મોરબી, મોરબીમાં જીવલેણ અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે. સોમવારે રાત્રીના નવેક વાગ્યાના અરસામાં મોરબી-માળીયા હાઇવે ઉપર લક્ષ્મીનગર નજીક અંધારામાં બંધ ટ્રક પાછળ બાઈક ઘુસી જતા બે વ્યક્તિનાં મૃત્યુ નિપજ્યા હોવાનું સામે આવ્યું છે.આ ગોઝારા અકસ્માતના બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી-માળીયા હાઇવે ઉપર લક્ષ્મીનગર નજીક પુલ પાસે ભરડીયા નજીક બંધ પડેલા ટ્રક પાછળ રાત્રીના અંધારામાં બાઈક ઘુસી જતા સવારામભાઈ ( ઉ.વર્ષ ૩૫ )નામના વ્યક્તિનું મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે અને અન્ય મૃત વ્યક્તિની ઓળખ મેળવવા પ્રયાસો ચાલી રહ્યા છે.આ અકસ્માતની જાણ થતાં જ મોરબી તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા સહિતનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો છે. તેમજ ડેડ બોડીને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવા તજવીજ હાથ ધરવાની સાથે અકસ્માતમાં મૃત્યુ પામનારા અન્ય વ્યક્તિની ઓળખ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments