મોરબી, મોરબીમાં જીવલેણ અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે. સોમવારે રાત્રીના નવેક વાગ્યાના અરસામાં મોરબી-માળીયા હાઇવે ઉપર લક્ષ્મીનગર નજીક અંધારામાં બંધ ટ્રક પાછળ બાઈક ઘુસી જતા બે વ્યક્તિનાં મૃત્યુ નિપજ્યા હોવાનું સામે આવ્યું છે.આ ગોઝારા અકસ્માતના બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી-માળીયા હાઇવે ઉપર લક્ષ્મીનગર નજીક પુલ પાસે ભરડીયા નજીક બંધ પડેલા ટ્રક પાછળ રાત્રીના અંધારામાં બાઈક ઘુસી જતા સવારામભાઈ ( ઉ.વર્ષ ૩૫ )નામના વ્યક્તિનું મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે અને અન્ય મૃત વ્યક્તિની ઓળખ મેળવવા પ્રયાસો ચાલી રહ્યા છે.આ અકસ્માતની જાણ થતાં જ મોરબી તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા સહિતનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો છે. તેમજ ડેડ બોડીને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવા તજવીજ હાથ ધરવાની સાથે અકસ્માતમાં મૃત્યુ પામનારા અન્ય વ્યક્તિની ઓળખ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે.