લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, ડિસેમ્બર 2025 |
વડોદરા |
2277
સપ્તાહમાં ૫ દિવસ ઉડાન ભરશે
વડોદરા એરપોર્ટથી મુસાફરો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા વડોદરા અને નવી મુંબઈ (નવિ મુંબઈ) વચ્ચે નવી ફ્લાઇટ સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નવી ફ્લાઇટ સેવા આગામી 30 ડિસેમ્બર 2025થી શરૂ થશે, જે વ્યવસાયિક મુસાફરો તેમજ સામાન્ય યાત્રિકો માટે મહત્વપૂર્ણ સાબિત થશે.મળતી માહિતી મુજબ, નવી ફ્લાઇટનો સમયપત્રક આ પ્રમાણે રહેશે. નવી મુંબઈથી ફ્લાઇટ બપોરે 3:00 વાગ્યે રવાના થશે અને સાંજે 4:05 વાગ્યે વડોદરા એરપોર્ટ પર પહોંચશે. ત્યારબાદ આ જ ફ્લાઇટ વડોદરા એરપોર્ટ પરથી સાંજે 4:40 વાગ્યે પ્રસ્થાન કરશે અને સાંજે 5:45 વાગ્યે નવી મુંબઈ પહોંચશે.ઈન્ડિગોની આ ફ્લાઇટ સેવા સપ્તાહમાં કુલ પાંચ દિવસ ચાલુ રહેશે. સોમવાર અને ગુરુવાર સિવાયના દિવસોમાં મુસાફરો આ ફ્લાઇટનો લાભ લઈ શકશે. નવી સેવા શરૂ થવાથી વડોદરા અને મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તારમાં મુસાફરી વધુ સરળ, ઝડપી અને સુવિધાજનક બનશે.વડોદરા એરપોર્ટ ડિરેક્ટર માટે આ માહિતી આપવામાં આવી છે. એરપોર્ટ અધિકારીઓનું માનવું છે કે આ નવી ફ્લાઇટ સેવા શરૂ થવાથી પ્રદેશના વ્યાપાર, ઉદ્યોગ અને પ્રવાસન ક્ષેત્રને પણ પ્રોત્સાહન મળશે, તેમજ મુસાફરોને વધુ વિકલ્પો ઉપલબ્ધ થશે.