દિલ્હી-
બ્રિટનના વેલ્સમાં વસેલા હિંદુ અને શીખ સમુદાયના લોકોને ગુજરી ગયેલા લોકોની અસ્થિ વિસર્જન કરવા માટે જગ્યા મળી ગઇ છે. બ્રિટનની ટૈફ નદીમાં હવેથી બંને સમુદાયના લોકો અસ્થિ વિસર્જન કરી શક્શે. ગત શનિવારથી આની સત્તાવાર રીતે શરૂઆત થઇ ચૂકી છે. 2016 માં તૈયાર કરવામાં આવેલ અંતિમ સંસ્કાર ગ્રૃપ વેલ્સની અધ્યક્ષ વિમલા પટેલે જણાવ્યુ કે, કાર્ડિક કાઉન્સીલે આ નિર્માણ કાર્યમાં આર્થિક સહયોગ આપ્યો છે. સાઉથ વેલ્સમાં રહેતા લેંડફ રોવિંગ ક્લબ અને હિંદુ અને શીખ સમુદાયના સદસ્યોએ અંતિમ ખર્ચાઓને પૂરા કરવામાં પોતાનું યોગદાન આપ્યુ છે. તેમણે જણાવ્યુ કે, વર્ષોના પરિશ્રમ બાદ હવે અમારી પાસે એક સ્વીકૃત વિસ્તાર છે જ્યાં પરિવાર આવીને પોતાના પ્રિયજનની અસ્થિઓનું વિસર્જન કરી શકે. ભારતીયો દુનિયાના કોઇ પણ ખૂણે જાય પોતાની સંસ્કૃતિ અને ધર્મને ક્યારે નથી ભૂલતા. દરેક ભારતીયની ઇચ્છા હોય છે કે તેનુ મૃત્યુ પોતાની ધરતી પર જ થાય પરંતુ કેટલીક વાર સમય અને સંજોગો સાથ નથી આપતા. કરિયર બનાવવા અને પૈસા કમાવા વિદેશની ધરતી પર વસેલા લોકોની આ ઇચ્છા તો પૂરી નથી થતી પરંતુ તેમના પરિજન ઇચ્છતા હોય છે કે તેમનું અંતિમ સંસ્કાર શાસ્ત્રોક વીધી અનુસાર થાય. પરંતુ આમ કરવામાં પણ વિદેશની ધરતી પર ઘણી મુશ્કેલી પડતી હોય છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments