અહિંયા ચક્રાવાત નાં કારણે, આ રાજયમાં સતત વરસાદ ચાલુ, તાપમાન માં ઘટાડો
04, મે 2021 594   |  

દિલ્હી-

સમુદ્ર તટ પર ઉઠેલા એક ચક્રાવાત ના કારણે, પશ્ચિમ બંગાળની રાજધાની કોલકતા સહિત સમગ્ર દક્ષિણ બંગાળમાં સોમવારે આખી રાત વરસાદ પડ્યો હતો. મંગળવારે અલીપુરમાં હવામાન વિભાગના પ્રાદેશિક મુખ્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં આ સમયગાળા દરમિયાન કુલ 14.7 મીમી વરસાદ નોંધાયો છે.

વરસાદને કારણે લઘુત્તમ તાપમાન 22.3 ડિગ્રી સેલ્સિયસ પર આવી ગયુ છે, જે સામાન્ય કરતા ત્રણ ડિગ્રી નીચે છે. આ ઉપરાંત મહત્તમ તાપમાન પણ 35.1 ° સે સુધી પહોંચી ગયુ છે, જે સામાન્ય છે. છેલ્લા ઘણા દિવસોથી મહત્તમ તાપમાન આશરે 40 ડિગ્રીની આસપાસ રહેતુ હતુ. હવામાન વિભાગનુ કહેવુ છે કે, 'બીચ પર આવેલા ચક્રવાતને કારણે, સમગ્ર રાજ્યમાં નીચા દબાણનુ નિર્માણ થયુ છે અને સતત વરસાદ પડી રહ્યો છે.' મંગળવારે પણ દિવસભર વરસાદ ચાલુ રહેશે. સોમવારે રાત્રે સાત વાગ્યાની આસપાસ એક વાવાઝોડું પણ આવ્યુ હતુ, જે બે મિનિટ સુધી ચાલ્યુ હતુ અને 60-65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પસાર થયુ હતુ.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution