ઉત્તર પ્રદેશ: 6 લોકોના દેશી દારું પીવાથી મોત, ઠેકેદારે કર્યું સરેન્ડર
24, નવેમ્બર 2020

લખનૌ-

લખનૌના બંથરામાં ઝેરી દારૂ પીને છ લોકોના મોત થયા બાદ ખળભળાટ મચી ગયો છે સરકાર કાર્યવાહીમાં છે. અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. હવે ઘણા દિવસોથી ફરાર રહેલા કોન્ટ્રાકટરે સરેન્ડર કરી દીધું છે. દેશી દારૂનો ઠેકેદાર સુભાષ કુમારે પોલીસને ટાળીને કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. હાલ સુભાષને કોર્ટે જેલ મોકલી છે.

છ લોકોના મોત બાદ બંથરામાં 3 એફઆઈઆર નોંધાઈ હતી, જે બાદ ઠેકેદાર ફરાર થઈ ગયો હતો. માહિતી માટે જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા બાથરામાં ઝેરી દારૂ પીધા બાદ 6 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ પછી, યોગી સરકારે એક્સાઈઝ વિભાગના ઘણા અધિકારીઓને સસ્પેન્ડ કર્યા. એટલું જ નહીં લખનૌ કમિશનર સુજિત પાંડેને પણ પદ પરથી હટાવી સીતાપુર ટ્રેનિંગ કોલેજમાં મોકલી દેવાયા હતા.

જો કે, 6 લોકોનાં મોતનાં કેસ બાદ તત્કાલીન પોલીસ કમિશનર સુજિત પાંડેએ બે પોલીસ કર્મચારી, ઇન્સપેક્ટર રમેશસિંહ રાવત સમિકને બેદરકારી બદલ સસ્પેન્ડ કર્યા હતા. જ્યારે આ બાબતની તપાસ કરવામાં આવી ત્યારે વહીવટીતંત્રએ શોધી કાઢ્યું 9 થી 13 નવેમ્બરની વચ્ચે સ્ટોકની ચકાસણી કરવામાં આવી નથી. એટલું જ નહીં, આ સમયગાળા દરમિયાન શેરમાં પણ ગેરરીતિઓ જોવા મળી હતી.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution