વડોદરા ફાયર બ્રિગેડમાં એક સપ્તાહમાં બે જવાનો સંક્રમિત થતા વધી ચિંતા
13, ઓગ્સ્ટ 2020

વડોદરા-

વડોદરામાં આગ અને અકસ્માત જેવી ઇમરજન્સી સેવાઓમાં કાર્યરત ફાયર બ્રિગેડમાં પણ કોરોનાની એન્ટ્રી થઇ છે. ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સ એવા ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ કોરોના સંક્રમિત થયા હોવાના કિસ્સા બાદ પોલીસ વિભાગમાં પણ કોરોનાના કેસો બનવા માંડયા છે. પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં તાલીમી જવાનો સંક્રમિત થયા હતા.

પોલીસ ભવનમાં પણ કોરોનાની એન્ટ્રી થતાં હાલમાં પોલીસ ભવનમાં બહારના લોકો માટે એન્ટ્રી બંધ કરવામાં આવી છે. હવે ફાયર બ્રિગેડમાં પણ કોરોનાના પોઝિટિવ કેસો બનતાં આરોગ્ય વિભાગની ચિંતા વધી છે.વડોદરા ફાયર બ્રિગેડમાં એક સપ્તાહમાં બે જવાનો સંક્રમિત થયા છે.પરંતુ આ પૈકી એક જવાનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.જ્યારે બીજા જવાનની હાલત પણ સ્થિર હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution