6 મનપામાં ઐતિહાસિક જીત બાદ આજે મુખ્યમંત્રી રાજકોટ આવશે,  પ્રજાનો આભાર માનશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, ફેબ્રુઆરી 2021  |   1584

રાજકોટ-

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે. રાજકોટ મુખ્યમંત્રી રૂપાણીની કર્મભૂમિ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે યોજવામાં આવેલી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ૭૨ માંથી ૬૮ બેઠકો ઉપર ભાજપનું કમળ ખીલતાં ખુદ મુખ્યમંત્રી આભાર માનવા માટે રાજકોટ ઉપસ્થિત રહેશે. આ એક ઐતિહાસિક જીત બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અંજલીબેન રૂપાણીની હાજરીમાં આજે રાજકોટમાં બહુમાળી ભવન પાસે સાંજે ૫-૩૦ કલાકે અભિવાદન સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તેઓ ઉપસ્થિત રહી અને રાજકોટની પ્રજાનો આભાર માનશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution