ચૈત્ર નવરાત્રિ 2021: કેમ કરવામાં આવે છે નવરાત્રિમાં કન્યા પૂજન, જાણો કથા, વિધિ અને મહત્વ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, એપ્રીલ 2021  |   2871

હાલ ચૈત્ર નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે. આ પર્વમાં કન્યા પૂજનનું વિશેષ મહત્વ હોય છે. ત્યારે આવો જાણીએ નવરાત્રિ દરમિયાન કન્યા પૂજાના સમય, પદ્ધતિ અને મહત્વ વિશે.

કન્યા પૂજનનો સમય

હિન્દુ ધર્મમાં નવરાત્રિનું વિશેષ મહત્વ છે. તેમાં પણ કન્યાની પૂજા વધુ મહત્વની છે. હાલના દિવસોમાં ચૈત્ર નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે. સપ્તમીના દિવસથી જ કન્યા પૂજન શરૂ થઈ જાય છે. નવરાત્રિની દુર્ગાષ્ટમી અને નવમીના દિવસે કન્યાને મા દુર્ગાના નવ સ્વરૂપના રૂપે પૂજવામાં આવે છે. આ વખતે દુર્ગાષ્ટમી 20 એપ્રિલ અને નવમી 21 એપ્રિલના રોજ આવે છે. હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે, કન્યાઓનો નવ દેવીના સ્વરૂપમાં સત્કાર કરવામાં આવે તો માં દુર્ગા પ્રસન્ન થાય છે અને ભક્તોને વૈભવ પ્રદાન કરે છે.

પૂજા માટે કન્યાની ઉંમર

હિન્દુ ધર્મ અનુસાર કન્યાની પૂજા કરવામા માટે તેમની ઉંમર 2થી 9 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જો તમે ઈચ્છતા હોવ તો, 9 વર્ષથી મોટી ઉંમરની કન્યાઓને પણ ભોજન કરાવી શકો છો. તેની સાથે એક બાળક હોવું જરૂરી છે. તેની પૂજા ભૈરવના સ્વરૂપમાં કરવામાં આવે છે. નવદુર્ગાની પૂજા ભૈરવ પૂજા વિના અધુરી છે. તેથી કન્યા પૂજનમાં બાળકની પણ જરૂર હોય છે. જેને ભૈરવ માનવામાં આવે છે.

કન્યા પૂજનની વિધિ

કન્યા પૂજન માટે એક દિવસ પહેલા કન્યાઓને આમંત્રણ આપવું. તે પછી બીજા દિવસે કન્યા આવે ત્યારે, તેઓના દૂધથી ભરેલી પ્લેટમાં પગ ધોવા. તેમના પગને સ્પર્શ કરીને આશીર્વાદ લેવા. આ પછી અક્ષત, ફુલ, કુમકુમનો ચાંદલો કરવો. પછી તેમને સ્વચ્છ સ્થાન પર બેસાડી ભોજન કરાવવું. જમ્યા પછી તેમને યથા શક્તિ ભેટ આપવી. વિદાય કરતી વખતે તેમના પગને સ્પર્શ કરી આશીર્વાદ લેવા.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution