09, સપ્ટેમ્બર 2025
નવી દિલ્હી |
3366 |
ભારતમાં ઈઝરાયેલનું ૩૩૭,૭૭ મિલિયન ડોલરનું રોકાણ
ઇઝરાયેલના નાણામંત્રી પ્રધાન અને ભારતના નિર્મલા સીતારામન વચ્ચે કરાર
ભારત અને ઇઝરાયેલે દ્વિપક્ષીય રોકાણ સંધિ પર કરાર કર્યા છે. આ કરાર તી બંને દેશ વચ્ચેના રોકાણ સંબંધોને વૃદ્ધિ આપવામાં પ્રોત્સાહન મળશે. નાણા મંત્રાલયે સોમવારે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે ભારત અને ઇઝરાયેલ સરકારે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય સમજૂતી પર કરાર કર્યા છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામન અને તેમના ઇઝરાયેલી સમકક્ષ બેઝેલ સ્મોટ્રિચે તેના પર સહીસિક્કા કર્યા છે.
ઇઝરાયેલના નાણાપ્રધાન બેજલ સ્મોટ્રિચ ૮થી ૧૦ સપ્ટેમ્બરની વચ્ચે ભારતના ત્રણ દિવસના પ્રવાસે આવ્યા છે. તેઓ ભારતના વેપાર પ્રધાન પીયૂષ ગોયલ અને શહેરી અને આવાસપ્રધાન મનોહર લાલ સાથે પણ મુલાકાત કરશે.તેમના ભારત પ્રવાસનો હેતુ દ્વિપક્ષીય બેઠકોના માધ્યમથી ભારતની સાથે ઇઝરાયેલના આર્થિક અને નાણાકીય સંબંધોને મજબૂત બનાવવાનો તથા દ્વિપક્ષીય રોકાણ સંધિ ઉપરાંત મુક્ત વેપાર કરાર સહિત કેટલીક મુખ્ય સમજૂતીઓ માટે સંયુક્ત આધાર નક્કી કરવાનો છે.
ઉલ્લેખનિય છે કે, ભારત અને ઇઝરાયેલ વચ્ચે મજબૂત વ્યૂહાત્મક ભાગીદારી છે. બંને વચ્ચે દર વર્ષે લગભગ ચાર અબજ ડોલરથી વધુનો વેપાર થાય છે. વર્ષ ૨૦૦૦થી ૨૦૨૫ સુધી ઇઝરાયેલમાં ભારતનું રોકાણ ૪૪.૩ કરોડ ડોલર હતું. જ્યારે સીધા વિદેશી રોકાણની વાત કરીએ તો ઇઝરાયેલનો ફાળો ૩૩.૪૨ કરોડ ડોલરનો રહ્યો હતો.