અમદાવાદ-

અરબી સમુદ્ર થી દક્ષિણ ગુજરાત સુધી એક સિસ્ટમ તૈયાર થઈ છે જેમને પગલે હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી વરસાદ ની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 5 દિવસ વાતાવરણ વાદળછાયું રહેશે.

ચોમાસાના આગમનને લઇને હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે. જોકે ગુજરાતમાં 15 થી 20 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થશે. કેરળમાં 3 જૂનથી ચોમાસાની વિધિવત્ શરૂઆત થશે. 3 જૂનનાં રોજ જાહેરાત હવામાન વિભાગ કરશે. ગુજરાતમાં આગામી 5 દિવસ વાતાવરણ વાદળછાયું રહેશે. આવનાર 4 દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. જેમાં વલસાડ, નવસારી, ડાંગમાં વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ 3-4 જૂને વરસાદ પડી શકે તેવી આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં વરસાદની આગાહી છે. સાથે હવામાન નિષ્ણાતોએ જણાવ્યું કે, તાપમાનમાં કોઈ મોટો ફરક જોવા નહીં મળે. જો કે ઉકળાટ જેવું વાતાવરણ પણ જોવા મળી શકે છેે સાથે વાતાવરણ વાદળછાયું રહેશે. હવામાન વિભાગના ડાયરેકટર મનોરમાં મોહન્તીએ જણાવ્યું છે કે ગુજરાત ચોમાસાની સતાવાર શરૂઆત 15 જૂનથી થાય છે. ચોમાસાનો વરસાદ કેરળમાં શરૂ થયા બાદ ગુજરાતમાં આવે છે. એટલે ગુજરાતમાં 15 થી 20 જૂન વચ્ચે ચોમાસાના આગમનનું અનુમાન છે. ગુજરાતમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી થઈ રહી છે. તેમજ અરબી સમુદ્રમાંથી દક્ષિણ ગુજરાત સુધી એક સિસ્ટમ છે જેને કારણે ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.