23, નવેમ્બર 2024
સુનીલ અંજારિયા |
1584 |
આજે વાત કરીશ બેંગલોર શહેર નજીક એક આખા રવિવારનાં પેક આઉટિંગની.
અમે આદિ યોગી શિવ સ્ટેચ્યુ, પ્રાચીન ભોગનંદેશ્વર શિવ મંદિર, તે જ પ્રાંગણમાં આવેલ અન્ય મંદિરો અને નંદી હીલ્સની મુલાકાત લીધી.
આદિ યોગી સ્ટેચ્યુ જતાં બેંગલોરથી બે કલાક થાય છે. તે આપણાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ ખૂબ ઊંચી મૂર્તિ છે.
એ સ્ટેચ્યુ બાર માળનાં મકાન જેટલું, ૧૧૫ ફૂટ ઊંચું છે છતાં સંપૂર્ણ સપ્રમાણ છે. શિવજીના એકથી બીજા ખભા સુધીની પહોળાઈ ૮૫ ફૂટ છે. છતાં,મોં પરના આનંદિત ભાવો, બંધ આંખો, શાંત મુખમુદ્રા, બેય કાન અને કુંડળ,ગાલ,માથાં પર ચંદ્ર, જટા- બધું એકદમ સપ્રમાણ. અરે, ગાળામાં પહેરેલી વિશાળ રુદ્રાક્ષ માળા જે સાચા રુદ્રાક્ષોમાંથી બનાવેલ વિશાળ દોરડું કહી શકાય તેવી છે એ પણ શરીર સાથે સપ્રમાણ છે.
ઈશા ફાઉન્ડેશન દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં જવા ખૂબ ધસારો થાય છે.
અમે સવારે પોણા દસે કાર લઈ નીકળ્યા અને એરપોર્ટની બાજુમાં થઈ પછી નંદી હિલ્સ નજીકથી થઈ ૧૨ વાગે ત્યાં પહોંચ્યા.
તે મૂર્તિ છે તે ટાઉનનું નામ 'ચિક્કાબલ્લાપુર’ (એક સાથે બોલી જુઓ, ફાવે છે?) જે ડીસ્ટ્રિક્ટ હેડ ક્વાર્ટરની નજીક છે. અમુક રસ્તો ટેકરીઓ વચ્ચેથી ગોળાકાર વળાંકો પરથી થઈને જાય છે. એ જ જાેવાની મઝા છે. રીયર વ્યુ મીરરમાં પાછદ્ગ ગોળ ફરતો રસ્તો દેખાય તો આગળ ફરીથી વર્તુળની ચાપ જેવો. બેય બાજુ ટેકરાઓ સંપૂર્ણ લીલાછંમ હતા. ગામ છોડી સ્થળ નજીક આવતાં ફૂલોનાં ખેતરો આવ્યાં. હજારી ગલગોટા, ભૂરાં, સફેદ કે લાલ લવંડર, એ લોકો ખૂબ વાપરે તે સફેદ અને અન્ય રંગોની સેવંતી વગેરેનાં ખેતરો આવ્યાં. અહીંની સમઘાત હવા અને બે વખત આવતું ચોમાસું ફૂલોની ખેતી માટે યોગ્ય છે.
મૂળ સ્થળ પાસે એક તળાવ છોડી સીધાં ચડાણવાળો રસ્તો પકડવો પડે. સામેથી બીજી કાર આવે એટલે રોકાઈ જવાનું. શરૂમાં પાર્કિંગના એરો આવે એ પ્રાઇવેટ પાર્કિંગ છે, એ છોડી ટ્રસ્ટનાં પાર્કિગમાં કાર રાખી. ત્યાંથી આશરે ૨૫૦ મીટર ચાલી રેલીંગમાં લાઈનમાં જવાનું એટલે પહોંચો મૂર્તિ સમક્ષ. વીસેક ખૂબ પહોળાં, સોનેરી રેતીના પથ્થરોથી બનેલાં પગથિયાં ચડીને જાઓ. મૂર્તિ એક વિશાળ મંડપ પર સ્થિત છે. ચારે બાજુ પ્રદક્ષિણા કરી નીચે ઉતરી દૂર જઈ ફોટાઓ પાડ્યા કરો, દરેક એંગલથી અલગ લાગે.
સામે, બીજે છેડે બીજા ૨૫૦ મીટર ચાલીને શેષનાગ મંદિર જાઓ. ત્યાં મોટી તાંબાની શેષનાગની મૂર્તિઓ છે. નવ ગ્રહ વગેરે પણ છે. ત્યાં પણ બેસવાની વ્યવસ્થા છે.
પર્વતીય ઢાળ ઉતરી, આખું ટાઉન ચિકકાબલ્લાપુર (જ્યાં ટ્રાફિક સિગ્નલ, થિયેટર, શોરૂમો વગેરે પણ હતું) ચીરી આગળ જતાં ગયાં ભોગાનંદીશ્વર.
તે એક ખૂબ પ્રાચીન મંદિર છે. કહેવાય છે કે સાતસો ઉપરાંત વર્ષો પુરાણું છે. ચોગાનમાં પથ્થરની લાદીઓ જ ખૂબ જૂની હતી જે ઘસાઈ ઘસાઈને આપોઆપ લીસ્સી થઈ ગઈ હતી.
ત્યાં શિવમંદિર, બાજુમાં ઉમા મહેશ્વરની એટલે કે શિવ પાર્વતીની મૂર્તિઓ, બહાર બીજું વિરભદ્રેશ્વર મંદિર જે બીજે દિવસે અહીંની નાગપાંચમ હોઈ ખૂબ શણગાર્યું હતું-તે પણ જાેયું. બધાં મંદિરો ચોક્કસ દક્ષિણી શૈલીનાં, ઊંચા શંકુ જેવા ગોપુરમ અને બહાર ઊંચા દંડવાળાં.
મંદિરોની બહાર મોટું ચોગાન હતું તેમાં બે ખૂબ પહોળાં થડવાળાં વડનાં ઝાડ હતાં જે પણ અતિ પ્રાચીન હતાં.
એક મોટો જુનો લાકડાંનો વિશાળ રથ પડેલો જાેયો. અહીં પણ હમ્પી જેવાં સંપૂર્ણ પથ્થરનાં બનેલાં પૈડાં, વચ્ચે કાણાંવાળાં હતાં એટલે ક્યારેક રથ ખેંચતાં હશે.
અહીં ૧૦૦૦ વર્ષ જૂનો મોટો નંદી છે.
હજુ સમય હોઈ નજીકમાં નંદી હીલ જવા નક્કી કર્યું.
નંદી હિલ્સના રસ્તે અમુક લાલ દ્રાક્ષના વેલાઓ સાથેનાં ખેતરો સાથે જ બે બ્રૂઅરી આવી જ્યાં વાઇન બને છે.
એ ગામની શેરીમાં લાઇનબંધ કાફે હતાં. બહાર એનો માણસ ગ્રાહકો આકર્ષવા સતત સીટીઓ માર્યે જતો હતો. કોફી પીતાં કાન ત્રાસી ગયા!
નંદી હીલ નજીક ઘણા રિસોર્ટ પણ છે. લોકો રૂપિયા ખર્ચી રાત્રે તંબુમાં રહેવા આવે છે. અહીં ટેકરી પરથી સૂર્યોદય જાેવાનું ખાસ મહત્વ છે. અમે ફરીથી, હવે તો કારમાં એકદમ જંીીॅ ઢાળ ચડી નંદી હિલ્સ પહોંચ્યાં. દરેક વળાંક પાસે અરીસાઓ અને ઢાળ નંબર આપેલા છે. ફૂલ ૪૦ વળાંકો છે. તે પછી તો હિલ્સનું પાર્કિંગ આવે. ત્યાં પાર્ક કરી ટિકિટ લઈ ઉપર જવાનું. એક મીની બસ ૨૦ રૂપિયાની ટિકિટમાં ઉપર લઈ જાય છે.
એક બાજુ જંગલ જેવી વનરાજી વચ્ચેથી, વચ્ચે વચ્ચે વોચ ટાવરો પણ આવે એમ જવાનું. આ રસ્તે અમે અગાઉ સવારના ગાઢ ધુમ્મસ વચ્ચેથી ગયેલાં. અમે બીજી બાજુથી એ સનરાઈઝ પોઈન્ટ ને બદલે સનસેટ પોઇન્ટ જવાનું નક્કી કરી ત્યાં ચડ્યાં.
વચ્ચે એક ટીપુ ડ્રોપ પોઇન્ટ આવ્યું. ટીપુ સુલ્તાન અહીંથી લોકોને જીવતા ફેંકી દેતો અને તળેટીમાં રહેતા ચિત્તા કે વાઘ તે માણસને ખાઈ જતા. કોઈ કહે છે એ ગુનેગારોને ફેંકતો, કોઈ કહે છે ક્યારેક મોજ માટે નિર્દોષ વ્યક્તિને પણ ફેંકતો, એ વ્યક્તિ જીવતો જંગલ ઓળંગી શકે તો બચ્યો.
૧૨૦૦ પગથિયાં ચડવાનું છે.ઉપર બેસવા માટે બાંકડા, પોઇન્ટ આડી રેલીંગ વગેરે છે. પથ્થરનું મેદાન પણ બેસી શકાય એવું છે. અમે ખૂબ ઊંચેથી ત્યાંથી વિમાનમાંથી જાેતા હોઈએ એવું બેંગલોર જાેયું, ઊંચે વાદળમાંથી નીચે આવી ખીણમાં અસ્ત થતો સૂર્ય જાેયો અને અંધારું થતા પહેલાં જંગલ છોડી બેંગલોર એરપોર્ટ નજીકથી જતો રસ્તો પકડી ઘેર આવ્યા.