળ આવતાં તે 713.55 રૂપિયા થયો હતો. આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શીયલના શેરોમાં પણ 2.75 ટકાનો સુધારો જોવાતાં તેના ભાવો 494.35 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. એચડીએફસીના ભાવોમાં પણ 2.16 ટકાનો સુધારો થયો હતો અને તેના શેરોનો ભાવ 629.45 રૂપિયા થઈ ગયો હતો. એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સના ભાવોમાં પણ 1.9 ટકાનો સુધારો થતાં તેના ભાવો 880.90 રૂપિયા પર પહોંચી ગયા હતા.વધુ વાંચો -
રાષ્ટ્રીય રેલ્વે યોજના તૈયાર, બ્રોડગેજ લાઇનું 2023 સુધીમાં સંપૂર્ણ વીજળીકરણ થશે
- 01, ફેબ્રુઆરી 2021 01:08 PM
- 8842 comments
- 6528 Views
દિલ્હી-નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલ સામાન્ય બજેટમાં રેલ્વે માળખાના વિકાસ માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. આ અંતર્ગત રેલવેને 1.1 લાખ કરોડ રૂપિયા પૂરા પાડવામાં આવશે. મૂડી ખર્ચ માટે સરકારની યોજના રેલ લાઇનના વીજળીકરણ પર પણ છે. નાણાં પ્રધાને કહ્યું કે રેલ્વે રાષ્ટ્રીય રેલ્વે યોજના 2030 તૈયાર થઈ ગઈ છે. તેમણે જણાવ્યું કે આ અંતર્ગત પરિવહનનો પૂર્વ-પશ્ચિમ રેલ કોરિડોર બનાવવામાં આવશે. આ સિવાય વર્ષ 2023 સુધીમાં બ્રોડગેજ વીજળીકરણ પૂર્ણ કરવાની યોજના છે.નાણાં પ્રધાને કહ્યું કે રેલ્વે સિવાય અમારું ધ્યાન મેટ્રો, સિટી બસ સેવા વધારવા પર છે. આ માટે 18 હજાર કરોડનો ખર્ચ લાદવામાં આવશે. હવે મેટ્રો લાઇટ લાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. તેમણે કોચિ, બેંગલુરુ, ચેન્નઈ, નાગપુર, નાસિકમાં મેટ્રો પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી છે. બજેટમાં કોરોના રસીના વિકાસ અને ઉત્પાદન માટે રૂ .35,000 કરોડની જાહેરાત કરવામાં આવી છે. નાણાં પ્રધાને કહ્યું કે નાણાકીય વર્ષ 2021-22માં આરોગ્ય ક્ષેત્ર માટે 2,23,000 કરોડથી વધુ ફાળવવામાં આવી છે, જે પાછલા નાણાકીય વર્ષ કરતા 137 ટકા વધુ છે. કેન્દ્ર સરકાર કોરોનાવાયરસ સંકટ અંગે ખૂબ જ સાવધ લાગે છે. બજેટમાં નવી આરોગ્ય યોજના શરૂ કરવાની પણ જાહેરાત કરી હતીનાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું કે કેન્દ્રિય પ્રાયોજિત નવી યોજના વડા પ્રધાન સ્વનિર્ભર સ્વાસ્થ્યપ્રદ ભારત યોજના શરૂ કરવામાં આવશે. 6 વર્ષમાં 64,180 કરોડ ખર્ચ કરવામાં આવશે. આ અંતર્ગત દેશના 7 હજાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, 11 હજારથી વધુ શહેરી આરોગ્ય કેન્દ્રોને અપગ્રેડ કરવામાં આવશે. દેશમાં 17 નવી કેન્દ્રીય આરોગ્ય સંસ્થાઓ બનાવવામાં આવશે. અત્યાધુનિક આરોગ્ય કેન્દ્રો એરપોર્ટ અને માર્ગ દ્વારા જોડાયેલા સરહદી વિસ્તારોમાં બનાવવામાં આવશે. બાયોસફ્ટી લેબ પણ બનાવવામાં આવશે. દેશમાં એકીકૃત આરોગ્ય ડેટાબેસને મજબૂત બનાવવામાં આવશે.વધુ વાંચો -
વીમા ક્ષેત્ર માટે મોટી જાહેરાત, FDI મર્યાદા 49% થી વધારીને 74%
- 01, ફેબ્રુઆરી 2021 01:03 PM
- 3039 comments
- 8159 Views
દિલ્હી-નાણાં પ્રધાન નિર્મલા સીતારામને બજેટમાં વીમા ક્ષેત્ર માટે મોટી જાહેરાત કરી છે. વીમા ક્ષેત્રે સરકારે એફડીઆઈ મર્યાદા 49% થી વધારીને 74% કરવાની જાહેરાત કરી છે. દેશમાં હજી પણ સ્વાસ્થ્ય વીમા કવચ 3-4- ટકા જેટલી છે. આવી સ્થિતિમાં, વીમા ક્ષેત્રમાં એફડીઆઈ વધારીને મોટો ફેરફાર થઈ શકે છે, કારણ કે કોવિડ -19 પછી લોકોએ જીવન વીમા અને આરોગ્ય વીમામાં રસ વધાર્યો છે.તે જ સમયે, નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે કહ્યું છે કે નાણાકીય વર્ષ 2022 માં સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયાને ઝડપી બનાવશે. ડિસઇન્વેસ્ટમેન્ટથી આશરે 1.75 લાખ કરોડ રૂપિયા પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. સીતારમણે કહ્યું કે બીપીસીએલ, એર ઇન્ડિયા, આઈડીબીઆઈ બેંક, ભારત અર્થ મૂવર્સ લિમિટેડ, ઇસ્પત નિગમ જેવા તમામ પીએસયુમાં ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. 21-22ના વર્ષમાં, એલઆઈસી માટે આઈપીઓ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.સરકારે વ્યૂહાત્મક અને બિન-વ્યૂહાત્મક પીએસયુઓની ઓળખ વધુ તીવ્ર બનાવી છે. પી.એસ.યુ.ના ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા ઝડપી કરવામાં આવશે. રાજ્યોમાં પીએસયુના ડિસઇન્વેસ્ટમેન્ટ માટે પ્રોત્સાહન પણ મળશે. નાણાકીય વર્ષમાં બે બેંકોમાં આ વર્ષે ડિસઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે. સામાન્ય વીમા કંપનીમાં ડિસઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે. સરકારે નાણાકીય વર્ષમાં ડિસઇન્વેસ્ટમેન્ટથી રૂ. 1.75 લાખ કરોડ પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક આપ્યો છે.વધુ વાંચો -
આવકવેરા માટેના સ્લેબમાં કોઈ ફેરફાર થયો કે કેમ, જાણો અહીં
- 01, ફેબ્રુઆરી 2021 12:53 PM
- 7454 comments
- 3586 Views
મુંબઈ-બજેટ પાસેથી સામાન્ય નોકરીયાતોને અને મધ્યમવર્ગના કરદાતાઓને જે અપેક્ષાઓ હતી તેનાથી વિપરીતપણે નિર્મલા સિતારમને બજેટમાં આવકવેરા માટેના સ્લેબમાં કોઈ ફેરફાર કર્યો નથી. એટલે કે, નોકરીયાતો કે જેમની આવક વાર્ષિક 2.5 લાખ રૂપિયા સુધીની હોય તેમણે કોઈ ટેક્સ ભરવાનો નથી, જ્યારે તેનાથી આગળ 2.5 થી 5 લાખ સુધીની ઈનકમ માટે 5 ટકા સુધીનો ટેક્સ ભરવાનો રહેશે.સામે છેડે 75 વર્ષથી વધારે ઉંમર ધરાવતા સિનિયર સિટીઝનો માટે આવકવેરા રીટર્ન બિનજરૂરી બની ગયું છે જ્યારે એનઆરઆઈ નાગરીકોને માટે ડબલ ટેક્સ સિસ્ટમમાંથી મુક્તિ આપી દેવાઈ છે.વધુ વાંચો -
મોબાઈલ ફોન મોંઘા થઈ શકે, જૂઓ કેમ
- 01, ફેબ્રુઆરી 2021 12:44 PM
- 3059 comments
- 7721 Views
દિલ્હી-નાણામંત્રી દ્વારા બજેટની જોગવાઈઓની જે રીતે જાહેરાત કરાઈ છે એ જોતાં ટૂંક સમયમાં મોબાઈલ ફોનની કિંમતોમાં ઉછાળો આવી શકે છે. તેની પાછળનું કારણ એ છે કે, મોબાઈલ ફોન કે તેને લગતા ઉપકરણો પરની ડ્યુટી જે ક્યારેક ઓછી હતી તેને વધારીને 2.5 ટકા કરી દેવાઈ છે. આ બોજ ડિલરો કે ડિસ્ટ્રીબ્યુટરો પર આવતાં આખરે ગ્રાહકો પર આવતાં મોબાઈલ ફોન મોંઘા થઈ શકે છે. તેની સામે સ્ટીલ પરની કસ્ટમ ડ્યુટી ઘટાડી દેવાઈ હોવાથી તે સામાનના ભાવો ઘટી શકે છે.વધુ વાંચો -
સિનિયર સિટીઝનો માટે બજેટમાં કઈ જાહેરાત થઈ
- 01, ફેબ્રુઆરી 2021 12:35 PM
- 4675 comments
- 1243 Views
દિલ્હી-સમગ્ર દેશ અને દુનિયા કોરોના જેવી મહામારીમાંથી પસાર થયા છે અને થઈ રહ્યા છે ત્યારે હવે સમયની માંગ છે કે, દેશના કરદાતાઓને રાહત આપવામાં આવે એમ નિર્મલા સિતારામને કહ્યું હતું. તેમણે સિનિયર સિટીઝનો માટે ખાસ જાહેરાત કરી હતી. તેમણે જાહેરાત કરી હતી કે 75 વર્ષ કે તેનાથી વધારે વય ધરાવનારા સિનિયર સિટીઝનોએ આવકવેરા પ્રમાણપત્ર મેળવવું નહીં પડે. સાથે જ એનઆરઆઈ લોકોને ટેક્સ ભરવામાં જે મુશ્કેલી પડતી હતી તેનો રસ્તો કાઢતાં કહ્યું હતું કે આ નાગરીકોએ હવે ડબલ ટેક્સ સિસ્ટમમાંથી પસાર થવું નહીં પડે.વધુ વાંચો -
સંસદના બજેટ સત્રનો પ્રથમ તબક્કો 15ને બદલે 13 ફેબ્રુઆરીએ પુરો થશે
- 01, ફેબ્રુઆરી 2021 12:34 PM
- 1220 comments
- 5490 Views
દિલ્હી-સંસદના બજેટ સત્રમાં ખેડુતોનો મુદ્દો પ્રવર્તે તેવી અપેક્ષા છે. એક સૂત્રએ રવિવારે કહ્યું કે સંસદના બજેટ સત્રનો પ્રથમ તબક્કો 15 ફેબ્રુઆરીને બદલે 13 ફેબ્રુઆરીએ પૂર્ણ થશે. સર્વપક્ષીય બેઠક દરમિયાન વિવિધ પક્ષોના નેતાઓએ કૃષિ કાયદાઓને લઈને ખેડુતોના વિરોધનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે તેઓ આ મુદ્દે ચર્ચા કરવા માગે છે. રાજ્યસભાએ પણ 13 મી ફેબ્રુઆરીએ તેની બેઠક બદલવાનો નિર્ણય લીધો છે. સર્વપક્ષીય બેઠકમાં રાજ્યસભાના અધ્યક્ષ એમ.વેંકૈયા નાયડુએ પણ તમામ પક્ષોના નેતાઓને બજેટ સત્ર દરમિયાન ગૃહની કાર્યવાહીની સુવ્યવસ્થિત અને અસરકારક વર્તન સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે બેઠકમાં સામેલ વિવિધ પક્ષોના નેતાઓએ ખાતરી આપી હતી કે ગૃહની બધી ચર્ચાઓ અને ચર્ચાઓ સંપૂર્ણ રીતે હાજર રહેશે.બેઠક બાદ સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ્યસભા 15 ફેબ્રુઆરીને બદલે બજેટ સત્રના પ્રથમ ભાગના અંતિમ દિવસ તરીકે 13 ફેબ્રુઆરીએ બેઠક કરશે તેવું પણ નક્કી કરવામાં આવ્યું હતું. આ પછી, વિભાગની સંસદીય સમિતિઓના વિવિધ વિભાગો અને મંત્રાલયોની અનુદાન સંબંધિત માંગણીઓની તપાસ માટે ગૃહની કાર્યવાહી મોકૂફ કરવામાં આવશે અને ત્યારબાદ બજેટ સત્રના બીજા તબક્કા માટે ગૃહની બેઠક 8 માર્ચે મળશે. રાજ્યસભાએ આભારની ગતિની ચર્ચા કરવા 10 કલાકનો સમય આપ્યો છે, જેના આભાર પ્રધાનમંત્રી જવાબ આપશે. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે સરકાર ખેડૂતોના પ્રદર્શન સહિત તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે. બેઠક બાદ જોશીએ પત્રકારોને કહ્યું, 'રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર માનવાની પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન, તમામ મુદ્દાઓ ઉભા કરી શકાય છે અને વડા પ્રધાન તેમને જવાબ આપશે. તેથી જ સરકાર તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા અને જવાબ આપવા તૈયાર છે. "સર્વપક્ષીય બેઠકમાં ઘણા મંત્રીઓ અને વિવિધ પક્ષોના 25 જેટલા નેતાઓ હાજર રહ્યા હતા. આગેવાનોએ રાષ્ટ્રપતિના સંબોધન અને સામાન્ય બજેટ પર આભાર માનવા માટે ચર્ચા કરવા માટે વધુ સમય માંગ્યો હતો, જેના આધારે નાયડુએ જોશી અને અન્ય સંબંધિત લોકો પાસેથી માહિતી લીધી જેથી કાર્યક્રમ ફરીથી ગોઠવી શકાય. અધ્યક્ષે કહ્યું કે આ બંને ચર્ચાઓમાં સભ્યોને વિવિધ મુદ્દાઓ પર પોતાના મંતવ્યો રજૂ કરવાની પૂરતી તકો મળશે અને આ માટે વધુ સમય આપી શકાય છે. તેમણે મંત્રીઓને વિનંતીને વિચારણા માટે રજૂ કરતી વખતે અને ચર્ચાના જવાબ આપતી વખતે ટુંકમાં બોલવાની કળા શીખે જેથી સભ્યોને બોલવામાં વધુ સમય મળે. નાના પક્ષો અને જૂથોના સભ્યોને પણ ગૃહમાં તેની ચર્ચા કરવા માટે પૂરતો સમય મળ્યો અને અધ્યક્ષે કહ્યું કે આવા સભ્યોને યોગ્ય સમય આપવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે લગભગ 20 જેટલા પક્ષોના સભ્યો માટે દરેક મુદ્દે બોલવું શક્ય નથી. સંસદીય બાબતોના પ્રધાન ઉપરાંત નાણામંત્રી નિર્મલા સીતારામન, રેલ્વે મંત્રી પિયુષ ગોયલ, વિદેશ પ્રધાન એસ જયશંકર, ગૃહ પ્રધાન હરદીપસિંહ પુરી પણ બેઠકમાં હાજર રહ્યા હતા. રાજ્યસભાના ડેપ્યુટી સ્પીકર હરિવંશ અને ગૃહના નેતા થાવરચંદ ગેહલોત પણ બેઠકમાં હાજર રહ્યા હતા. વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદ, કોંગ્રેસના ઉપ-નેતા આનંદ શર્મા અને ચીફ વ્હિપ જયરામ રમેશ, જેડી (એસ) ના નેતા અને પૂર્વ વડા પ્રધાન એચડી દેવે ગૌડા, ભાજપના નેતાઓ ભૂપેન્દ્ર યાદવ, સપાના ગોપાલ યાદવ, ડીએમકેના તિરુચી શિવ, એઆઈએડીએમકેના એ.નવરનાકૃષ્ણન, આરજેડી કે પ્રેમચંદ ગુપ્તા, બીજેડીના પ્રસન્ના આચાર્ય, જેડીયુ (યુ) ના નેતા આરસીપી સિંઘ, ટીઆરએસ નેતા કે કેશવ રાવ, વાયએસઆર કોંગ્રેસના એ વિજયસાઇ રેડ્ડી, આપ નેતા સંજય સિંઘ, સીપીઆઈ (એમ) નેતા ઇલામરામ કરીમ અને કનકમેડલા રવિન્દ્ર કુમારે પણ બેઠકમાં ભાગ લીધો હતો.વધુ વાંચો -
દેશના આ દુર્ગમ વિસ્તારમાં સેન્ટ્રલ યુનિવર્સિટી બનાવવાની જાહેરાત
- 01, ફેબ્રુઆરી 2021 12:30 PM
- 5973 comments
- 3379 Views
દિલ્હી-નાણામંત્રીએ સોમવારે બજેટ રજૂ કરતી વખતે શિક્ષણસુધાર અને ભંડોળ ફાળવણી બાબતે કહ્યું હતું કે, દેશભરમાં 100 જેટલી સૈનિક સ્કૂલો સ્થાપવામાં આવશે. એટલું જ નહીં પણ આદિવાસી વિસ્તારોમાં પણ શિક્ષણનો સુધાર કરવા માટે વધારે સંખ્યામાં એકલવ્ય શાળાઓ સ્થાપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, સરકાર શિક્ષણસુધાર માટે કટિબદ્ધ છે અને લેહમાં સેન્ટ્રલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે.વધુ વાંચો -
2021ના બજેટમા બદલાઇ કેટલીક જુની પરંમપરા, પહેલા પણ ઘણી બદલાઇ
- 01, ફેબ્રુઆરી 2021 12:27 PM
- 6332 comments
- 2959 Views
દિલ્હી-કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે બજેટને લગતી અનેક પરંપરાઓમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. વર્ષ 2017 માં, મોદી સરકારે બજેટ રજૂ કરવાની તારીખમાં નોંધપાત્ર ફેરફાર કર્યા અને 1 ફેબ્રુઆરીએ તેને બદલ્યો. તે પહેલાં ફેબ્રુઆરીના અંતિમ કાર્યકારી દિવસે (28 અથવા 29 ફેબ્રુઆરી) સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. 2017 માં પીએમ મોદીએ પોતે કહ્યું હતું કે તેમની સરકારે બજેટ રજૂ કરવાની તારીખ કેમ બદલી? તેમણે સંસદમાં કહ્યું કે ભારત એક કૃષિ દેશ હોવાથી અને જૂનના પહેલા અઠવાડિયાથી વરસાદ શરૂ થાય છે. આ સંદર્ભમાં, બાકીના ત્રણ મહિનામાં (માર્ચ, એપ્રિલ અને મે) બજેટનો ઉપયોગ કરવો મુશ્કેલ હતો. પીએમએ કહ્યું હતું કે નવી પરંપરા એક મહિના માટે વધુ સમય આપશે.જ્યારે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે 2019 માં પહેલીવાર બજેટ રજૂ કર્યું ત્યારે તેમણે આઝાદી પછી 1947 થી ચાલેલી બ્રીફકેસ પરંપરાને બદલી નાખી. મોદી સરકારના બીજા કાર્યકાળ પહેલા નિર્મલા સીતારામને બજેટનું ભારતીયકરણ કર્યું હતું અને તેને લાલ કાપડમાં લપેટ્યું હતું અને તેને પુસ્તક-રૂપ આપ્યું હતું. 5 જુલાઈ, 2019 ના રોજ, તે લાલ કાપડની થેલીમાં બજેટ દસ્તાવેજ સાથે સંસદમાં પહોંચી હતી. ત્યારે તેમણે કહ્યું કે દેશનું બજેટ ખરેખર દેશનું પુસ્તક છે, તેથી તેમણે બજેટનું રૂપ બદલ્યું છે. આ અગાઉ દેશના પ્રથમ નાણાં પ્રધાન આર.સી.કે. જ્યારે ચેટ્ટીએ 1947 માં આઝાદી પછી દેશનું પહેલું બજેટ રજૂ કર્યું, ત્યારે તેઓ ચામડાની બ્રીફકેસમાં બજેટ દસ્તાવેજો સાથે સંસદ પહોંચ્યા. ત્યારથી, દેશના દરેક નાણાં પ્રધાનો આ પરંપરાને અનુસરે છે.ભાજપના નેતૃત્વ હેઠળની મોદી સરકારે પણ વર્ષ 2016 માં 1924 થી રેલ્વે બજેટની પરંપરા બદલી. 2021 પહેલા રેલવે બજેટ સામાન્ય બજેટ કરતા અલગ અને અગાઉ રજૂ કરાયું હતું, પરંતુ 2021 માં તત્કાલિન કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલીએ રેલ બજેટને સામાન્ય બજેટમાં ભળીને રજૂ કર્યું હતું. દેશનું પ્રથમ રેલ્વે બજેટ વર્ષ 1924 માં રજૂ કરવામાં આવ્યું હતું. મોદી સરકાર પહેલા ભાજપના નેતૃત્વ હેઠળની અટલ બિહારી વાજપેયી સરકારે પણ બજેટ સાથે જોડાયેલી જૂની પરંપરાને બદલી નાખી હતી. 1999 પહેલા, તમામ બજેટ સાંજે પાંચ વાગ્યે રજૂ કરવામાં આવ્યાં હતાં, પરંતુ 1999 માં તત્કાલીન નાણાં પ્રધાન યશવંત સિંહાએ પરંપરા તોડીને સવારે 11 વાગ્યે પહેલી વાર રજૂ કરી હતી. ત્યારબાદ બજેટ સવારે 11 વાગ્યે લોકસભામાં રજૂ કરવામાં આવે છે.વધુ વાંચો -
વીમાક્ષેત્રે નાણામંત્રીની ખાસ જાહેરાત કઈ
- 01, ફેબ્રુઆરી 2021 12:25 PM
- 4586 comments
- 2355 Views
મુંબઈ-નાણામંત્રીએ સંસદમાં બજેટ રજૂ કરતી વખતે કહ્યું હતું કે, હવે વીમાક્ષેત્રે 74 ટકા સુધી વિદેશી રોકાણને મંજૂરી આપવામાં આવશે. અત્યાર સુધી આ મર્યાદા 49 ટકા સુધીની જ હતી. તેમણે કહ્યું હતું કે આમ છતાં, કંપનીઓ પર ભારતીય પ્રભુત્વ ચાલુ રહેશે. તેમણે કહ્યું હતું કે, સરકાર વિનિવેશ માટે પ્રયાસો કરી રહી છે અને તેના ભાગરૂપે આ વર્ષે જ જીવન વીમા નિગમ એટલે કે એલઆઈસીનો નવો આઈપીઓ પણ લાવવામાં આવશે.વધુ વાંચો -
નાણામંત્રીએ ખેડૂતો માટે કઈ જાહેરાતો કરી
- 01, ફેબ્રુઆરી 2021 12:18 PM
- 4538 comments
- 5076 Views
દિલ્હી-સંસદમાં બજેટની જાહેરાત દરમિયાન નાણામંત્રી નિર્મલા સિતારામને દાવો કર્યો હતો કે ગયા નાણાકીય વર્ષ દરમિયાન પણ સરકારે ખેડૂતોને મહત્તમ સહાય કરવાનો પ્રયાસ કર્યો છે. ખેડૂતોને ટેકાના ભાવો મહત્તમ અપાયા હોવાનો દાવો કરતા તેમણે કહ્યું હતું કે, ખેડૂતોને ગત વર્ષે 75 હજાર કરોડ રૂપિયા વધારે આપવામાં આવ્યા છે. મોદી સરકારે અગાઉની સરકાર કરતાં ત્રણગણી વધારે રકમ ખેડૂતોને વધારે આપી હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે સરકાર એવા પ્રયાસો કરે છે જેથી તેમને તેમના રોકાણ કરતા દોઢગણી રકમ વધારે મળી શકે. વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી શકાય એવા સરકારના પ્રયાસો હોવાનું તેમણે જણાવ્યું હતું.વધુ વાંચો -
બજેટની અસર દેખાઇ શેરમાર્કેટ પર, સેનસેક્સ 47,228 પર પહોચ્યું
- 01, ફેબ્રુઆરી 2021 12:21 PM
- 1841 comments
- 1954 Views
મુંબઇ-નાણામંત્રી નિર્મલા સીતારામન આ સમયે કેન્દ્રીય બજેટ રજૂ કરી રહ્યા છે તે ત્રીજી વખત બજેટ રજૂ કરી રહી છે. બજેટની રજૂઆત પહેલાં સેન્સેક્સ આજે સવારે વધારા સાથે ખુલ્યું હતું, જે હવે 47228 પોઇન્ટ પર પહોંચી ગયું છે. હાલમાં તે 50 હજારના આંકડાથી નીચે ચાલી રહ્યું છે. તે જ સમયે, નિફ્ટી થોડો વધારો થયા પછી 13898 પોઇન્ટ સુધી પહોંચ્યો. તાજેતરમાં સેન્સેક્સે 50 હજારનો આંકડો પાર કર્યો.વિદેશી પોર્ટફોલિયોના રોકાણકારોએ (એફપીઆઈ) જાન્યુઆરીમાં ભારતીય બજારોમાં કુલ રૂ. 14,649 કરોડનું રોકાણ કર્યું છે. એફપીઆઈ વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ તરલતા વચ્ચે ઉભરતા બજારોમાં રોકાણ કરી રહ્યા છે. જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસીસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી.કે. વિજયકુમારે જણાવ્યું હતું કે બજેટ દરખાસ્તો અંગેની અનિશ્ચિતતાને કારણે એફપીઆઈ હજી પણ બજારની દિશા વિશે મૂંઝવણમાં છે. આને કારણે તેઓ છેલ્લા કેટલાક દિવસોથી વેચાઇ રહ્યા છે. તેમણે કહ્યું કે ભારતે નવેમ્બર અને ડિસેમ્બરમાં ઉભરતા બજારોમાં એફપીઆઈ પાસેથી મહત્તમ રોકાણ મેળવ્યું છે. આ કારણોસર સેન્સેક્સ 50,000 પોઇન્ટના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. તેમણે કહ્યું, "એફપીઆઈ બજેટ અંગેની અનિશ્ચિતતાને કારણે હાલના સ્તરે નફામાં ઘટાડો કરી રહી છે."બીજી તરફ સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંની નવની માર્કેટ કેપિટલાઈઝેશન (માર્કેટ કેપ) પાછલા સપ્તાહે રૂ .3,96,629.40 કરોડ ઘટી હતી.બજારમાં વ્યાપક નબળાઇને કારણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને સૌથી વધુ નુકસાન થયું છે. બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ સેન્સેક્સ સામાન્ય બજેટ પહેલાં શ્રેણીબદ્ધ નફા-બુકિંગ પછી ગયા અઠવાડિયે 2,592.77 પોઇન્ટ એટલે કે 5.30 ટકા તૂટ્યા છે.વધુ વાંચો -
ક્યા રાજ્યને મળશે નવા હાઇવે, ક્યા સેક્ટરનું બજેટ વધારવામાં આવ્યું ?
- 01, ફેબ્રુઆરી 2021 12:13 PM
- 6520 comments
- 5914 Views
દિલ્હી-નાણાં પ્રધાન નિર્મલા સીતારામન સંસદમાં કેન્દ્રીય બજેટ 2021 રજૂ કરી રહ્યા છે. તેમણે વિવિધ પ્રદેશો માટે ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. નાણાં પ્રધાને બજેટ રજૂ કરતાં કહ્યું કે, 'ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો થશે અને રોકાણ કરવામાં આવશે. આરોગ્ય, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું બજેટ વધાર્યું છે. 1.18 કરોડ રૂપિયા પરિવહન મંત્રાલયને આપવામાં આવશે. દેશમાં આવતા વર્ષ સુધીમાં 8500 કે.મી.ના રોડ પ્રોજેક્ટ તૈયાર થઈ જશે. બંગાળમાં હાઇવે પ્રોજેક્ટ માટે 25 હજાર કરોડ રૂપિયા આપવામાં આવશે. કોલકાતા-સિલિગુરીના રિપેર કામ પર ખર્ચ કરવામાં આવશે. 18 હજાર કરોડ રૂપિયા જાહેર બસ માટે આપવામાં આવશે. કેરળમાં 1,100 કિલોમીટરનો હાઇવે બનાવવામાં આવશે.નિર્મલા સીતારામને કહ્યું, 'પશ્ચિમ બંગાળમાં 675 કિલોમીટર હાઇવે બનાવવામાં આવશે. આસામમાં 19,000 કરોડ રૂપિયાની હાઇવે યોજના ચાલુ છે. આસામમાં રોડ પ્રોજેક્ટ માટે રૂ .35,000 કરોડ આપવામાં આવશે. કન્યાકુમારી કોરિડોર માટે 65,000 કરોડની જોગવાઈ કરવામાં આવશે. મૂડી ખર્ચમાં રૂ .5.54 લાખ કરોડની દરખાસ્ત છે. આરોગ્યનું બજેટ રૂપિયા 94,000 કરોડથી વધીને રૂ. 2.38 લાખ કરોડ થયું છે. વડાપ્રધાન સ્વનિર્ભર આરોગ્ય યોજના શરૂ કરવામાં આવશે. રેલ્વેએ રાષ્ટ્રીય રેલ યોજના તૈયાર કરી છે. પૂર્વ-પશ્ચિમ રેલ કોરિડોર બનાવવામાં આવશે. 2023 સુધીમાં, બ્રોડગેજ સંપૂર્ણ રૂપે વીજળીકરણ કરવામાં આવશે. 1.1 લાખ કરોડ રૂપિયા મૂડી ખર્ચ માટે રેલવેને આપવામાં આવશે.તેમણે વધુમાં કહ્યું કે, '17 નવા દેશમાં ઇમરજન્સી આરોગ્ય કેન્દ્રો ખુલશે. ધ્યેય ખેડૂતોની આવક બમણી કરવાનું છે. પીએમ સેલ્ફ રિલાયન્ટ હેલ્ધી ઇન્ડિયા સ્કીમ શરૂ કરવામાં આવી રહી છે. મિશન ન્યુટ્રિશન 2.0 શરૂ કરવામાં આવી રહી છે. જૂના વાહનો માટે સ્ક્રેપ પોલિસી લાવવામાં આવશે. 35 હજાર કરોડ કોરોના રસી માટે આપવામાં આવશે. નાણાં પ્રધાને કહ્યું, 'આ બજેટ આવા સંજોગોમાં તૈયાર કરવામાં આવ્યું છે, જે પહેલાં ક્યારેય નહોતું. 2020 માં કોવિડ -19 સાથે આપણે શું સહન કર્યું તેનું કોઈ ઉદાહરણ નથી. આજે ભારતમાં બે રસી ઉપલબ્ધ છે. અમે દવાના દૃષ્ટિકોણથી આપણા પોતાના નાગરિકોને કોવિડ -19 સામે રક્ષણ આપવાનું શરૂ કર્યું છે. 100 કે તેથી વધુ દેશોના લોકોએ પણ તેની સુરક્ષા પૂરી પાડી છે.તેમણે વધુમાં કહ્યું કે, '80 કરોડ લોકોને રોગચાળા દરમિયાન નિ: શુલ્ક અનાજ આપવામાં આવ્યું હતું. 40 કરોડ લોકોના ખાતામાં પૈસા પહોંચી ગયા. ભારતમાં કોરોનાનું મૃત્યુ દર ઘણું ઓછું છે. સરકારનું લક્ષ્ય દરેકને શીખવવાનું છે. જળ જીવન મિશન (શહેરી) શરૂ કરવામાં આવશે. હવાના પ્રદૂષણથી બચવા 2 હજાર કરોડની સહાય આપવામાં આવશે. સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત એ વિશેષ યોજનાઓ છે.વધુ વાંચો -
એફડીઆઈ, મેટ્રો રેલ, ઈન્શ્યોરન્સક્ષેત્રો માટે નાણામંત્રીએ કઈ જાહેરાત કરી
- 01, ફેબ્રુઆરી 2021 11:08 AM
- 8425 comments
- 7049 Views
દિલ્હી-નાણાંમંત્રી નિર્મલા સિતારમન દ્વારા સંસદમાં રજૂ થયેલા બજેટની ખાસ વિગતો આ મુજબ છે-1. કોરોના મહામારીના વસમા સમયમાં બજેટ પેશ કરાયું છે એ પહેલાં મહામારી દરમિયાન પાંચ જાહેરાતો કરાઈ.2. આત્મ-નિર્ભર ભારતની જોગવાઈઓ અંતર્ગત 27.1 લાખ કરોડ રૂપિયાની મદદ કરાઈ હતી જે જીડીપીનો 13 ટકા હિસ્સો છે3. ઈન્ફ્રાસ્ટ્રક્ચરક્ષેત્રે સુધારો અને રોકાણ કરાશે.4. ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક5. સ્વચ્છ ભારત 2.0નો આરંભ કરવામાં આવશે.6. કોવિડ-19ની રસી માટે 35,000 કરોડ જેટલી રકમની ફાળવણી7. જલજીવન મિશન માટે 2.87 લાખ કરોડ રૂપિયાની ફાળવણી8. હવાના પ્રદુષણને રોકવા માટે ખાસ 2,217 કરોડ રૂપિયાની ફાળવણી, 42 અર્બન સેન્ટર્સ ખુલ્લા મૂકાશે9. દેશનો જીડીપી બે વખત માઈનસમાં ગયો, જે વિશ્વની અર્થવ્યવસ્થા સાથે સંગત હતો10. નવા નાણાકીય વર્ષ દરમિયાન ખેડૂતોની આવક બમણી કરવા પર, જનસામાન્યની સમસ્યાઓ ઉકેલવા પર અને વિકાસદર હાંસલ કરવા પર ધ્યાન11. મેટ્રો રેલ માટે કેન્દ્ર સરકાર રાજ્યોને મદદ કરશે, બે પ્રકારની મેટ્રો બનાવાશે મેટ્રો લાઈટ અને મેટ્રો નિયો12. વીમાક્ષેત્રે 74 ટકા એફડીઆઈ13. એનપીએની હાલત સુધારવા માટે મેનેજમેન્ટ કંપની બનાવવામાં આવશે14. વિનિવેશક્ષેત્રે સરકારનો મોટો નિર્ણયઃ વિનિવેશ કાનૂન સુધારાશે15. આગામી વર્ષે અનેક જાહેરક્ષેત્રની કંપનીઓમાં વિનિવેશ કરાશેવધુ વાંચો -
બજેટ 2021ને લઇને રાહુલ ગાંધીએ આપ્યા સરકારને કેટલાક સુચનો
- 01, ફેબ્રુઆરી 2021 11:57 AM
- 4925 comments
- 3181 Views
દિલ્હી-કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને બજેટ 2021 અંગે સૂચનો આપ્યા છે. રાહુલ ગાંધીએ કોરોનાવાયરસ સંકટ, સરહદ સુરક્ષા અને રોજગાર ઉત્પન્ન કરવાનો મુદ્દો ઉઠાવ્યો છે. કોંગ્રેસ નેતાએ કેન્દ્રને સંરક્ષણ અને આરોગ્યસંભાળમાં ખર્ચ વધારવા સૂચન કર્યું છે. એમણે એમ પણ કહ્યું હતું કે એમએસએમઇ, ખેડુતો અને કામદારોના ટેકા માટેનું બજેટ રોજગાર પેદા કરવા માટે જરૂરી છે. નાણામંત્રી નિર્મલા સીતારામન સોમવારે સામાન્ય બજેટ રજૂ કરી રહ્યા છે. આ બજેટને કોરોના કટોકટી અને તેમાં ઉદભવતા પડકારો વચ્ચે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, "બજેટ 2021: માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઇ), ખેડુતો અને કામદારોને રોજગાર પેદા કરવા માટે ... લોકોના જીવન બચાવવા આરોગ્યસંભાળ પર ખર્ચ વધારવા માટે સરહદ ... સંરક્ષણ ખર્ચ વધારવા જોઇએ. આ અગાઉ કોંગ્રેસે સોમવારે કહ્યું હતું કે નાણા પ્રધાન નિર્મલા સીતારમણ માટે લોકોની અપેક્ષાઓ પૂરી કરવા અને અર્થપૂર્ણ પરિણામો પહોંચાડવા માટે “વિચારસરણી અને અમલના સ્થિરતા” માંથી બહાર નીકળવું પડકાર છે.કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કર્યું, "શું મહત્તમ સૂત્રધાર, લઘુતમ કાર્ય" વાળા સરકાર બજેટ -2021 અંગે ભારતની અપેક્ષાઓનું પાલન કરી શકશે? " તેમણે કટાક્ષ સાથે કહ્યું, "નાણાં પ્રધાન માટે 'વિચારધારા અને અમલના સ્થિરતા'માંથી બહાર આવવું અને લોકોને અર્થપૂર્ણ પરિણામો આપવાનું એક પડકાર છે."વધુ વાંચો -
ચાલુ નાણાકીય વર્ષમાં સરકારે બાયબેક અને વિનિવેશ થકી આટલા નાણાં ભેગા કર્યા
- 01, ફેબ્રુઆરી 2021 10:33 AM
- 8185 comments
- 2096 Views
મુંબઈ-સરકારે ચાલુ વર્ષે સરકારી એકમોમાંથી પોતાનો હિસ્સો વેચી દઈને કે પછી કેટલાંક બાયબેક કરીને અત્યાર સુધીમાં 19,499 કરોડ રૂપિયા મેળવ્યા છે, જ્યારે આગામી નાણાકીય વર્ષ દરમિયાન તેનાથી વધારે એટલે કે 2.10 લાખ કરોડ રૂપિયા એકઠા કરવાનું આયોજન કર્યું છે. જો કે કોરોના મહામારીને પગલે ભારતીય જીવન વિમા નિગમ સહિતની કંપનીઓના જે લક્ષ્યાંકો હતા તે ચૂકી જવાયા હોવાથી ચાલુ નાણાંકીય વર્ષમાં સરકારનું જે લક્ષ્ય છે તે હાંસલ કરવામાં મુશ્કેલી પડશે. નાણામંત્રીએ વિનિવેશ, બાયબેક તેમજ સરકારી કંપનીઓમાં પોતાની હિસ્સેદારી ઘટાડવા સહિતના વિકલ્પો ખુલ્લા રાખ્યા છે.વધુ વાંચો
ફોટો
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ