/
તિરુપતિ શહેરમાં 5 ઓગસ્ટ સુધી સંપૂર્ણ લોકડાઉન લદાયું

તિરુપતિ-

કોરોના વાયરસ દેશના મંદિરોને ફરીથી લોકડાઉન કરવાની તૈયારી કરી રહ્યો હોય તેમ આંધ્રપ્રદેશના પ્રખ્યાત તિરુપતિ મંદિરના એક સાથે 100થી વધુ કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું સામે આવતા લાગી રહ્યું છે. આ સાથે જ તિરુપતિ શહેરમાં 5 ઓગસ્ટ સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. જો કે મંદિર આ સમય દરમિયાન ખુલ્લું રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

5 ઓગસ્ટ સુધી લગભગ સંપૂર્ણ તિરૂપતિ શહેરને જ કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન માત્ર જરૂરી સેવાઓ જ શરૂ રહેશે. મંદિરના વાહનોની અવર-જવર શરૂ રહેશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે તિરૂપતિ મંદિરના સ્ટાફમાં પણ સંક્રમિતોની સંખ્યા 170 પર પહોંચી ગઈ છે. સોમવારે મંદિરના પૂર્વ મુખ્ય પૂજારી શ્રીનિવાસ દીક્ષિતુલુનું કોરોનાના કારણે મૃત્યુ થયા બાદ મંદિર ટ્રસ્ટ સમક્ષ મંદિર બંધ રાખવા રજૂઆતો પણ થઈ રહી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution