એલઆરડી અને પીએસઆઈ માટેની શારીરિક કસોટી શરૂ થતાં ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ
04, ડિસેમ્બર 2021

ગાંધીનગર, એલઆરડી અને પીએસઆઈના ઉમેદવારોની શારીરિક કસોટી આજથી શરૂ થનાર છે. આજે એલઆરડી-પીએસઆઈની શારીરિક કસોટી યોજાશે. પરંતુ ૧૫ને બદલે ૮ ગ્રાઉન્ડ પર જ પરીક્ષા યોજાશે. કમોસમી વરસાદને પગલે ૬ ગ્રાઉન્ડ પરની કસોટી મોકૂફ રાખવામા આવી છે. એક ગ્રાઉન્ડ પર એક દિવસમાં ૧૨૦૦ થી ૧૫૦૦ ઉમેદવારોની શારીરિક કસોટી લેવાશે, જે જાન્યુઆરી સુધી ચાલશે. ગુજરાતમાં આજથી એલઆરડી અને પીએસઆઈના ઉમેદવારોની શારીરિક પરીક્ષાનો પ્રારંભ થશે. રાજ્યના ૯ લાખ ૩૨ હજાર ઉમેદવારો શારીરિક કસોટી આપવાના છે. એક ગ્રાઉન્ડ પર એક દિવસમાં ૧૨૦૦ થી ૧૫૦૦ ઉમેદવારોની શારીરિક પરીક્ષા લેવામાં આવશે. શારીરિક પરીક્ષા જાન્યુઆરી મહિના સુધી ચાલશે. એલઆરડી અને પીએસઆઈ બંને ભરતી માટે એક જ શારીરિક દોડની પરીક્ષા લેવાશે. કમોસમી વરસાદના કારણે રાજ્યના ૬ ગ્રાઉન્ડ પર એલઆરડી-પીએસઆઈની કસોટી મોકૂફ રખાઈ છે. રાજ્યમાં પોલીસ ભરતી માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો નોકરીની આશાએ પોલીસ કોન્સ્ટેબલની ભરતીની રાહ જાેઈ રહ્યા હતા. ભરતીની જાહેરાત બહાર પડતાં જ ઉમેદવારોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution