કર્ણાટક-

ભગવાન શિવના આ સુંદર મંદિરને નંજનગુડ મંદિર અને શ્રીકાંતેશ્વર મંદિરના નામથી ઓળખવામાં આવે છે. મંદિર દ્રવિડ શૈલીમાં બનેલું છે અને ૧૪૭ સ્તંભ પર ઊભું છે. માન્યતા છે કે, આ મંદિરમાં ભગવાન શિવનો વાસ હતો. આ મંદિર લગભગ એક હજાર વર્ષ જૂનું છે. બહાર ભગવાન શિવની ખૂબ જ મોટી મૂર્તિ છે. અહીં સ્થાપિત શિવલિંગ અંગે માનવામાં આવે છે કે, તેની સ્થાપના ગૌતમ ઋષિએ કરી હતી. ઘઉંવર્ણા રંગના પથ્થરથી બનેલાં આ મંદિરના ગોપુરમ અને ખૂબ જ મોટી ચાર દીવાલ ઉપર કરવામાં આવેલી શિલ્પકારીમાં ગણેશજીના વિવિધ યુદ્ધના દૃશ્યો જાેવા મળે છે. આ શિલ્પકારી જાેવા લાયક છે. આ મંદિરમાં ગણેશજી, શિવજી અને પાર્વતીના વિવિધ ગર્ભગૃહ છે. એક મોટા વાડામાં એક કિનારે ૧૦૮ શિવલિંગ છે. આ ખૂબ જ મોટા મંદિરમાં એક જગ્યા એવી પણ છે, જ્યાં ઊંચી છતથી સવારે સૂર્યની પહેલી કિરણ આવે છે. આ મંદિર લગભગ ૫૦ હજાર વર્ગ ફૂટમાં ફેલાયેલું છે. મંદિરનો મુખ્ય દ્વાર લોકોને ખૂબ જ ગમે છે. તેને મહાદ્વારના નામથી ઓળખવામાં આવે છે. ૭ માળના આ દરવાજામાં સોનાથી મઢાવેલ ૭ કળશ છે. આ કળશની ઊંચાઈ લગભગ ૩ મીટર છે.

સ્થાનીય લોકોનું માનવું છે કે, આ મંદિરના દર્શનથી ભક્તોના દુઃખ દૂર થાય છે. અહીં વર્ષમાં બે વાર રથોત્સવ ઉજવવામાં આવે છે. જેને દૌડજાત્રે પણ કહેવામાં આવે છે. આ જાત્રામાં ભગવાન ગણેશ, શ્રીકાંતેશ્વર, સુબ્રમન્ય, ચંદ્રકેશ્વર અને દેવી પાર્વતીની મૂર્તિઓ અલગ-અલગ રથમાં સ્થાપિત કરીને પૂજા-અર્ચના કરી રથોત્સવની શરૂઆત થાય છે. આ મહોત્સવને જાેવા માટે હજારો લોકો હાજર રહે છે. સડક માર્ગ- સડક માર્ગથી આ શહેર પહોંચી શકાય છે. આ શહેર બેંગલુરુથી ૧૬૩ કિલોમીટર અને મૈસૂરથી ૨૩ કિલોમીટર દૂર છે. મૈસૂર સાથે-સાથે ચામરાજનગર સુધી બસ ચાલે છે.કર્ણાટકની તીર્થનગરી નંજનગુડમાં ભગવાન શિવનું ખૂબ જ જૂનું મંદિર છે. નંજનગુડ પ્રાચીન તીર્થનગર છે. જે કર્ણાટરમાં મૈસૂરથી ૨૬ કિલોમીટર દક્ષિણમાં છે. આ તીર્થ કાબિની નદીના કિનારે છે. નંજનગુડ નગર ૧૦મી અને ૧૧મી સદીમાં ગંગ તથા ચોલ વંશના સમયથી પ્રસિદ્ધ છે. અહીં ભોળાનાથની પૂજા શ્રીકાંતેશ્વર નામથી થાય છે.