દિલ્હી-

રવિવારે રાત્રે તેલંગાણાના વિકરાબાદ જિલ્લા નજીક બેંગ્લોર જઈ રહેલી રાજધાની એક્સપ્રેસના એન્જિનમાં આગ લાગી હતી. દક્ષિણ મધ્ય રેલ્વે (એસસીઆર) ના અધિકારીએ આ માહિતી આપી. અધિકારીએ જણાવ્યું કે ટ્રેનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. એસસીઆરના મુખ્ય જનસંપર્ક અધિકારી સીએચ રાકેશે કહ્યું કે આ ઘટના રાત્રે 9 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે નવી દિલ્હીથી બેંગ્લોર જતી રાજધાની એક્સપ્રેસ નવનંદગી રેલ્વે સ્ટેશન પરથી પસાર થઈ રહી હતી.

તેમણે કહ્યું કે લોકો પાઇલટને એન્જિનમાંથી ધુમાડો નીકળતો જોયો હતો અને તેણે સાવચેતી રૂપે ટ્રેનને રોકી હતી. નાના જ્વાળાઓ એન્જિનના નાના ભાગ સુધી મર્યાદિત હતી અને પાછળથી એન્જિનને બોગીઓથી અલગ કરી દેવામાં આવ્યું. ચીફ પીઆરઓએ કહ્યું કે ફાયર એન્જિન દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી.