પાકિસ્તાન સરકાર દ્વારા 29 જુને કરતારપુર કોરીડોર ખોલવામાં આવશે
27, જુન 2020

દિલ્લી,

કોરોના વાયરસના  કારણે વિશ્વભરના ધાર્મિક સ્થળો બંધ થઈ ગઈ હતી. લોકોને ચેપથી બચાવવા માટે, પાકિસ્તાને પણ કરતારપુર કોરિડોર બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ હવે ફરી એક વખત તેને ભક્તો માટે ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરેશીએ ખુદ આ અંગે માહિતી આપી છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રી કુરેશીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર લખ્યું છે કે, દુનિયાભરમાં ધાર્મિક સ્થળો ખુલી ગયા છે, તેથી પાકિસ્તાન પણ કરતારપુર સાહિબ કોરિડોર ખોલવાની તૈયારી કરી રહ્યું છે અને ભારતીય પક્ષને આ વિશે માહિતગાર કરશે. આપવામાં આવી છે. તેમણે કહ્યું, અમે તેને 29 જૂને મહારાજા રણજીત સિંહની પુણ્યતિથિ નિમિત્તે ભક્તો માટે ખોલવાની તૈયારી કરી રહ્યા છીએ.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution