મહાનગરપાલિકાની ચૂંટાયેલી નવી પાંખની બેઠક સુધી કમિશનરો સંભાળશે વહીવટઃ CMનો નિર્ણય

અમદાવાદ-

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની 6 મહાનગરપાલિકાઓની ચૂંટાયેલી પાંખની મૂદત 13 ડિસેમ્બરના રોજ પૂરી થતાં આગામી સામાન્ય ચૂંટણીઓ પૂર્ણ થાય ત્યાં સુધી મહાનગરપાલિકાઓના વહીવટી વડા તરીકે હાલ કાર્યરત મ્યુનિસિપલ કમિશનરો જ રોજબરોજની કામગીરી કરવાના આદેશ કર્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરો આવી રોજિંદી કામગીરી જ સંભાળશે. આ સમય દરમિયાન તેઓ કોઇ નીતિવિષયક નિર્ણયો લઇ શકશે નહી. મહાનગરોમાં રોજબરોજના નાગરિક સુખાકારી કામો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ નાગરિકોને દુવિધા ન પડે તેવા હેતુસર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની 6 મહાનગરપાલિકાઓની ચૂંટાયેલી પાંખની મૂદત 13 ડિસેમ્બરના રોજ પૂરી થતાં આગામી સામાન્ય ચૂંટણીઓ પૂર્ણ થાય ત્યાં સુધી મહાનગરપાલિકાઓના વહીવટી વડા તરીકે હાલ કાર્યરત મ્યુનિસિપલ કમિશનરો જ રોજબરોજની કામગીરી કરવાના આદેશ કર્યા છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution