દિલ્હી-

છત્તીસગઢના દુર્ગ જિલ્લાના ખપરી ગામમાં “કુકુરદેવ” નામનું એક પ્રાચીન મંદિર છે. આ મંદિર કોઈ પણ દેવતાની નહીં પણ કુતરાની પૂજા થાય છે, જો કે તેની સાથે શિવલિંગ પણ છે. એવું માનવામાં આવે છે કે અહીં મુલાકાત લેનારા ને કુતરાના કરડવાનો કોઈ ભય રહેતો નથી.

આ મંદિરનુ નિર્માણ 14 મી -15 મી સદીમાં ફણી નાગાવંશી શાસકો દ્વારા કરવામાં આવ્યું હતું. મંદિરના ગર્ભગૃહમાં કૂતરાની મૂર્તી છે અને તેની બાજુમાં એક શિવલિંગ છે. કુકુર દેવ મંદિર 200 મીટરની ત્રિજ્યામાં ફેલાયેલુ છે. મંદિરના પ્રવેશદ્વારની બંને બાજુ શ્વાનની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. સામાન્ય શિવ મંદિરોમાં નંદીની પૂજા કરવામાં આવે છે તે જ રીતે આ મંદિરમાં શિવની સાથે કૂતરા (કુકુરદેવ) ની પણ પૂજા કરે છે.

આ મંદિરમાં ગુંબજની ચારે દિશામાં સાર્પ દેવના ચિત્રો છે. તે જ સમયના શિલાલેખો પણ મંદિરની બહાર અને આજુબાજુ મૂકવામાં આવ્યા છે  આના પર, વણઝારા વસ્તી, ચંદ્ર અને સૂર્ય અને તારાઓ બનાવવામાં આવે છે. રામ લક્ષ્મણ અને શત્રુઘનની મૂર્તિઓ પણ રાખવામાં આવી છે. આ ઉપરાંત મંદિરમાં એક જ પત્થરથી બનેલી બે ફૂટની ગણેશ પ્રતિમા પણ સ્થાપિત છે.

લોક માન્યતા પ્રમાણે એક સમયે અહીં વણઝારા લોકની વસ્તી હતી. માલિઘોરી નામના વણઝારા પાસે પોતાનો પાલતુ કૂતરો હતો. દુષ્કાળને લીધે, વણઝારાએ તેના પ્રિય કૂતરાને પૈસા લઈને ગીરવે મુક્યા હતા. દરમિયાન, પૈસા આપનારના મકાનની ચોરી થઈ હતી. કૂતરાએ ચોરને નજીકના તળાવમાં પૈસા આપનારના ઘરેથી ચોરેલો માલ છુપાવતો જોયો હતો. સવારે કૂતરો પૈસાદારને ત્યાં તળાવ કિનારે લઇ ગયો અને પૈસા આપનારને ચોરેલો માલ પણ મળી ગયો.

કૂતરાની નિષ્ઠાથી ખુશ થઈને ધિરાણ આપનારે તે કુતરાના બધી હકીકત લખી કુતરાના ગાળામાં બાંધી અને તેને પોતાના અસલી પાસે જવા માટે મુક્ત કર્યો. આ બાજુ અસલી માલિકે કુતરાને પચ્ચો આવતો જોયો અને તેને ગુસ્સો આવ્યો અને તેને કુતરાને લાકડી વડે મારવાનું શરુ કર્યું. એટલો માર્યો કે કુતરો મૃત્યુ પામ્યો. કૂતરાના મૃત્યુ પછી, તેને તેની ગળામાં બંધાયેલ પત્ર જોઈને તેની ભૂલનો અહેસાસ થયો અને વણઝારાએ તેના પ્રિય સ્વામી ભક્ત કૂતરાની યાદમાં મંદિરના આંગણામાં કુકુર સમાધિ બનાવી. બાદમાં કોઈએ કૂતરાની પ્રતિમા પણ સ્થાપિત કરી. આજે પણ, આ સ્થાન કુકુરદેવ મંદિર તરીકે પ્રખ્યાત છે.

મંદિરની સામેના રસ્તેથી માલિધોરી ગામ શરૂ થાય છે, જેનું નામ માલિધોરી વણઝારા ના નામ પર થી જ પાડવામાં આવ્યું છે. આ મંદિરમાં એવા લોકો પણ આવે છે જેમને કૂતરાએ કરડ્યો છે. જોકે અહીં કોઈની સારવાર કરવામાં આવતી નથી, પરંતુ માનવામાં આવે છે કે અહીં આવીને તે વ્યક્તિ સાજો થઈ જાય છે. ‘કુકુરદેવ મંદિર’નું બોર્ડ જોઇને લોકો પણ અહીં કુતૂહલથી આવે છે.