સયાજીબાગમાં આઇકાર્ડ ચેક કર્યા બાદ જ ૧૮ વર્ષથી નાની કિશોરીઓને એન્ટ્રી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, ડિસેમ્બર 2021  |   3168

કમાટીબાગ ખાતે થયેલ દુષ્કર્મ બાદ સુરક્ષાની બાબતે સજાગ થયેલ પાલિકા દ્વારા ગઈકાલે પાલિકાના સિક્યુરિટી સ્ટાફ સાથે ૧૮ વર્ષથી નાની ઉંમરની કિશોરીઓને આઈકાર્ડ બતાવીને પ્રવેશ મેળવવાનો નિયમ લાગૂ કરવામાં આવ્યા બાદ આજે પણ ચેકિંગ યથાવત્‌ રહ્યું હતું. પાલિકાના સિક્યુરિટી સ્ટાફ સાથે સયાજીગંજ પોલીસ અને શી ટીમ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. કિશોરી પુખ્તવયની ન જણાય તો કિશોરીઓના માતા–પિતાને ફોન કરીને તેમને જાણ કરીને ફરવા આવી છે કે કેમ તેની તપાસ કરવામાં આવે છે .સુરક્ષાના પગલાં સ્વરૂપે હાથ ધરવામાં આવેલ તપાસમાં ખાસ કરીને પાદરા, વાઘોડિયા, સાવલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાંથી ફરવા આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution