20, સપ્ટેમ્બર 2021
693 |
અમદાવાદ-
હૈદરાબાદના સાંસદ અને AIMIM ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી આજે આજે સવારે અમદાવાદ પહોંચ્યા હતા. જ્યાં તેઓ સવારે 10.30 કલાકે સાબરમતી જેલમાં બંધ અતીક અહેમદની મુલાકાતે જવાના હતા પરંતુ જેલ સત્તાવાળાએ મંજૂરી ન આપતા આ મુલાકાત કેન્સલ કરવામાં આવી છે. હાલ તેઓ મુસ્લિમ સમાજના નેતાઓ અને સામાજિક સંસ્થાઓના પદાધિકારીઓને મળી બેઠકનું આયોજન કરવામાં આવશે.