નાઇજીરિયામાં સોનાની ખાણ ધસી પડતાં 100 શ્રમિકોના મોતની આશંકા, 13 મૃતદેહ મળી આવ્યા
27, સપ્ટેમ્બર 2025 ઝામ્ફારા   |   4752   |  

કાદોરી ખાણમાં મોટી સંખ્યામા શ્રમિકો ભૂગર્ભમાં કામ કરી રહ્યા હતા

નાઇજીરીયાના ઝામ્ફારા રાજ્યમાં સોનાની ખાણ ધસી પડવાથી ઓછામાં ઓછા 100 શ્રમિકોના મોતની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. મારુ સ્થાનિક સરકારી વિસ્તારમાં કાદોરી ખાણમાં આ ઘટના બની હતી, ત્યારે મોટી સંખ્યામાં શ્રમિકો ભૂગર્ભમાં કામ કરી રહ્યા હતા. સ્થાનિક રહેવાસીના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 13 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, બચી ગયેલા શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. ઝામફારા માઇનર્સ યુનિયનના મુહમ્મદુ ઇસાએ જણાવ્યું હતું કે બચાવ કાર્યકરોને પણ ગૂંગળામણનો સામનો કરવો પડ્યો હતો.

આ પ્રદેશમાં ગેરકાયદેસર ખાણકામ સામાન્ય છે, અને સશસ્ત્ર ગેંગ ઘણીવાર ખાણો પર નિયંત્રણ રાખે છે, જેના કારણે દુર્ઘટનાઓ અને હિંસાનું જોખમ વધે છે. પોલીસ પ્રવક્તા યાજીદ અબુબાકરે હજુ સુધી આ ઘટના અંગે કોઈ ટિપ્પણી કરી નથી.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution