લો બોલો, દારુ ન મળતા પી લીધું સેનિટાઇઝર, 2 વ્યક્તિએ જીવ ગુમાવ્યા 2 હજુ ગંભીર
03, મે 2021

છત્તીસગઢ-

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં સેનિટાઇઝર પીધા પછી બે લોકોનાં મોત નીપજ્યાં છે અને બે અન્ય લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બંનેને જિલ્લાની ડોક્ટર ભીમરાવ આંબેડકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે આ કેસમાં રાજધાની રાયપુર જિલ્લાના શહેરના ગોલ બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતાં રાજુ છૂરા અને તેના મિત્ર વિજય કુમાર ચૌહાણ, અનિલ છેડ્યા, ચંદન તિવારીને દારૂ ન મળવાને કારણે, પીવાના સેનિટાઇઝર પી લીધું હતું. અને આના કારણે રાજુ છૂરા અને વિજયકુમાર ચૌહાણની હાલત વધુ ખરાબ થઈ હતી અને હોસ્પિટલમાં જ તેનું મોત નીપજ્યું હતું. જ્યાં બે સાથી અનિલે છેડ્યા અને ચંદન તિવારીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, જિલ્લામાં કોરોના વાયરસના ચેપને કારણે રાજ્યમાં ચાલુ લોકડાઉન દરમિયાન દારૂની દુકાનો બંધ હોવાનું જણાવાયું હતું. આવી સ્થિતિમાં દારૂના અભાવને કારણે ચારેય લોકો નશો કરવા માટે સેનિટાઇઝર પી ગયા હતા. જે બાદ તેમની હાલત વધુ વણસી જતા તેના પરિવારજનો તેમને હોસ્પિટલમાં લાવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન બે લોકોનાં મોત નીપજ્યાં હતાં.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution