બ્રિસ્ટલ-

બ્રિટનના બ્રિસ્ટલમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનાં ચશ્માંને લિલામ કરવામાં આવ્યાં હતાં. ઇસ્ટ બ્રિસ્ટલની એક લિલામી એજન્સીએ મહાત્મા ગાંધીનાં ચશ્માં લિલામ કર્યાં હતાં. ઓનલાઇન થયેલી આ લિલામીમાં બાપુનાં ચશ્માંને 2.55 કરોડ રૂપિયામાં અમેરિકાના એક કલેક્ટરે ખરીદ્યા હતા. મહાત્મા ગાંધીનાં ચશ્માંને લિલામ કરતી એજન્સીનો દાવો છે કે બાપુએ 1900ના દસકામાં આ ચશ્માં એક વ્યક્તિને ભેટમાં આપ્યાં હતાં.

બાપુના કાકાએ ચશ્માં આપ્યાં હતાં કેટલાક જાણકારોનું કહેવું છે કે આ ચશ્માં બાપુને 1910ની આસપાસ તેમના કાકાએ આપ્યાં હતાં. બાપુ એ વખતે દક્ષિણ આફ્રિકામાં કામ કરી રહ્યા હતા. એ ચશ્માંના માલિક બ્રિસ્ટલના મેનગોટ્સફીલ્ડનું કહેવું છે કે આ લિલામીથી મળેલાં નાણાંને તેઓ પોતાની પુત્રીને આપશે. 

બાપુના ચશ્માંને લિલામ કરવાવાળી એજન્સીએ જણાવ્યું હતું કે એ ચશ્માં તેમના પોસ્ટબોક્સમાંથી મળ્યાં હતાં. તેઓ આ વાતે આશ્ચર્યચકિત છે કે જે ચશ્માં તેમના પોસ્ટબોક્સમાં એક કવરની અંદરમાંથી મળ્યાં હતાં. તેની પાછળ એક શાનદાર ઇતિહાસ હોઈ શકે છે.