બેવડી ૠતુને કારણે તબીબોએ કોરોનાનું સંક્રમણ વધવાની ચિંતા વ્યક્ત કરી 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, ડિસેમ્બર 2020  |   693

ગાંધીનગર-

રાજ્યના વાતાવરણમાં આવેલા પલટાના કારણે તબીબ દ્વારા કોરોનાનું સંક્રમણ વધવાની ચિંતા વ્યક્ત કરી છે. એએમએના પ્રમુખે જણાવ્યુ કે, વાતાવરણમાં આવેલા પલટાના કારણે કોરોનાના કેસમાં વધારો થઈ શકે છે. બે રૂતુના કારણે શરદી અને તાવના કેસમાં વધારો થાય છે. જેથી કોરનાના કેસ પણ વધી શકે છે. ઠંડી અને વરસાદને લઈને વાયરસ પર દબાણ થતું હોવાથી વાયરસ જમીન તરફ ધકેલાય છે. જમીન તરફ વાયરસ આવવાથી કોરોનાનું સંક્રમણ વધી શકે છે. જેથી એએમએ દ્વારા લોકોને માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી છે.

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution