પાકિસ્તાનના ક્વેટામાં રાજકીય પક્ષની રેલીમાં વિસ્ફોટ, 14 લોકોના મોત, 35થી વધુ ઈજાગ્રસ્ત
03, સપ્ટેમ્બર 2025 ક્વેટા   |   4653   |  

બલૂચિસ્થાન નેશનલ પાર્ટીની રેલીને નિશાન બનાવી

પાકિસ્તાનમાં અવારનવાર બોમ્બ બ્લાસ્ટ અને હુમલાઓની ઘટનાઓ વચ્ચે ક્વેટામાં બલૂચિસ્તાન નેશનલ પાર્ટીની રેલીને નિશાન બનાવીને પ્રચંડ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. જેમાં 14 લોકોના મોત અને 35થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ સામે આવ્યા છે.

આ ઘટના શાહવાની સ્ટેડિયમ નજીક સરદાર અતાઉલ્લાહ મેંગલની ચોથી પુણ્યતિથિના દિવસે આયોજિત કાર્યક્રમના સમાપન બાદ બની હતી. બલૂચિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રી બખ્ત મોહમ્મદ કાકરે આ હુમલામાં મોટી જાનહાનિ થયાની જાણકારી આપી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આ હુમલો બીએનપી નેતા અખ્તર મેંગલ અને તેમના કાફલાને ટાર્ગેટ કરીને કરાયો હતો. પરંતુ તેમને કોઈ નુકસાન થયું નહોતું.

આ ઘટના બાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો અને ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘાયલોમાંથી ઘણાની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution