લોકસત્તા ડેસ્ક

વરસાદની સીઝન શરુ થતા જ બજારોમાં બધે કાળા રસદાર જાંબુ જોવા મળે છે. સ્વાદમાં ખાટા-મીઠા હોવા સાથે કાળા રંગના જાંબુ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ગ્લુકોઝ, ફ્રુટોઝ, વિટામિન સી, એ, રાયબોફ્લેવિન, નિકોટિનિક એસિડ, ફોલિક એસિડ, સોડિયમ અને પોટેશિયમ ઉપરાંત સ્વાદિષ્ટ અને રસદાર જાંબુમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, જસત અને આયર્ન હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે. જાંબુ ના બીજમાં ગ્લાયકોસાઇડ્સ, જામ્બોલિન અને ગેલિક એસિડ જોવા મળે છે, જે ઔષધીય ગુણધર્મોથી સમૃદ્ધ છે, જે રોગોના ઉપચારમાં મદદગાર છે. આવા ફાયદાકારક જાંબુનો સતત ઉપયોગ યાદશક્તિ ને વધારવામાં પણ મદદ કરે છે. રસ ઝરતાં જાંબુ થી ઘણા રોગોની સારવાર કરી શકાય છે. ચાલો જાણીએ જામુનના ફાયદા શું છે.

ડાયાબીટીસ ના દર્દીઓ માટે જાંબુ ખૂબ ફાયદાકારક છે. તે ઇન્સ્યુલિનને નિયંત્રિત કરવાનું કામ કરે છે. જાંબુના ઠળિયા સૂકવીને પાવડર બનાવો. અને તેને 1 ચમચી ખાલી પેટ નવસેકા પાણી સાથે લો, તે ડાયાબીટીસ ને અંકુશમાં રાખવામાં મદદ કરે છે.

જાંબુમાં એન્ટીઓકિસડન્ટો વિપુલ પ્રમાણમાં જોવા મળે છે, જે એન્ટી એજિંગ છે. તમે જાંબુ ની પેસ્ટ બનાવી શકો છો અને તેને તમારા ચહેરા પર લગાવી શકો છો, તે તમારી ત્વચા ને ચમકતી રાખશે.

હૃદયના સ્વાસ્થ્ય માટે પણ જાંબુ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે લોહીને પાતળું કરવામાં મદદ કરે છે, જેના કારણે હાર્ટ બ્લોકેજ અને સ્ટ્રોકનું જોખમ ઓછું થાય છે.

તેનાં રસ ઝરતાં ફળોનીનું સેવન કેન્સરને રોકવામાં મદદગાર છે.

જો યાદશક્તિ નબળી હોય તો દરરોજ જાંબુ ખાવા જોઈએ. જાંબુ યાદશક્તિ વધારવામાં અત્યંત મદદગાર છે.

જાંબુ શરીરમાં લોહીની કમી દૂર કરે છે. જાંબુનો રસ, મધ, આમળાનો રસ અથવા ગુલાબના ફૂલનો રસ સમાન પ્રમાણમાં મેળવીને રોજ સવારે એક-બે મહિના સુધી લેવાથી એનિમિયા અને શારીરિક નબળાઇ દુર થાય છે.