/
મુંડાહેડા ગામની પ્રસૂતાને ૧૦૮ ના કર્મચારીઓ દ્વારા સફળ પ્રસૂતિ કરાવી

સુખસર,તા.૩ 

મુંડાહેડા ગામના નિવાસી મનીષાબેન સંજયભાઈ ને સગર્ભાવસ્થામાં ડિલિવરી નો દુઃખાવો ઉપડતા ઈ.એમ.આર.આઈ. ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા માટે કોલ કરવામાં આવેલ હતો. નજીક માં આવેલ કદવાલ લોકેશનની ઈ.એમ.આર.આઈ. ૧૦૮ એમ્બ્યુલન્સ ને આ કોલ મળતા જ ફરજ ઉપરના ઇ.એમ.ટી.નરેશભાઈ ભાભોર અને પાયલોટ રમેશ કટારા તાત્કાલિક મુંડાહેડા ગામે પહોંચી ગયા હતા.અને મનીષાબેનને એમ્બ્યુલન્સમાં લઇને હોસ્પિટલ લઈ જવા નીકળી ગયા હતા. પરંતુ રસ્તામાં જ દુઃખાવો વધી જતાં અને એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરવાની જરૂરીયાત ઉભી થઇ હતી. તુરંત ઇએમટી નરેશભાઈએ અમદાવાદ કોલ સેન્ટરના નિષ્ણાત ડોક્ટરની સલાહ મુજબ મનીષાબેનની સફળતા પૂર્વક પ્રસૂતિ કરાવેલ અને તંદુરસ્ત બેબીનો જન્મ થયેલ. માતા અને નવજાત બેબીને વધુ સારવાર માટે સીએજસી લીમડી હોસ્પિટલમાં માં દાખલ કરવામાં આવે છે.

ઈએમઆરઆઈ ૧૦૮ એમ્બ્યુલન્સમાં જ સ્ટાફ દ્વારા સમય સુચકતા વાપરી મહિલાની પ્રસૂતિ કરવામાં આવતા હોસ્પિટલ સ્ટાફ અને દર્દીના સગાએ ઈ.એમ.આર.આઈ ૧૦૮ એમ્બ્યુલન્સ સ્ટાફ નો આભાર વ્યક્ત કરેલ હતો. હાલની કપરી પરિસ્થિતિમાં પણ દાહોદ ઈ.એમ.આર.આઈ ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ પ્રોગ્રામ મેનેજર મનવીર ડાંગર અને ઈ.એમ.ઈ.મનોજ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ સતત કામગીરી બજાવી લોકોની સેવા માં

કાર્યશીલ છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution