અમદાવાદ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતશાહ આવતીકાલે એટલ કે શનિવારે અમદાવાદ આવશે. પોતાના મતવિસ્તાર નારણપુરા ખાતે તેઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન રવિવારે મતદાન પણ કરશે. તો બીજી તરફ ભારત અને ઈંગ્લેદ વચ્ચે રમાનારી ટેસ્ટ મેચ માં પણ તેઓ હાજરી આપવાના છે. મોટેરા સ્ટેડિયમનું ઓપનિંગ પણ તેમના હાથે કરવામાં આવે તેવી પુરી શક્યતો જાેવાઈ રહી છે. નવનિર્માણ પામેલા આ સ્ટેડિયમમાં આ પહેલી મેચ રમાઈ રહી છે ત્યારે અમિતશાહ ની હાજરી સૂચક મવામાં આવી રહી છે..સાથે સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ હાજર રહે મેચ દરમિયાન એવી પણ શક્યતો જાેવાઈ રહી છે. રાષ્ટ્રપતિ પદવીદાન સમારંભમાં હાજરી આપવાના છે. બીજી તરફ આજે સાંજથી જ ચૂંટણી પ્રચાર ના પડઘમ પણ શાંત થઈ જશે..હાલ બને પક્ષો ઘ્વારા આજે છેલ્લી ઘડીએ એડી ચોંટી નું ઝોર લગાવી રહી છે.