કોરોના બાદ પ્રથમ વખત રાજ્યના ચાર શહેરોમાં પતંગોત્સવનું આયોજન
18, ડિસેમ્બર 2022

ગાંધીનગર, કોરોનાની મહામારીના કાળ બાદ પ્રથમ વખત ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ચાર શહેરોમાં પતંગ મહોત્સવ-૨૦૨૩નું આયોજન કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ-૨૦૨૩ આગામી તા. ૮ જાન્યુઆરીથી લઈને તા. ૧૪ જાન્યુઆરી દરમિયાન યોજાશે. જેમાં દેશના વિવિધ રાજયોના પતંગબાજાે ઉપરાંત વિદેશી પતંગબાજાે પણ ભાગ લેશે. બે વર્ષ બાદ યોજાનારા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવને લઈને રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા તૈયારીઓ આરંભી દીધી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે રેકોર્ડ બ્રેક બેઠકો મેળવીને ફરી એક વખત સત્તા સંભાળી છે ત્યારે ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા પ્રથમ કોરોના બાદ રાજયમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા આગામી તા. ૮ થી ૧૪ જાન્યુઆરી દરમિયાન રાજયમાં પતંગોત્સવ યોજાશે. આ પતંગોત્સવ રાજ્યના ચાર મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં યોજવામાં આવશે. જેમાં અમદાવાદ ખાતે રાજ્ય કક્ષાના પતંગોત્સવનું સાબરમતી રિવરફ્રન્ટ આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે વડોદરામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પતંગ ઉત્સવ આયોજન કરવામાં આવ્યું છે. તેવી જ રીતે રાજકોટ અને સુરતમાં પણ પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવાસન વિભાગની બેઠકમાં રાજયમાં આ વર્ષે પતંગોત્સવનું આયોજન કરવા અંગે ચર્ચા-વિચારણા કરાઇ હતી. જેમાં આ વર્ષે યોજાનાર પતંગોત્સવમાં ભાગ લેવા માટે દુનિયાના ૭૦ દેશોને આમંત્રણ આપવામાં આવશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution