25, જુન 2020
ચરોતરના તીર્થસ્થળ ડાકોર ખાતે પુષ્યનક્ષત્રમાં નીકળતી રથયાત્રા કોરોના મહામારીને કારણે સ્થગિત રાખવામાં આવી હતી. જાકે, આજે વહેલી સવારે મંદિરના વહીવટ વિભાગે ભગવાનને રથમાં બિરાજમાન કરી મંદિરના ઘુમ્મટ અને પરિસરમાં જ પરકમ્મા કરાવી હતી. આ વખતે કોરોનાને કારણે ડાકોરમાં રાજાધિરાજની રથયાત્રાની ૨૪૭ વર્ષની પરંપરામાં વિક્ષેપ પડ્યો હતો. જાકે, આજે વહેલી સવારે મંગળા આરતી પછી મંદિર પરિસરમાં જ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સાથે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડોકોરના ટાકોરને તિલકવિધિ બાદ મંદિર પરિસરમાં જ વિધિવત રથનું પૂજન કર્યાં બાદ તેનાં પર બિરાજમાન કરાવી રથયાત્રાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.